SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૮ સૂત્ર-૪-૫ ૩૬૩ વિષયમાં પોતાને જ બરાબર બોધ મળેલ ન હોવાથી સંદેહાદિ (કાં'તો તે વિષયમાં સંદેહ હોય, અથવા વિપર્યય હોય, અથવા અજ્ઞાન હોય તો તે તે સંદેહ-વિપર્યય અને અજ્ઞાન)ના કારણે તે તે વિષય પૂરતી નષ્ટ થઈ છે ચિત્તવૃત્તિ જેની એવો જે વાદી પોતાના જ આત્મામાં જે તે વિષયક તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો હોય છે. આ વાદીને “સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ” કહેવાય છે. (૨) મારતું બીજા વળી કોઇક જે તે વિષય પોતાને બરાબર સમજાઈ ચૂક્યો હોય. પરંતુ અન્ય જીવોને સમજાવવાનો અનુગ્રહ (ઉપકાર) કરવાની જ એક રસિક્તાવાળો હોય છે. તે “પરત્ર તત્ત્વનિર્ણિનીષ” કહેવાય છે. આ પ્રમાણે આ તત્ત્વનિર્ણિનીષ વાદી બે પ્રકારના છે. આ મૂળ સૂત્રમાં કોઈ ક્રિયાપદ નથી. ત્યાં સર્વત્ર ધાતુનો અર્થ ઋતિ અર્થની સાથે વ્યાપ્ત જાણવો. એટલે “સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ'નો અર્થ પોતાનામાં તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળા, અને “પત્ર તત્ત્વનિર્નિ''નો અર્થ પરમાં તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા, આવો અર્થ સ્વયં સમજી લેવો. . अथ परं प्रति तत्त्वनिर्णिनीषोरप्यस्य तन्निर्णयोपजनने जयघोषणामुद्घोषयन्त्येव सभ्या इति चेत्, ततः किम् ? । जिगीषुता स्यादिति चेत्, कथं यो यदनिच्छुः स तदिच्छुः परोक्तिमात्राद् भवेत् ? । तत् किं नासौ जयमश्नुते ?, बाढमश्नुते । न च तमिच्छति च, अश्नुते चेति किमपि कैतवं तवेति चेत्, स्यादेवम् , यद्यनिष्टमपि न प्राप्येत । अवलोक्यन्ते चानिष्टान्यप्यनुकूलप्रतिकूलदैवोपकल्पितानि जनैरुपभुज्यमानानि शतशः फलानि । तदिदमिह रहस्यम्-परोपकारैकपरायणस्य कस्यचिद् वादिवृन्दारकस्य परत्र तत्त्वनिर्णिनीषोरानुषङ्गिकं फलं जयः, मुख्यं तु परतत्त्वावबोधनम् । जिगीषोस्तु विपर्यय इति ॥ ८-५ ॥ વિવેચન– પરત્ર તત્ત્વનિર્ણિનીષ નામના બીજા વાદીની બાબતમાં કોઈક પ્રશ્ન કરે છે કે પ્રશ્ન–પરને તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા આ વાદી વિવિધ પ્રકારે સુંદર યુક્તિઓ અને ઉદાહરણો દ્વારા તે પર જીવોમાં જ્યારે તત્ત્વનો નિર્ણય ઉત્પન્ન કરે છે. તેનાથી પરજીવો (શિષ્યો) પ્રતિબોધિત થાય છે ત્યારે અતિશય ખુશ ખુશ થયેલા તે શ્રોતાઓ (સભ્યો) કી ગયોષા= આ મહાત્માની જયની ઉદ્ઘોષણા તો કરે જ છે ને ? ઉત્તર- શ્રોતાઓ આ મહાત્માની જયઘોષણા અવશ્ય કરે છે. પરંતુ તતઃ (અ) લિમ્ ? તેથી આ મહાત્માને શું ? શંકા– નિપુત ચાદર્થ તો આ મહાત્માને જય મેળવવાની ઇચ્છા (જિગીષતા) છે એમ શું ન કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy