SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૨૨ मुपन्यस्य पुनः पटकुटादिदृष्टान्तमुत्पत्त्यादिमुखेन वर्णयतः प्रथमकक्षैव न समाप्येत, ત: પ્રતિવાનિોવાશ: ? ॥ વિવેચન– વાદી દ્વારા જે આ પ્રથમ વાદ શરૂ કરાયો છે. અને તેમાં જે અનુમાન રજુ કરાયું છે. તેમાંને તેમાં જો અર્થાન્તર (બીજા બીજા વિષયો) વાદી કહેવા લાગે (અને બોલતાં અટકે જ નહી) તો પોતે કહેલા પ્રથમ અનુમાનમાં જે હેતુ કહેવાયો છે. તે સાધન (સાચો હેતુ) છે કે દૂષણ (ખોટો હેતુ) છે. તે વાતનો પણ અસંભવ થવાથી કથાનો ઉપરમ જ થતો નથી. જેમ વાદીએ કહ્યું હોય કે ‘“પર્વતો વહ્વિમાન્ માત્'' આ અનુમાન કહીને પર્વત એટલે શિલાઓનો સમૂહ, ઘણી શિલાઓનો. સમૂહ, તે શિલા નાની-મોટી અનેક છે. ચારેબાજુ પથરાયેલી છે. તેના ઉપર અનેક પ્રકારની વનરાજી છે. શીતલ પવન વાય છે. નાની-મોટી અનેક વાવડીઓ છે. આમ પર્વતના, વહ્નિના અને ધૂમના વર્ણનમાં જ જો વાદી ઉતરી જાય તો મૂલ પ્રથમ બોલાયેલું અનુમાન સાચું છે કે દોષિત છે ? આ કહેવાનો સંભવ જ રહેતો નથી. અને આ સાધન-દૂષણ બતાવ્યા વિના વિવક્ષિત કથાનો વિરામ થતો નથી. ૩૯૫ આમ હોવા છતાં પણ પરાર્થાનુમાનમાં વક્તાના ગુણ-દોષની અવશ્ય પરીક્ષા કરવી જોઇએ'' આવો ન્યાય હોવાથી વાદીએ પોતાના અપયશના વિદ્યાત માટે જ્યાં સુધી અત્યન્ત શુદ્ધપણે ઉચિત લાગે ત્યાં સુધી જ બોલવું જોઇએ. અને વિક્ષિત વાતને અનુસરીને જ બોલવું જોઇએ. અન્યથા= જો આવી મર્યાદા ન રખાય અને બોલાય ત્યાં સુધી બોલવું, આમ અમર્યાદિતપણે બોલવાની આ વાદી અને પ્રતિવાદીને છૂટ આપીએ, તો ક્યારેય પણ કથાનો ઉપરમ થાય નહીં. બોલનાર વિષયાન્તરરૂપે પણ ચલાવ્યા જ કરે. જેમકે“શવ્વઃ, અનિત્ય:, ત્રિમા'' આવું અનુમાન કરીને શબ્દપક્ષમાં અનિત્યત્વસાધ્ય સાધવાની ઇચ્છાવાળો કોઇ પુરુષ ‘પ્રત્યેવ='' પહેલાં જ આવી વાતમાં ઉતરી જાય કે સૌથી પ્રથમ નાભિ ભાગમાંથી પ્રયત્ન દ્વારા પ્રેરણા પામેલો પ્રાણ નામનો વાયુ ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગતિ કરતા એવા તે વાયુને ઉ૨ઃ (છાતી) વગેરે સ્થાનોમાંથી કોઇપણ એક સ્થાનમાં પ્રયત્નપૂર્વક ધારણ કરાય છે. એટલે કે અટકાવાય છે. અટકાવાતો એવો તે વાયુ તે સ્થાનને હણે છે. એટલે કે સ્થાનની સાથે અથડાય છે. એટલે તે સ્થાનમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે.' ઇત્યાદિ શિક્ષા સૂત્રમાં જણાવાયેલ શબ્દોની ઉત્પત્તિના સ્થાન વગેરેની પ્રરૂપણા કરવા લાગે. અને વક્તાના મુખથી બોલાયેલો આ શબ્દ શ્રોતાના કર્ણકોટરમાં (કાન રૂપી ખાડામાં) કેવી કેવી રીતે પ્રવેશ કરે છે આવી પ્રવેશ ક્રિયાને જણાવીને પછી કહે કે આવા પ્રકારનો જે આ શબ્દ છે. તે અનિત્ય છે. કૃતક હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy