SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ ૩૪પ શ્વેતાંબર જૈન- જો આવો બચાવ કરો છો, તો પહેલેથી જ આ હેતુમાં તમારે “પુરુષ” આવું વિશેષણ મૂકવું જોઇએ. તેથી હેતુ બરાબર ન હોવાથી દોષિત છે. વળી “પુરુષ” વિશેષણ મૂકશો તો પણ અસિદ્ધતા દોષ લાગશે. કારણકે વારતવીતરાગ પરમાત્માનાં આગમોનાં રહસ્યો જાણવાથી વાસિત થઇ છે શારીરિક સાતે ધાતુઓ જેની એવી અર્થાત્ વીતરાગપ્રભુની વાણીથી રંગાયેલું છે હૃદય જેનું એવી તથા વૈરાગ્ય-સંવેગ અને નિર્વેદાદિ ગુણોથી ભરપૂર એવી કેટલીક સ્ત્રીઓને ક્યારેક તેવા પ્રકારનો અવસર આવે ત્યારે અતિશય ઉશૃંખલા બનેલી મોહની પ્રવૃત્તિને પરાધીન બનેલા સાધુ-સંતોને સ્મારણાદિ કાર્ય કરવામાં વિરોધ નથી. ક્યારેક ક્યારેક સાધ્વીજી પણ સાધુની શાન ઉપદેશથી ઠેકાણે લાવે છે. હંસ અને પરમહંસ નામના બે શિષ્યોના કાલધર્મના કારણે બૌદ્ધો ઉપર અત્યન્ત ગુસ્સામાં આવનારા પૂજ્યશ્રી હરિભદ્રસૂરિજી મ. સા.ની ક્રોધાવેશવાળી શાન યાકિની નામનાં સાધ્વીજી મહારાજશ્રીએ જ ઠેકાણે લાવી હતી. જેના કારણે પૂજ્યશ્રી હરિભદ્રસૂરિજી પોતાના બનાવેલા સર્વે પણ ગ્રંથોમાં “યાકિની-મહત્તરાસૂનુ” લખે છે. ___अथामहर्द्धिक त्वेन स्त्रीणां पुरुषेभ्योऽपकर्षः । सोऽपि किमाध्यात्मिकी समृद्धिमाश्रित्य, बाह्यां वा । नाऽऽध्यात्मिकीम्, सम्यग्दर्शनादिरत्नत्रयादेस्तासामपि सद्भावात् । नापि बाह्याम्, एवं हि महत्यास्तीर्थकरादिलक्ष्या गणधरादयः, चक्रधरादिलक्ष्म्याश्चेतरक्षत्रियादयो न भाजनम्, इति तेषामप्यमहर्द्धिकत्वेनापकृष्यमाणत्वाद् मुक्त्यभावो भवेत् । अथ याऽसौ पुरुषवर्गस्य महती समृद्धिस्तीर्थकरत्वलक्षणा, सा स्त्रीषु नास्तीत्यमहर्द्धिकत्वमासां विवक्ष्यते । तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासाञ्चित् तीर्थकृत्त्वाविरोधात्, तद्विरोधसाधकप्रमाणस्य कस्याऽप्यभावात् , एतस्याऽद्यापि विवादास्पदत्वात् , अनुमानान्तरस्य चाभावात् ॥ હવે કદાચ દિગંબરો અહીં આમ કહે કે “સ્ત્રીઓ અમહર્થિક છે” તેના કારણે પુરુષોથી અપકર્ષવાળી છે. તો અમે શ્વેતાંબરો તે દિગંબરને પૂછીએ છીએ કે સ્ત્રીઓમાં શું આધ્યાત્મિક સમૃદ્ધિને આશ્રયીને અમહદ્ધિકતા કહો છો કે બાહ્ય ભૌતિક સમૃદ્ધિને આશ્રયીને અમહર્તુિક્તા કહો છો ? હવે જો પહેલો પક્ષ કહો તો એટલે કે સ્ત્રીઓમાં આધ્યાત્મિક સમૃદ્ધિને આશ્રયી “અમહદ્ધિકપણું” છે, આમ જો કહો તો તે ઉચિત નથી. કારણકે સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ તે સ્ત્રીઓમાં પણ હોય છે. આ વાત હમણાં પૂર્વે જ સિદ્ધ કરી છે. આ રીતે રત્નત્રયીની યેષ્ઠતા સ્ત્રીઓમાં પણ સંભવે છે. માટે આધ્યાત્મિક ઋદ્ધિથી તો તે મહર્તિક હોઈ શકે છે. હવે જો બાહ્યઋદ્ધિને આશ્રયી અમહદ્ધિક કહો તો તે પણ ઉચિત નથી. કારણકે ગૌતમસ્વામી ૪૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy