SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ પરિચ્છેદ-૮ : સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ कमस्तीति विवक्षितम्, किन्तु स्वस्वाभिप्रायानुसरणेन वादिप्रतिवादिनौ ते तथा प्रयुञ्जाते, इति तथैवोक्ते ॥ ८-१ ॥ પ્રશ્ન- જે ધર્મીમાં કોઈપણ એક ધર્મનો નિરાસ કરીને તેનાથી ઇતરધર્મની વ્યવસ્થા કરવા માટે વાદીએ જે સાધનવચન કહ્યું : (તેનાથી વાદીને માન્ય એવા ઇતરધર્મની સિદ્ધિ તો થઈ જ ચૂકી). તો પછી હવે તે જ ધમમાં પ્રતિવાદીનું તેનાથી વિપરીત એવું દૂષણ વચન બોલવું કેમ ઉચિત ગણાય ? કારણકે વાદીએ જ એકધર્મનો નિરાસ કરીને પોતાને માન્ય એવા ઇતરધર્મની તે ધર્મીમાં સાધન વાક્ય વડે સિદ્ધિ તો કરી જ દીધી. તેથી તેને તોડવા પ્રતિવાદીને દૂષણવાક્ય મળે જ કયાંથી ? ઉત્તર–ઉપરોક્ત તમારો પ્રશ્ન ઉચિત નથી. કારણકે વાદી અને પ્રતિવાદી વડે પોતપોતાના અભિપ્રાય તેવા પ્રકારનાં સાધનવચન અને દૂષણવચનો કહેવાયાં છે. પરંતુ તે સઘળાં વચનો સાચાં જ હોય એવો નિયમ નથી. પોતપોતાની બુદ્ધિથી બન્ને એમ માને છે કે મારા વડે બોલાયેલું સાધનવાક્ય કે દૂષણવાક્ય સાચું છે. પરંતુ તેમ બનતું નથી. પહેલાં વાદી પોતાના અભિપ્રાય પ્રમાણે પોતાની વાતને સાધી આપે એવું સાધનવાક્ય બોલે છે. ધારો કે વાદી આવું વાક્ય બોલે કે ડ, નિત્ય , શ્રોત્રમ્રાહત્વત્, શત્વનાતિવત્ આ સાધન વાક્ય બોલતી વખતે વાદી મનમાં એમ માને છે કે મારી વાત સાચી છે. જે જે શ્રોત્રગ્રાહ્ય હોય છે તે તે અવશ્ય નિત્ય હોય જ છે. જેમકે-શબ્દત્યજાતિ. આવા અનુમાનથી મારી સાધ્ધ-સિદ્ધિ થશે જ. માટે મારું બોલાયેલું આ વાક્ય સાધનવાક્ય છે. પરંતુ પ્રતિવાદી આવીને તે જ અનુમાનને (વાદીએ મનમાં ન કલ્પેલી હોય તેવી કલ્પના દ્વારા) પોતાના અભિપ્રાયને અનુસાર દૂષિત કરે છે. જેમકે– શબ્દ, ન નિત્ય, તત્વોત્ (અથવા છતાત્વોષ્ઠસંયોગચવા) પરવત્ (માદારVદિયાવ) મે પ્રતિવાદી પોતાના અભિપ્રાય પ્રમાણે જ્યારે આવું વાક્ય બોલે છે ત્યારે વાદીની ગમે તેટલી સારી વાત હોય તો પણ તેને એકવાર તો દૂષિત કરનારી હોવાથી પ્રતિવાદીનું આ વાક્ય દૂષણવાક્ય કહેવાય છે. એવી જ રીતે વાદીએ કહ્યું કે – “પર્વતો વદ્વિમાન, ધૂમ[િ, માનવત્” ઉપર ઉપરથી જોતાં અને વાદીના અભિપ્રાયને અનુસાર આ વાક્ય સાધ્ય સિદ્ધિ કરનારું હોવાથી સાધનવાક્ય લાગે છે. પરંતુ આ બધું પ્રતિવાદી ન બોલે ત્યાં સુધી જ સારું અને સારું લાગે છે. જ્યારે પ્રતિવાદી બોલવા ઊભો થાય છે. અને કહે છે કે- પર્વતો न वह्निमान्, धूमहेतोः व्यभिचारित्वात् , धूम आकाशे वर्तते, न च तत्र वह्निः, तस्मात् વચમાવે Uવ ધૂમ0 વિદ્યમાનવત્ સામાવત્તિ: છે આવા પ્રકારનું તર્કબદ્ધ જે Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy