SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ ૩૧૩ થાય એ મુક્તિનું કારણ નથી. કારણકે સર્વ કર્મ રહિત અત્યન્ત શુદ્ધ અવસ્થાની અશરીરીપણે જે પ્રાપ્તિ થવી. તેને જ મુક્તિ ઇશ્કેલી છે. તેની જ વિવક્ષા કરેલી છે, પરંતુ તેરમા-ચૌદમા ગુણસ્થાનકે બીરાજમાન અને સશરીરીપણે ભૂમિ ઉપર વિચરતા એવા સામાન્ય કેવલી કે તીર્થકર કેવલી ભગવતો જે છે તે જીવો માત્ર ચાર ઘાતી કર્મોના ક્ષયજન્ય અધમુક્તિ પામ્યા છે. અને જેને “જીવનમુક્તિ” કહેવાય છે. તે અહીં લીધી નથી. તેની વિવા અહીં કરેલી નથી. સારાંશ કે જે પરમાત્મા જીવંત હોવા છતાં ચાર ઘાતકર્મોના ક્ષયવાળા હોવાથી કેવલજ્ઞાનાદિ પામેલા છે. અને અવશ્ય મુક્તિ પામવાના જ છે. તે જીવનમુક્ત આત્માઓ અહીં અનભીસિત છે. તેવા આત્માઓની અહીં વિવક્ષા કરી નથી. તે જણાવવા નર્મક્ષયસ્વરૂપા કહી છે. તથા જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય આદિ આઠ પ્રકારનાં જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ કર્મો સ્વરૂપ “અષ્ટ છે. તેનો જ સર્વથા ક્ષય કરવા સ્વરૂપ મુક્તિ છે, પરંતુ તૈયાયિકાદિ દર્શનકારોએ માનેલ બુદ્ધિ આદિ ગુણોના ક્ષય સ્વરૂપ મુક્તિ અહીં લેવાની નથી. કારણકે ગુણો મેળવવા માટે તો મુક્તિ મેળવીએ છીએ પરંતુ ગુણોનો ક્ષય કરવા માટે મુક્તિ મેળવવાની હોતી નથી તથા બૌદ્ધદર્શનકારોએ માનેલી ધારાવાહી જ્ઞાન માત્રની પરંપરાનો જે નાશ તે જ મુક્તિ. આવી મુક્તિ પણ અહીં સમજવાની નથી. તથા ક્ષય પણ સામત્યેન=સંપૂર્ણપણે કર્મોનો નાશ એ જ સ્વરૂપ છે જેનું એવી મુક્તિ છે. અર્ધા કર્મોનો ક્ષય થાય અને અર્ધા કર્મો બાકી રહે તેવી મુક્તિ નથી. અથવા બધાં જ કર્મોનો ક્ષય થાય પણ ફરીથી પાછાં બંધાય તેવો પણ ક્ષય લેવાનો નથી. એટલે આત્મત્તિક અને ઐકાન્તિક કર્મોના ક્ષયવાળી આ મુક્તિ છે. આ પ્રમાણે કૃમ્ન, કર્મ, અને ક્ષય પદો લખવાથી નૈયાયિક અને બૌદ્ધાદિ વડે કલ્પાયેલી મુક્તિનો પ્રતિષેધ થયેલો જાણવો. ત્ન= શબ્દથી ચાર અઘાતી કર્મોવાળા જીવન મુક્તનો નિષેધ કર્યો. ક્ર = શબ્દથી બુદ્ધયાદિના ક્ષયવાળી નૈયાયિકને માન્ય મુકિતનો, અને જ્ઞાનધારામાત્રના ક્ષયવાળી બૌદ્ધકલ્પિત મુક્તિનો નિષેધ કર્યો. - આત્મત્તિક અને ઐકાન્તિક ક્ષય વિનાની મુક્તિનો નિષેધ કર્યો. આવા પ્રકારની સિદ્ધિ એટલે કે મુક્તિ થાય છે. इह केचिज्ज्ञानादेव मोक्षमास्थिषत, तथा ते ब्रुवते-सम्यग्ज्ञानमेव फलसंपादनप्रत्यलम्, न क्रिया, अन्यथा मिथ्याज्ञानादपि क्रियायां फलोत्पादप्रसङ्गात् । ४० Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy