SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ ૩૪૭ પણ પુરુષોથી હીનત્વ સિદ્ધ કરતો નથી. આ રીતે સ્ત્રીઓને નિર્વાણનો નિષેધ કરવામાં “પુરુષેખ્યો હીનત્વ" આ હેતુ સફળ બનતો નથી. __ यत् पुनः-निर्वाणकारणं ज्ञानादिपरमप्रकर्षः स्त्रीषु नास्ति, परमप्रकर्षत्वात्, सप्तमपृथ्वीगमनकारणाऽपुण्यपरमप्रकर्षवत्, इति तेनैवोक्तम् । तत्र मोहनीयस्थितिपरमप्रकर्षेण स्त्रीवेदादिपरमप्रकर्षेण च व्यभिचारः । नास्ति स्त्रीणां मोक्षः, परिग्रहवत्त्वात्, गृहस्थवद्, इत्यपि न पेशलम् , धर्मोपकरणचीवरस्यापरिग्रहत्वेन प्रसाधितत्वात् , इति स्त्रीनिर्वाणे संक्षेपेण बाधकोद्धारः ॥ “સ્ત્રીઓમાં મુક્તિ નથી” આવા પ્રકારનાં મુક્તિના નિષેધને સાધનારાં જે જે અનુમાન પ્રમાણો દિગંબરોએ કહ્યાં છે. તે સર્વે અનુમાનો દોષિત છે. તેમાંનું (૧) અનુમાન “ પુગ્યો દીનત્વ7” હેતુથી તેઓએ જે કહ્યું હતું તે તો ખંડિત કર્યું. હવે તેઓ આવા પ્રકારનું (૨) બીજું અનુમાન કહે છે કે–“સ્ત્રીઓમાં નિર્વાણનું કારણ બને એવો જ્ઞાનાદિગુણોનો (રત્નત્રયીનો) પરમપ્રકર્ષ સંભવતો નથી. પરમપ્રકર્ષ હોવાથી, સાતમી નરકપૃથ્વીમાં ગમનના કારણભૂત એવા અપુણ્ય (પાપ)રૂપ પરમપ્રકર્ષની જેમ “આવા પ્રકારનું અનુમાન તેઓ વડે કહેવાય છે. ત્યાં વ્યભિચાર (અનૈ કાતિક હેત્વાભાસ) થવાનો દોષ આવે છે. કારણકે મોહનીયકર્મની ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ બાંધવાનો પરમપ્રકર્ષ, તથા સ્ત્રીવેદાદિ કર્મો બાંધવાનો પરમપ્રકર્ષ સ્ત્રીઓમાં હોય છે. એટલે જે જે પરમપ્રકર્ષરૂપ હોય, તે તે સ્ત્રીઓમાં ન હોય આવું બનતું નથી. માટે તેઓનો “પરમપ્રર્વત્વાત્' આ હેતુ પણ વ્યભિચાર યુક્ત છે. તથા તેઓ આવા પ્રકારનું (૩) ત્રીજું બાધક અનુમાન તેઓના શાસ્ત્રોમાં ટાંકે છે કે–“સ્ત્રીઓને મોક્ષ નથી, પરિગ્રહવાળી હોવાથી, ગૃહસ્થની જેમ” આ અનુમાન પણ પેશલ (નિર્દોષ) નથી. ચીવરાદિનું જે ગ્રહણ છે. તે બ્રહ્મચર્યાદિ પાળવારૂપ ધર્મનું ઉપકરણ હોવાથી અપરિગ્રહ છે. આ વાત અમે પહેલાં જણાવી ગયા છીએ. આ પ્રમાણે (૧) પુરુષેગ્ય: દીનત્વ[, (૨) પરમર્પિત્નીતુ, (૩) પ્રવક્વાન્ ઇત્યાદિ જે જે અનુમાનો સ્ત્રીઓમાં મુક્તિના બાધક તરીકે દિગંબર સંપ્રદાયમાં કહેલાં છે. તે તે બાધક અનુમાનોનો ઉદ્ધાર કર્યો (દૂર કર્યા) साधकोपन्यासस्तु-मनुष्यस्त्री काचिद् निर्वाति, अविकलतत्कारणत्वात्, पुरुषवत् । निर्वाणस्य हि कारणमविकलं सम्यग्दर्शनादिरत्नत्रयम्, तच्च तासु विद्यते एवेत्यादित एवोक्तम्, इति नासिद्धमेतत् । विपक्षाद् नपुंसकादेरत्यन्तव्यावृत्तत्वाद् न विरुद्धमनैकान्तिकं वा । तथा मनुष्यस्त्रीजातिः कयाचिद् व्यक्त्या मुक्त्यविकलकारणवत्या तद्वती, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy