SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭ स्वरूपैकप्रतिष्ठानः परित्यक्तोऽखिलैर्गुणैः ॥६॥ ऊर्मिषट्कातिगं रूपं तदस्याहुर्मनीषिणः । સંસાર વન્થનાથીન-૩:વૃવત્નેશ દદૂષિતમ્ ' ऊर्मय: कामक्रोधमदगर्वलोभदम्भाः । "પ્રાપણી ક્ષત્પિપાસે દે મન: શોમૂતે | जरामृत्यू शरीरस्य षडूमिरहित: शिवः ॥१॥" इति तु पुराणे ॥ હવે કોઈ વાદી કદાચ એવો પ્રશ્ન કરે કે સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા એમ બંને ભાવો છે કારણ જેમાં એવી મુક્તિ ભલે હો. સારાંશ કે મુક્તિની પ્રાપ્તિમાં સમ્યગ્રજ્ઞાન અને ક્રિયા આ બન્ને સાપેક્ષપણે કારણ છે. આ વાત તો બરાબર ઉચિત છે. (સય જ્ઞાનયિાખ્યાં આ પદનું વિવેચન પૂર્ણ થયું.) પરંતુ બુદ્ધિ આદિ આત્માના જે નવ વિશેષ ગુણો છે. તેનો જે અત્યન્ત ઉચ્છેદ થાય તે સ્વરૂપ જ મુક્તિ છે. આમ સ્વીકારવું ઉચિત છે. અર્થાત્ બુદ્ધિ આદિ નવ આત્મવિશેષગુણોના ઉચ્છદ રૂપ જ મુક્તિ છે. પરંતુ સર્વ કર્મોના ક્ષય સ્વરૂપ મુક્તિ નથી. (હવે નર્મક્ષયસ્વરૂપ આ પદનું વિવેચન સમજાવવા માટે પ્રશ્ન કરે છે) આ વાત અનુમાનથી સિદ્ધ થાય છે. માટે નવગુણોના ક્ષય રૂપ જ મુક્તિ સ્વીકારવી જોઇએ. તે અનુમાન પ્રયોગ પણ આ પ્રમાણે છે (બુદ્ધિ આદિ) આત્માના નવ વિશેષગુણોનું જે સત્તાન છે. (ધારાવાહી પરંપરા છે.) તેનો અત્યન્ત ઉચ્છેદ થાય છે. (પ્રતિજ્ઞા), સત્તાન (પરંપરા) હોવાથી, (હેતુ), જે જે સંતાન (પરંપરા) હોય છે. તે તે અત્યન્ત ઉચ્છેદ પામે જ છે. (અન્વયવ્યાતિ), જેમ દીપકનું સંતાન, દીપકની ધારાવાહી જ્યોત, (ઉદાહરણ), આત્માના નવ વિશેષગુણોનું આ સંતાન પણ તેવું જ છે. (ઉપનય), તે કારણથી (સંતાન રૂપ હોવાથી) તેનો પણ અત્યન્ત ઉચ્છેદ થાય જ છે. (નિગમન). ઉપરોક્ત અનુમાનથી નવગુણોના અત્યન્ત ઉચ્છેદ ૩૫ મુક્તિ માનવી જોઇએ, પરંતુ સર્વકર્મોના ક્ષયાત્મક જૈનદર્શનને માન્ય મુક્તિ ન સ્વીકારવી જોઇએ. જેમ ઉપરોક્ત અનુમાનથી નવ ગુણોના ક્ષયાત્મક મુક્તિ અને સિદ્ધ કરી. તે જ રીતે તેવી મુક્તિને સમજાવનારાં આગમ પ્રમાણો પણ શાસ્ત્રોમાં મળે છે. તે આગમપ્રમાણો આ પ્રમાણે છે. ‘ર હૈ સીરા રૂદ્રિ શરીર સહિત વસતા એવા આત્માને (એટલે કે સંસારી આત્માને) પ્રિય-અપ્રિયનો (પુણ્ય-પાપાત્મક ધર્મ-અધર્મનો) વિનાશ હોતો નથી. અને અશરીરપણે (મુક્તિમાં) વસતા આત્માને પ્રિય-અપ્રિય (ધર્મ અને અધર્મ) સ્પર્શતા નથી' ઇત્યાદિ પાઠોવાળાં વેદાતશાસ્ત્રો પણ તેવી જ મુક્તિને (ધર્મ-અધર્મ આદિ આત્માના નવ ગુણોના ક્ષયવાળી મુક્તિને) જ સમજાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy