SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ ૩૦૩ • यदूचुर्जिनभद्रगणिक्षमाश्रमणमिश्रा: जो तुल्लसाहणाणं फले विसेसो ण सो विणा हेउं । कजत्तणओ गोयम ! घडोव्व हेऊ य से कम्मं ॥१॥ “અષ્ટ”ને સાધી આપે એવાં સાધક પ્રમાણ કોઈ ન હોવાથી “અષ્ટનો અભાવ છે” એમ ચોથો પક્ષ જો તમે અદૃષ્ટના અભાવને સિદ્ધ કરવામાં કહો તો તે પણ ન કહેવું. કારણકે પૂર્વે (બીજા-ત્રીજા-ચોથા પરિચ્છેદોમાં) સિદ્ધ કરી છે પ્રમાણતા જેની એવાં આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ તે કર્મનો સિદ્ધ કરનારાં ઘણાં મળી શકે છે. તે આ પ્રમાણે– અમ: પુથી [તત્ત્વાર્થ સૂત્ર ૬-૩] ગમ: પાપી [તત્ત્વાર્થ સૂત્ર ૬૪] આ આગમ પ્રમાણ વિદ્યમાન છે. આવા પ્રકારનાં બીજાં આગમ પ્રમાણો પણ અહીં સ્વયં સમજવાં. અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે કે જે જે આત્માઓ “તુલ્યસાધન સામગ્રીવાળા છે. છતાં તેમાં જે જે વિશેષતા દેખાય છે. ઊંચી-નીચી અવસ્થા, ચડતીપડતી સ્થિતિ દેખાય છે. તે સર્વે વિશેષતા (પ), સહેતુક છે (સાધ્ય), કાર્ય હોવાથી (હેતુ) કુંભની જેમ (ઉદાહરણ), જે જે કાર્યાત્મક હોય છે તે તે અવશ્ય સહેતુક જ હોય છે. તેની પાછળ કોઈને કોઈ કારણ અવશ્ય હોય છે. જેમ કે કુંભ એ એક કાર્ય છે. તેથી તે સહેતુક છે. (દંડ-ચક્ર-કુંભકાર આદિ કારણોથી જન્ય છે) તેની જેમ સુખીદુઃખી, રોગી-નિરોગીની જે જે ઉત્પન્ન થયેલી કાર્યાત્મક વિશેષતા છે તે પણ સહેતુક છે. આ વિશેષતામાં જે હેતુ છે. તે જ “અષ્ટ” છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે “સાધ્વીને ત્યાં (એટલે કે સદાચારી કુલવાનું સ્ત્રીને ત્યાં) એકી સાથે તુલ્યકાળ જન્મ પામેલા બે પુત્ર યુગલમાં પરાક્રમ, જ્ઞાન, વૈરાગ્ય અને આરોગ્યની સંપત્તિમાં વિશેષતા દેખાયેલી છે.” - આ વિશેષતા વિશિષ્ટ એવા અદૃષ્ટ નામના કારણને માન્યા વિના સંભવી શકે નહીં માટે અવશ્ય અદષ્ટ છે જ. તથા પૂજ્યપાદ શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિશેષાવશ્યકભાષ્યમાં કહે છે કે “તુલ્ય સાધનો વાળામાં પણ ફળની અંદર જે વિશેષતા દેખાય છે. તે છે ગૌતમ ! કારણ વિના સંભવતી નથી. ઘટની જેમ, કાર્ય હોવાથી, અહીં જ કારણ છે તે જ કર્મ છે. એટલે કે તુલ્ય ધંધો-વ્યવસાય કરનારા બે પુરુષોમાં પણ એક ધન કમાય છે. અને બીજો ધન કમાતો નથી. આવી જે કોઈ વિશેષતા જણાય છે. તેમાં કોઈને કોઈ કારણ છે. જે કોઈ કારણ છે. તે કર્મ (અદેખ) જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy