SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ - ઉત્તર- નિ:સીમા દિસંસારી જીવોને હણનારા (બુદ્ધિભ્રષ્ટ કરનારા) એવા મોહરાજાનો મહિમા (પ્રભાવ) નિઃસીમ (અપાર) છે. કે કોઈક છઘસ્થ વાદી પોતાના આત્માને નિણતતત્ત્વવાળો (મને જે સમજાયું છે તે જ બરાબર તત્ત્વ છે. હું જ બરાબર જાણું છું. આવા પ્રકારનું) માનતો છતો સમગ્ર પદાર્થના પરમાર્થને જાણનારા એવા કેવલી પરમાત્મામાં પણ તે તત્ત્વનો નિર્ણય સમજાવવા માટે પ્રવૃત્તિ કરે છે. તેથી અહીં કંઈ જ અસંભવિત નથી. દુષ્ટ એવો મોહરાજા આવું કામ પણ કરાવે છે. પરંતુ સામે પ્રતિવાદી તરીકે રહેલા કેવલી ભગવાન તો પરમ કૃપારૂપી અમૃતના પૂરથી પુરાયેલા અંત:કરણવાળા હોવાના કારણે તેને (અર્થાત્ તેવા અભિમાની અને મોહબ્ધ આત્માને) પણ અવશ્ય બોધ કરે જ છે. આવું કોણ ન માને ! વાદી તરીકે અભિમાન પૂર્વક વાદ કરવા માટે જ આવેલા ગૌતમસ્વામિજી આદિને કૃપા કરવા પૂર્વક ભગવાન વર્ધમાનસ્વામીએ જેમ પ્રતિબોધ કર્યા, તેમ અહીં સમજવું. માટે છઘી વાદી અને કેવલી પ્રતિવાદી આ માંગો પણ સંભવે જ છે. | ૮-૧૩ __ अवतरण- परोपकारैकपरायणस्य भगवतः केवलिनः सम्भवत्यपि परत्र तत्त्वनिर्णिनीषा, न केवलकलावलोकितसकलवस्तुतया कृतकृत्ये केवलिनि विलसितुमुत्सहत इति प्रथमादीनां त्रयाणामेवाङ्गनियममाहुः तुरीये प्रथमादीनामेवम् ॥८-१४॥ અવતરણાર્થ- પરોપકાર માત્ર કરવામાં પરાયણ એવા ભગવાન કેવલીને પરમાં તત્ત્વનો નિર્ણય કરાવવાની ભાવના જરૂર સંભવે છે. પરંતુ સામે જો કેવલજ્ઞાનની કલા વડે જાણેલી છે, સર્વે વસ્તુઓ જેમણે એવા કેવલી હોવાના કારણે કૃતકૃત્ય બની ચૂકેલા એવા કેવલજ્ઞાની પ્રતિવાદી હોતે છતે સમજાવવાની પ્રવૃત્તિ સંભવતી નથી. તેથી વાદી એવા કેવલીનો પ્રતિવાદી એવા કેવલીની સાથે વાદ સંભવતો નથી. માટે ચોથો ભાંગો શૂન્ય છે. આ કારણે ચાર નંબરમાં કેવલી વાદી જ્યારે હોય ત્યારે પ્રથમના ત્રણ પ્રતિવાદીની સાથે થનારા વાદમાં અંગનિયમ જણાવે છે સૂત્રાર્ચ- ચોથા વાદી (એટલે કે કેવલી એવા વાદી) હોતે છતે પ્રથમાદિ ત્રણ પ્રતિવાદીઓની સાથેના વાદમાં અંગનિયમ આ પ્રમાણે જાણવો. | ૮-૧૪ ___परत्र तत्त्वनिर्णिनीषौ केवलिनि वादिनि, प्रथम-द्वितीयतृतीयानामेवमिति पूर्ववत् प्रथमस्य चतुरङ्गः, द्वितीय-तृतीययोस्तु द्वयङ्ग एव वादो भवतीत्यर्थः ॥ "प्रारम्भकापेक्षतया यदेवमङ्गव्यवस्था लभते प्रतिष्ठाम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy