SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ આદિ ગણધર ભગવંતો તથા આવા ઘણા પુરુષો મહાન એવી તીર્થકરપણાની બાહ્યલક્ષ્મીનું ભાજન નથી બન્યા, વળી ઇતર એવા અનેક ક્ષત્રિય પુરુષો ચક્રવર્તીવાસુદેવ-પ્રતિવાસુદેવ આદિ બાહાલક્ષ્મીનું ભાન નથી બન્યા, તો તેઓને પણ અમહદ્ધિક માનીને અપકર્ષવાળા માનવાથી તેમાં પણ મુક્તિનો અભાવ જ સ્વીકારવો પડશે. સારાંશ કે જ્યાં જ્યાં બાહ્યઋદ્ધિનો અભાવ હોય ત્યાં ત્યાં મુક્તિ પ્રાપ્તિનો પણ અભાવ હોય આવો નિયમ રહેતો નથી. | દિગંબર જૈ–પુરુષવર્ગની અંદર જે આ તીર્થંકરપણાની મહાન્ સમૃદ્ધિ છે. તે સમૃદ્ધિ સ્ત્રીઓમાં નથી, માટે સ્ત્રીઓ અમહદ્ધિક છે. આમ, અમે તે સ્ત્રીઓનું અમહર્ષિકપણું તીર્થંકરપણાની લક્ષ્મીને આશ્રયી કહીએ છીએ. શ્વેતાંબર જૈન–આમ કહેશો તો પણ અસિદ્ધતાદોષ આવે છે. ઉત્કૃષ્ટ પુણ્યના પાત્રભૂત બનેલી કેટલીક સ્ત્રીઓમાં તીર્થકરપણાની સમૃદ્ધિ માનવામાં પણ કંઈ વિરોધ નથી. “સ્ત્રીપણાની સાથે તીર્થંકરપણાનો વિરોધ જ આવે” તેવા પ્રકારના વિરોધને સિદ્ધ કરનારું કોઈ સાધક પ્રમાણ નથી. અને હાલ જે ચાલુ અનુમાન તમારું (દિગંબરોનું) કરેલું છે કે “સ્ત્રીuri ન મોક્ષ, પુષ્યઃ દીનત્વત, નપુંસાવિત્'' અને તેમાં જે હેતુ કહ્યો છે. તે સિદ્ધ થઈ ચૂકેલો નથી. વિવાદાસ્પદ છે. અર્થાત્ પુરુષો કરતાં સ્ત્રીઓની હીનતા તમે ભલે શબ્દથી કહી, પરંતુ સિદ્ધ થઈ ચૂકી નથી, અમારો તેમાં વિવાદ છે. આ સિવાય અન્ય બીજું કોઇ અનુમાન તો છે જ નહીં. માટે સ્ત્રીઓ પુરુષોથી હીન સિદ્ધ થતી ન હોવાથી તીર્થંકરપણાની લક્ષ્મી પણ તેઓને કેમ ન હોઈ શકે ! અર્થાત્ બાહ્યઋદ્ધિથી પણ તેઓ મહદ્ધિક છે. અમહદ્ધિક નથી. मायादिप्रकर्षवत्त्वेनेत्यप्यशस्यम्, तस्य स्त्रीपुंसयोस्तुल्यत्वेन दर्शनाद्, आगमे च श्रवणात्, श्रूयते हि चरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षत्वम् । तन्न पुरुषेभ्यो हीनत्वं स्त्रीनिर्वाणनिषेधे साधीयान् हेतुः ॥ સ્ત્રી માયા આદિ (કષાયો)ના પ્રકર્ષવાળી છે. માટે પુરુષોથી હીન છે આ વાત પણ ઉચિત નથી. માયા આદિ કષાયોની તીવ્રતા તો સ્ત્રીઓમાં અને પુરુષોમાં એમ બન્નેમાં તુલ્યપણે દેખાય છે. અને આગમમાં પણ સંભળાય છે કે ચરમશરીરી એવા પણ નારદ-આદિમાં માયાદિ કષાયોનું પ્રકર્ષવાળાપણું છે. પરસ્પર લડાવવાની, સ્ત્રીઓનું અપહરણ કરાવવાની માયા કરે છતાં તે જ ભવે મોક્ષે જાય આવું પુરુષોમાં બને છે. તો સ્ત્રીઓમાં પણ માયા હોય છતાં મોક્ષપ્રાપ્તિ કેમ ન થાય ? તેથી માયાદિવ7 હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy