SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ अनुपस्थाप्यतापाराञ्चितकशून्यत्वेनेत्यप्ययुक्तम्, यतो न तन्निषेधाद् विशिष्टसामर्थ्याभावः प्रतीयते । योग्यतापेक्षो हि चित्रः शास्त्रे विशुद्ध्युपदेशः । उक्तं च—‘“संवरनिर्जररूपो बहुप्रकारस्तपोविधिः शास्त्रे । रोगचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारी ॥१॥" ૩૪૩ ચૌદપૂર્વનું શ્રુતજ્ઞાન સ્ત્રીઓમાં હોતું નથી. માટે કેવળજ્ઞાન પણ સંભવતું નથી. આવો તર્ક લગાવીને અલ્પશ્રુતપણું છે. માટે સ્ત્રીઓમાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય નથી આમ કહેવું પણ ઉચિત નથી. કારણકે મુક્તિની પ્રાપ્તિ થયેલી હોવાથી અનુમાન કરાયું છે વિશિષ્ટસામર્થ્ય જેમાં એવા માતુષ મુનિ આદિ મહાત્માઓની સાથે જ વ્યભિચાર આવે છે. તેથી મુક્તિના વિશિષ્ટસામર્થ્યના અભાવમાં કારણ તરીકે અલ્પશ્રુતત્વ ઉદ્ઘોષણા કરવા યોગ્ય નથી. સ્ત્રીઓમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિતતા જેવાં મહાપ્રાયશ્ચિત્તોની શૂન્યતા છે. માટે મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય નથી. આમ આ બે પ્રાયશ્ચિત્તની શૂન્યતાને હેતુ કહેવો તે પણ અયુક્ત છે. કારણકે, તે બે પ્રકારના પ્રાયશ્ચિત્તના નિષેધથી વિશિષ્ટ સામર્થ્યનો અભાવ પ્રતીત થતો નથી. કારણકે દોષ સેવનારા જીવોમાં વિશુદ્ધિ લાવવાનો ઉપદેશ શાસ્ત્રની અંદર યોગ્યતાની અપેક્ષાએ ચિત્ર-વિચિત્ર કહ્યો છે. જેમ આ કાળે પણ સમાન અતિચાર સેવનારા જીવોને પણ યોગ્યતાની અપેક્ષાએ ભિન્ન-ભિન્ન પ્રાયશ્ચિત્ત અપાય છે. તેમ સ્ત્રીઓમાં આ બે પ્રકારનાં પ્રાયશ્ચિત્ત ન હોવા છતાં મુક્તિ-પ્રાપ્તિનું સામર્થ્ય હોઇ શકે છે. કહ્યું છે કે— જેમ રોગ વિશેષને દૂર કરવા માટે ચિકિત્સાવિધિ બહુ પ્રકારની છે. તેમ સંવર, નિર્જરા રૂપ તપવિધિ પણ શાસ્ત્રમાં બહુ પ્રકારની છે. પણ કોઇ કોઇ જીવોને કોઇ કોઇ વિધિ ઉપકારી બને છે. માટે જેને જે ઉપકારી બને તેને તે કહેવાય. पुरुषानभिवन्द्यत्वमपि योषितां नापकर्षाय, यतस्तदपि सामान्येन, गुणाधिकपुरुषापेक्षं वा । आद्येऽसिद्धतादोषः, तीर्थकरजनन्यादयो हि पुरन्दरादिभिरपि प्रणताः, किमङ्ग ! शेषपुरुषै: ? । द्वितीये तु शिष्या अप्याचार्यैर्नाभिवन्द्यन्त एवेति तेऽपि ततोऽपकृष्यमाणत्वेन निर्वृतिभाजो न भवेयुः, न चैवम्, चण्डरुद्रादिशिष्याणां शास्त्रे तच्छ्रवणादिति मूलहेतोर्व्यभिचारः ॥ Jain Education International “પુરુષો દ્વારા અવંદનીયતા' આ પણ સ્ત્રીઓના અપકર્ષનું કારણ નથી. કારણકે તે અવંદનીયતા સામાન્યથી કહો છો કે ગુણાધિક પુરુષોથી અવંદનીયતા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy