SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ : સૂત્ર-૭-૮ ૩૬૭ (૪) પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી=બીજાને તત્ત્વ સમજાવનારા પરંતુ ક્ષાયિકજ્ઞાનવાળા અર્થાત્ કેવલજ્ઞાની. વાદી જિગીષ (૧) તત્ત્વનિર્ણિનીષ સ્વાત્મનિ (૨) પ૨ત્ર ક્ષાયોપથમિકલ્લાની (૩) કેવલી (૪) પ્રશ્ન- તત્ત્વનિર્ણિનીષના ૨-૩-૪ એમ પાછલા ત્રણ ભેદો જેમ થાય છે. તેમ જિગીષુવાદીના ભેદ પણ આ રીતે કેમ કરતા નથી ? ઉત્તર- તત્ત્વનિર્ણિનીષના જે ભેદ-પ્રભેદો જણાવ્યા. તે સર્વે ભેદ-પ્રભેદો જિગીષ વાદના થતા નથી. તે આ પ્રમાણે–ધારો કે જિગીષના પણ તત્ત્વનિર્ણિનીષની જેમ ૩ ભેદ કલ્પીએ તો તેમાં જે સ્વાત્મનિ નામનો પ્રથમ ભેદ અને કેવલી નામનો ત્રીજો ભેદ છે તે સંભવી શકતો નથી. કારણકે કોઈપણ પંડિત પુરુષ પોતાના આત્માને જીતવા ઇચ્છતો નથી, તેથી સ્વાત્મનિ ભેદ સંભવતો નથી. તથા કેવલજ્ઞાની વીતરાગ હોવાથી પરનો પરાભવ કરવાને કદાપિ ઇચ્છતા નથી તેથી જિગીષમાં કેવલીનો ભેદ સંભવતો નથી. આ રીતે સ્વાત્મનિ અને કેવલી ભેદો દૂર થતાં પરત્ર તત્ત્વનિર્ણિનીષ લાયોપશમિકશાન-શાલી આ નામવાળો ફક્ત એક જ ભેદ રહે છે. પ્રશ્ન- કોઇ ગૌડ દેશના જિગીષ વાદીઓ, કોઈ દ્રવિડદેશના જિગીષ વાદીઓ આમ દેશભેદથી જિગીષ વાદીઓના પણ ઘણા ભેદો થઈ શકે છે. તે અહીં કેમ કહેતા નથી. ઉત્તર- દેશ-કાલાદિના ભેદથી ઘણા ભેદો થાય છે. પરંતુ રાજ્યસભામાં વાદ કરવામાં આવા ભેદો અંગેના નિયમનો ભેદ સમજવામાં ઉપયોગી નથી. વાદમાં ચાર અંગોનો નિયમ છે. (૧) સભાપતિ, (૨) સભ્યો, (૩) વાદી, અને (૪) પ્રતિવાદી, આ ચાર અંગનિયમમાં આવા દેશ-કાલાદિના ભેદોનું કંઈપણ પ્રયોજન નથી. અને જો આવા ભેદો પાડીએ તો અનંતભેદો થઈ જાય. કોઇ નિયમ જ ન રહે. આમ સમજીને સ્વાત્મનિ અને કેવલી આવા બે ભેદો જિગીષમાં ન સંભવતા હોવાથી શેષથી ક્ષાયોપથમિકશાનશાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy