SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૮ : સૂત્ર-૭-૮ રત્નાકરાવતારિકા ભાગ-૩ સૂત્રાર્થ- આ પરત્ર તત્ત્વનિર્ણિનીષુ વાદી બે પ્રકારના છે. (૧) ક્ષાયોપશમિક જ્ઞાનશાલી અને (ર) કેવલી. II ૮-૮ll ૩૬૬ अयमिति परत्र तत्त्वनिर्णिनीषुर्गुर्वादिः, ज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमेन निर्वृत्तं ज्ञानं मति - श्रुतावधि - मनःपर्यायरूपं व्यस्तं समस्तं वा यस्यास्ति स तावदेकः, द्वितीयस्तु तस्यैव क्षयेण यज्जनितं केवलज्ञानं तद्वान् ॥ વિવેચન— આ પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા ગુર્વાદિ વાદી બે પ્રકારના હોય છે. (૧) ક્ષાયોપશમિક જ્ઞાનશાલી. અને (૨) કેવલી. ત્યાં ક્ષાયોપમિક જ્ઞાનશાલી એટલે કે–જ્ઞાનગુણનું આવરણ કરનારું જે જ્ઞાનાવરણીય કર્મ છે. તે કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલાં જે જ્ઞાનો (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન અને (૪) મન:પર્યવજ્ઞાન આ ચાર જ્ઞાનો સાથે છે જેને, અથવા વ્યસ્ત એટલે ૨-૩ જ્ઞાનો છે જેને એવા જે ગુરુઓ તે પ્રથમ ૫૨ત્ર તત્ત્વનિર્ણિનીષુ જાણવા. સારાંશ કે મતિ-શ્રુતજ્ઞાનવાળા, મતિ-શ્રુત-અવધિ જ્ઞાનવાળા, મતિ-શ્રુત મન:પર્યવજ્ઞાનવાળા, અને મત્યાદિ ચારે જ્ઞાનવાળા ગુરુ આદિ મહાત્માઓ જે હોય તે પ્રથમ પત્ર તત્ત્વનિર્ણિનીષ એટલે કે ક્ષાયોપશમિક જ્ઞાનશાલી જાણવા. તથા આ જ જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થવાથી પ્રગટ થયેલું સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવના વિષયવાળું જે કેવળજ્ઞાન છે. તે જ્ઞાનવાળા જે હોય તે બીજા પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એટલે કે કેવલી પરત્ર તત્ત્વનિર્ણિનીષુ એવા વાદી કહેવાય છે. तदेवं चत्वारः प्रारम्भका ::-નિમીષ:, સ્વાત્મનિ તત્ત્વનિર્જિંનીપુ:, પત્ર તત્ત્વनिर्णिनीषू च क्षायोपशमिकज्ञानशालिकेवलिनाविति । तत्त्वनिर्णिनीषोर्हि ये भेद-प्रभेदाः प्रदर्शिताः, न ते जिगीषो: सर्वेऽपि संभवन्ति । तथाहि न कश्चिद् विपश्चिदात्मानं जेतुमिच्छति । न च केवली परं पराजेतुमिच्छति, वीतरागत्वात् । गौडद्रविडादिभेदस्तु नाङ्गनियमभेदोपयोगी, प्रसञ्जयति चानन्त्यम् इति पारिशेष्यात् क्षायोपशमिकज्ञानशाली परत्र जिगीषुर्भवतीत्येकरूप एवासौ न भेददर्श च परत्र तत्त्वनिर्णि-नीषोर्भेदावुक्तौ न तौ द्वावपि स्वात्मनि तत्त्वनिर्णयेच्छानुपपत्तेः, इति पारिशेष्यात् क्षायोपशमिकज्ञानवानेव स्वात्मनि तत्त्वनिर्णिनीषुर्भवतीत्यसावप्येकरूप एवेति ॥८-८ ॥ । વિવેચન– તે આ પ્રમાણે વાદનો આરંભ કરનારા વાદીઓ કુલ ચાર પ્રકારના હોય છે. (૧) જિગીષ=વિજય મેળવવાની ઇચ્છાવાળા, (૨) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિની=પોતાનામાં તત્ત્વના નિર્ણયની ભૂખવાળા, (૩) પરત્ર તત્ત્વનિર્ણિનીયુ ક્ષાયોપશમિકશાનશાલી= બીજાને તત્ત્વ સમજાવવાની ઇચ્છાવાળા પરંતુ ક્ષાયોપશમિક જ્ઞાનવાળા એટલે કે છદ્મસ્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy