SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા ભાગ-૩ ગુણ થાય છે. અને આવો કંટકોદ્ધાર ન કરે તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ થતો નથી પરંતુ પ્રતિવાદીએ તો વાદીની વાતમાં કોઈ દોષી જણાવ્યા નથી. તેથી વાદી જો આવો કંટકોદ્ધાર ન કરે તો પણ હાર થતી નથી. તેથી દોષ-નુકશાન થતું નથી. તેથી આવી દોષોની કલ્પના કરવા પૂર્વકનો કંટકોદ્ધાર કરે તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ થાય છે. અને આવો કંટકોદ્ધાર ન કરે તો નિર્મળ યશ મળવા રૂપ ગુણ પ્રાપ્ત થતો નથી. કે હાર થવા રૂપ દોષ થતો નથી. પરંતુ જો પ્રતિવાદી કોઇપણ જાતના દોષો વાદીના અનુમાનમાં જણાવે તો તે દોષોનો ઉદ્ધાર અવશ્ય કરવાનો જ રહે છે. જો પ્રતિવાદીએ આપેલા દોષોનો ઉદ્ધાર ન કરે તો વાદીની હાર થવા રૂપ દોષ લાગે જ છે. अथ कथं न दोषः ?, यतः सत्यपि हेतोः सामर्थ्य तदप्रतिपादनात् संदेहे प्रारब्धासिद्धिः, इत्यवश्यकरणीयं दूषणोद्धरणमिति चेत्, कस्यायं सन्देहः-वादिनः, प्रतिवादिनः, सभ्यानां वा ? । न तावद् वादिनः, तस्यासत्यपि सामर्थ्य तन्निर्णयाभिमानेनैव प्रवृत्तेः, किं पुनः सति प्रतिवादिसभ्यसंदेहापोहाय तु सामर्थ्य प्रमाणेनैव प्रदर्शनीयम् ? । तत्रापि प्रमाणान्तरेण सामर्थ्यांप्रदर्शने संदेहः, प्रदर्शने तु तत्रापि प्रमाणान्तरेण तत्प्रदर्शनेनाऽनवस्था । अथ यथा स्वार्थानुमाने हेतोः साध्यमध्यवसीयते, हेतोश्च प्रत्यक्षादिभिः प्रतिपत्तिः, न चाऽनवस्था, तथा परार्थानुमानेऽपीति चेत्, तर्हि यथा प्रत्यक्षादेः कस्यचिदभ्यासदशायां स्वत: सिद्धप्रमाणतयाऽनपेक्षितसामर्थ्य प्रदर्शनस्यापि गमकत्वम् , एवमन्ततो गत्वा कस्यचित् परार्थानुमानस्यापि तथैव तदवश्यमभ्युपेयम्, इति गतं सामर्थ्यप्रदर्शननियमेन ॥ પ્રશ્ન- સભાપતિ-સભ્યો અને પ્રતિવાદી સમક્ષ વાદી જે અનુમાન રજુ કરે છે. તેમાં કહેવાયેલા હેતુમાં પ્રતિવાદી ભલે કોઈ દોષો ન જણાવી શક્યો હોય, તો પણ વાદી પોતે સ્વયં કલ્પના કરીને દોષો જો દૂર કરવાનું સભામાં ન જણાવે તો તેને દોષ કેમ ન લાગે ? અર્થાત્ નુકશાન કેમ ન થાય ? નુકશાન થાય જ. તે આ પ્રમાણે- જો કે હેતુ અતિશય નિર્દોષ હોવાથી સાધ્ય-સાધવાનું સામર્થ્ય તેમાં છે જ. તે સામર્થ્ય હેતુમાં હોવા છતાં પણ કંટકોદ્ધાર કરીને તે સામર્થ્યના પ્રાગટ્યનું પ્રતિપાદન ન કરીએ તો આ હેતુ સાધ્ય-સાધવામાં સમર્થ હશે કે સમર્થ નહી હોય ? આવો સંદેહ રહેતે છતે પ્રારંભેલા સાધ્યની સિદ્ધિ થશે નહીં. જેથી વાદીની વાત શંકાશીલ રહેવાથી વિજય થવામાં વિદન આવવા રૂપ દોષ આવે જ. આ કારણથી પ્રતિવાદી દોષો જણાવવામાં કાયર હોવાથી ભલે દોષો ન જણાવે તો પણ વાદીએ પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy