SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૨૨,૨૩ ફળનો વ્યવહાર પારમાર્થિક છે. તેથી તેના ભેદા-ભેદની ચર્ચા પણ આવશ્યક જ છે. કંઇપણ ખોટું નથી. ॥ ૬-૨૧॥ प्रस्तुतमेवार्थं निगमयन्ति ततः पारमार्थिक एव प्रमाणफलव्यवहारः सकलपुरुषार्थसिद्धिहेतुः स्वीकर्तव्यः ॥ ૬-૨૨૫ टीका - एवं प्रमाणं स्वरूपादिभिः प्ररूप्य इदानीं हेयज्ञाने सति तद्धानादुपादेयं सम्यगुपादातुं पार्यते, अतः तत्स्वरूपाद्याभासमप्याहुः प्रमाणस्य स्वरूपादिचतुष्टयाद्विपरीतं तदाभासम् ॥६-२३॥ टीका - पूर्वपरिच्छेदप्रतिपादितात् प्रमाणसम्बन्धिनः स्वरूपादिचतुष्टयात् स्वरूपसङ् ख्याविषयफललक्षणाद् विपरीतमपरं स्वरूपादिचतुष्टयाभासं स्वरूपाभासं, सङ्ख्याभासं विषयाभासं फलाभासं चेत्यर्थस्तदाभासत इति कृत्वा ૫૬-૨૨-૨૩॥ ૨૫ પ્રમાણ અને ફળનો સમસ્ત વ્યવહાર કાલ્પનિક માત્ર જ છે. એમ કહેનાર વાદીની વાત કાલ્પનિક હોય તો સમસ્ત વ્યવહાર પારમાર્થિક છે એમ સિદ્ધ થાય છે. અને જો વાદીની વાત અકાલ્પનિક છે એમ માને તો વ્યભિચાર દોષ તે વાદીને આવે છે. તેથી ફલિતાર્થ (સાર) શું થયો ? તે હવે કહે છે— સૂત્રાર્થ-તેથી પ્રમાણ અને પ્રમાણ ફળનો વ્યવહાર પારમાર્થિક જ છે. અને ધર્મઅર્થ-કામ તથા મોક્ષાદિ સર્વ પુરુષાર્થની સિદ્ધિનો હેતુ છે. એમ સ્વીકારવું જ જોઇએ. || ૬-૨૨ || ટીકાર્થ-કોઇપણ શેયને જણાવનારું જે જ્ઞાન છે. તે પ્રમાણ છે. અને તે પણ પારમાર્થિક જ છે. અને તેનાથી થતી અજ્ઞાનનિવૃત્તિ અને હાનોપાદાનાદિ બુદ્ધિ પણ પારમાર્થિક જ છે. એમ જ સ્વીકારવું જોઇએ. અને એમ સ્વીકારીએ તો જ ધર્મ-અર્થ આદિ ચારે પુરુષાર્થની સિદ્ધિ થાય છે. આ વાત અનુભવ સિદ્ધ છે. આ સો રૂપિયાની નોટ છે એવું જે જ્ઞાન થાય છે. તે જો પારમાર્થિક હોય તો જ તેને લેવા માટે ઉપાદાનાદિ બુદ્ધિ થાય છે. અને આ સર્પ છે એવું જે જ્ઞાન થાય છે તે પારમાર્થિક (સત્ય) હોય છે, તો જ તેનાથી દૂર રહેવાની હાનાદિ બુદ્ધિ થાય છે. માટે પ્રમાણજ્ઞાન અને તેના ફલાદિનો વ્યવહાર કાલ્પનિક નથી પરંતુ પારમાર્થિક છે. માટે જ અમે કરેલી ભેદાભેદની ચર્ચા યથાર્થ જ છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy