SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ यदुक्तम्-"विज्ञप्तिः फलदा पुंसां न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंवाददर्शनात् ॥१॥" તથા–“શ્રિય: પ્રસૂતે વિપક્વો દ્ધ યાસિ ટુ મત્તિનું પ્રમાષ્ટિ ! संस्कारशौचेन परं पुनीते शुद्धा हि बुद्धिः कुलकामधेनुः ॥१॥" “ જ્ઞાથિમ્યા' આ મૂલસૂત્રગત પદનું વિવેચન સમજાવે છે. અહીં કેટલાક લોકો કેવળ એકલા જ્ઞાનમાત્ર વડે જ મુક્તિ થાય એમ માને છે. અને બીજા કેટલાક લોકો કેવળ એકલી ક્રિયા માત્ર વડે જ મુક્તિ થાય એમ માને છે. તે બન્નેના એકાન્ત મતો ઉચિત નથી. તે સમજાવવા ચર્ચા શરૂ કરે છે. ત્યાં પ્રથમ જ્ઞાનમાત્રથી જ મુક્તિ માનનારા દર્શનકારો આ રીતે પોતાનો પક્ષ રજુ કરે છે કે- જ્ઞાનમેવ પત્નસંપનિuત્નમ્ “સમ્યજ્ઞાન માત્ર જ” ફળ આપવામાં સમર્થ છે. પરંતુ ક્રિયા ફળ આપવામાં સમર્થ નથી. જો ક્રિયાથી મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થતી હોત તો મિથ્યાજ્ઞાન પૂર્વકની કરાયેલી ક્રિયાથી પણ મુક્તિ પ્રાપ્તિ રૂપ ફલોત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. કારણકે શાસ્ત્રોમાં કહ્યું છે કે “શાસ્ત્રોમાં વિજ્ઞાન જ પુરુષોને ફળ આપનાર માન્યું છે. પરંતુ ક્રિયા ફળ આપનારી માની નથી. કારણકે મિથ્યાજ્ઞાન પૂર્વક પ્રવર્તેલાને ક્રિયા માત્રથી ફળ પ્રાપ્તિની વિસંવાદિતા દેખાય છે. તથા” શુદ્ધ એવી બુદ્ધિમાત્ર (એટલે જ્ઞાનમાત્ર જ) લક્ષ્મીને આપે છે. વિપત્તિનો નાશ કરે છે. યશની પુષ્ટિ કરે છે. મલીનતા (અપવિત્રતા)ને દૂર કરે છે. અને સંસ્કારો રૂપી પવિત્રતા વડે જીવને અત્યન્ત પવિત્ર કરે છે. અથવા અન્યને પણ પવિત્ર કરે છે. શુદ્ધબુદ્ધિ આવા સ્વરૂપવાળી છે તેથી ખરેખર આ શુદ્ધ-બુદ્ધિ એ પોતાના કુલની કામધેનુ ગાય જ છે. અહીં પ્રસૂતે, દુધે વગેરે શબ્દપ્રયોગો કરીને ગાયમાં સંભવતા ધર્મો બુદ્ધિમાં પણ સંભવે છે, એમ કહીને બુદ્ધિને કામધેનુની ઉપમા આપી છે. આ પ્રમાણે જ્ઞાનવાદીનો આ પૂર્વપક્ષ સમજાવ્યો. હવે ક્રિયાવાદીનો પૂર્વપક્ષ સમજાવે છે. क्रियावादिनस्तु वदन्ति-क्रियैव फलहेतुर्न ज्ञानम् , भक्ष्यादिविज्ञानेऽपि क्रियामन्तरेण सौहित्यादिफलानुत्पादात् । यदवाचि-"क्रियैव फलदा पुंसां न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभक्ष्यभोगज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥१॥" तथा-"शास्त्राण्यधीत्याऽपि भवन्ति मूर्खा यस्तु क्रियावान् पुरुषः स विद्वान् । संचिन्त्यतामौषधमातुरं हि न ज्ञानमात्रेण करोत्यरोगम् ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy