SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ અપકર્ષનું કારણ કહો છો ? જો પ્રથમ પક્ષ કહો તો એટલે કે સર્વે સ્ત્રીઓ માત્ર સર્વ પુરુષમાત્રથી અવંદનીય છે આમ કહો તો તે વાત અસિદ્ધતા દોષવાળી છે. કારણકે તીર્થંકર પરમાત્માની માતાઓ સ્ત્રીઓ જ છે. છતાં ઇન્દ્ર જેવા મોટા દેવોથી પણ વંદનીય બની છે. ઇન્દ્રાદિ દેવો તીર્થંકર પ્રભુની માતાને અનેકવાર નમ્યા છે. તો શેષ સામાન્ય પુરુષોવડે તો સ્ત્રીઓ વંદનીય હોય તેમાં આશ્ચર્ય શું ? બીજો પક્ષ કહો તો એટલે કે ગુણાધિક પુરુષો વડે સ્ત્રીઓ અવંદનીય છે માટે અપકર્ષવાળી છે. આ વાત પણ તમારી દોષવાળી છે. કારણકે શિષ્યો પણ આચાર્યો વડે (ગુણાધિક હોવાથી) વંદન કરાતા નથી. અર્થાત્ અવંદનીય છે. તેથી તે શિષ્યો પણ તે ગુણાધિક એવા આચાર્યોથી અપકર્ષવાળા હોવાના કારણે મુક્તિ પ્રાપ્ત કરનારા ન બનવા જોઇએ. પરંતુ એમ થતું નથી. ચંડરુદ્ર આદિ આચાર્યોના શિષ્યોની તે મુક્તિ થઇ છે આમ શાસ્ત્રમાં સંભળાય છે. આ રીતે “પુરુષાનભિવર્ધીત્વ” આ મૂલહેતુ વ્યભિચારવાળો છે. एतेन स्मारणाद्यकर्तृत्वमपि प्रतिक्षिप्तम् । अथ पुरुषविषयं स्मारणाद्यकर्तृत्वमत्र विवक्षितं, न तु स्मारणाद्यकर्तृत्वमात्रम्, न च स्त्रियः कदाचन पुंसां स्मारणादीन् कुर्वन्तीति न व्यभिचार इति चेत् तर्हि पुरुषेतिविशेषणं करणीयम् । करणेऽप्यसिद्धतादोषः, स्त्रीणामपि कासाञ्चित् पारगतागमरहस्यवासितसप्तधातूनां क्वापि तथाविधावसरे समुच्छृङ्खलप्रवृत्तिपराधीनसाधुस्मारणादेरविरोधात् ॥ આ પ્રમાણે- “સ્મરણાદિનું અદ્ભૂત્વ” પણ ખંડિત થયેલુ જાણવું. અર્થાત્ સ્ત્રીઓ સ્મારણાદિ (સારણા-વારણા-ચોયણા અને પરિચોયણા) કરતી નથી માટે પુરુષોથી અપકર્ષવાળી છે. આ વાત પણ ઉચિત નથી. કારણકે માષતુષ મુનિ જેવા સામાન્ય ઘણા મુનિઓ પણ સ્મારણા આદિ કાર્ય નથી કરતા, છતાં અપકર્ષવાળા નથી. મુક્તિ પ્રાપ્ત કરી જ છે. તેથી તમારી આ દલીલ પણ બરાબર નથી. દિગંબર જૈન–“સ્ત્રીઓ સ્મારણાદિ કાર્ય કરતી નથી” એવી દલીલ અમે જે કરીએ છીએ ત્યાં પુરુષવિષયક જ સ્મારણાદિનું અદ્ભૂત્વ અમે વિરહ્યું છે પરંતુ સામાન્યથી સ્મારણાદિનું અકર્તૃત્વમાત્ર વિવર્યું નથી. સારાંશ કે સ્ત્રીઓ પુરુષોને આશ્રયી સ્મારણાદિ કાર્ય ક્યારેય પણ કરતી નથી. (પરંતુ સ્ત્રીઓ સ્ત્રીઓને તો સ્મારણાદિ કાર્ય કરે. તેથી સર્વથા અકર્તૃત્વ અમે કહેતા નથી) આવી વિવક્ષા અમારી હોવાથી અમને કોઇ વ્યભિચાર આવતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy