SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬ ३०८ સમૂહથી બળી ગયેલું હોવાથી ભસ્મરૂપ બનેલ છે. આ કારણે અપાન્તરાલગતિમાં તે પ્રાચીનભવના ભૂતાત્મક શરીરનો તો સર્વથા અભાવ હોવાથી તે શરીરપૂર્વક આ શરીરની રચના સંભવતી નથી. નાસ્તિ—અતીતભવનું ભૂતાત્મક શરીર બળી ગયું છે. અને અદૃષ્ટ નામનું તૈજસ-કાર્પણ શરીર ધારો કે ન માનીએ અને ગયા ભવથી છુટેલો આ આત્મા અશરીરી જ છે. અને અહીં આવીને બાલ્યાવસ્થાનું નવું શરીર બનાવે છે. એમ જ માની લઇએ તો શું દોષ ? જૈન ન ચારિનો- મૃત્યુ પામ્યા બાદ આ આત્મા સર્વથા શરીરથી મુક્ત છે એમ જો માનીએ તો નિશ્ચિતસ્થાને જ ગર્ભ ધારણ કરવાપણું, નિશ્ચિત દેશમાં જ જવાં પણું, નિશ્ચિંતસ્થાનની જ પ્રાપ્તિ થવી. ઇત્યાદિ વ્યવસ્થિત પ્રાપ્તિ પૂર્વક શરીરનું ગ્રહણ ઘટી શકે નહીં. કારણકે તેનું નિયામક કારણ (આવી વ્યવસ્થિત વ્યવસ્થા કરે તેવું કારણ) કોઇ જ નથી. નાસ્તિક તેવા પ્રકારનો સ્વભાવ જ નિયામક છે. એમ જ માની લઇએ. જૈન– સ્વભાવને નિયામક કારણ સ્વીકારવું આ વાત સંભવતી નથી. આ વિષય પહેલાં જ ચારપક્ષો પાડીને ખંડિત કરેલો છે. તેથી જે શરીરપૂર્વક આ બાલ્યાવસ્થાનું શરીર બન્યું છે તે કર્મમય=કાર્યણશરીર છે. અને એ પૌદ્ગલિક જ છે. અદૃષ્ટ જ છે. તથા તે પૌદ્ગલિક અદૃષ્ટવાળો આ જીવ છે. આમ, આ વાત સારી રીતે સિદ્ધ થઇ. पौद्गलिकं चेदमदृष्टमेष्टव्यम्, आत्मनः पारतन्त्र्यनिमित्तत्वाद्, निगडादिवत् । क्रोधादिना व्यभिचार इति चेत् । न तस्याऽऽत्मपरिणामरूपस्य पारतन्त्र्यस्वभावत्वात्, तन्निमित्तभूतस्य तु कर्मणः पौद्गलिकत्वात् । एवं सीधुस्वादनोद्भवचित्तवैकल्यमपि पारतन्त्र्यमेव तद्धेतुस्तु सीधु पौद्गलिकमेवेति नैतेनाऽपि व्यभिचारः ॥ નાસ્તિક હૈ જૈન ! તમારી ઉપરોક્ત ચર્ચાથી માનો કે “અદૃષ્ટ' એટલે કર્મ છે. પરંતુ તે કર્મ પુદગલનું બનેલું છે અર્થાત્ પૌલિક છે. આ વાત કેમ માની શકાય ? અવિદ્યા સ્વરૂપ છે. મિથ્યા વાસનારૂપ કર્મ છે. ઇત્યાદિ કેમ ન મનાય ? , જૈન—હે નાસ્તિક ! પૌતિક ચેમદષ્ટમેષ્ટવ્યક્=આ અદૃષ્ટ પુદ્ગલ માત્રનું જ બનેલું છે એમ જાણવું જોઇએ. આત્માની પરાધીનતાનું કારણ હોવાથી, બેડીની જેમ. જેમ બેડી આત્માને પરાધીન કરવામાં નિમિત્ત હોવાથી પૌદ્ગલિક છે. તેમ અદૃષ્ટ પણ આત્માની પરતંત્રતાનું કારણ હોવાથી પૌદ્ગલિક છે. તેથી અવશ્ય બેડીની જેમ અદૃષ્ટ પૌદ્ગલિક જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy