SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ જેમ તે કર્મની પરંપરા પણ અમે અનાદિની માનેલી છે. જેમ બીજમાંથી જ અંકુરા થાય છે. અને અંકુરામાંથી જ બીજ થાય છે. તેમ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી નવુ કર્મ બંધાય છે. અને તે નવા કર્મના ઉદયથી બીજાં નવું કર્મ બંધાય છે. એમ અનાદિની પરંપરા માનવામાં મૂલની કંઇ ક્ષતિ આવતી નથી. (૨) પુણ્ય-પાપ સ્વરૂપ કર્મ માનવામાં “રાગ-દ્વેષાદિ કષાયોની કલુષિતતા” કારણ છે. આવો બીજો પક્ષ સ્વીકારવામાં તમે કહ્યું હતું કે કોઈને ક્યારેય પણ કર્મનો અભાવ (મુક્તિ) જ નહી થાય. તો કર્મનો અભાવ કોઈને પણ ભલે ક્યારેય ન થાઓ. તો પણ “કર્મ” (એટલે અષ્ટ) છે એમ તો સિદ્ધ થયું જ ને ! તથા વળી “કર્મનો અભાવ પણ નહી જ થાય એમ નહી પરંતુ થાય પણ છે” આ વાત મુક્તિવાદમાં (પરિચ્છેદ-૭ સૂત્ર-૫૭માં) સમજાવાશે. (૩) ત્રીજો પક્ષ પણ સ્વીકાર્ય જ છે. હિંસાદિ પાપસ્થાનકો પાપબંધ કરાવવા દ્વારા દુ:ખનું જ કારણ બને છે. અને અરિહંત પરમાત્માની પૂજા આદિ ધર્મકાર્યો પુણ્ય બંધાવવા દ્વારા સુખનું જ કારણ બને છે. છતાં તમે જે વ્યભિચાર દોષ બતાવ્યો તે બરાબર નથી. કારણકે હિંસાદિ પાપનાં સ્થાનકો સેવનારા આત્માઓમાં જે સમૃદ્ધિ દેખાય છે. અને અરિહંત પરમાત્માની પૂજા આદિ ધર્મકાર્ય કરનારા આત્માઓમાં જે દારિદ્રયતાદિની પ્રાપ્તિ જણાય છે. તે અનુક્રમે પૂર્વે બાંધેલા . * “પાપાનુબંધી પુણ્યના અને પુણ્યાનુબંધી પાપના ઉદયનું ફળ છે એમ જાણવું. અત્યારે જે પાપક્રિયા અને પુણ્યક્રિયા કરી છે. તેનાથી બંધાયેલ અનુક્રમે પાપ તથા પુણ્યરૂપ કર્મ ભાવિના જન્માન્તરમાં ફળ આપનાર બને છે. અને અત્યારે વર્તમાનકાળમાં પાપ કરનારા સુખી અને પુણ્ય કરનારા જે દરિદ્ર જણાય છે. તે પૂર્વભવોમાં બાંધેલ અનુક્રમે જે પુણ્ય અને પાપ છે. તેનું ફળ છે. આ પ્રમાણે અહીં કાર્ય-કારણ ભાવની વ્યવસ્થામાં વ્યભિચાર દોષ અલ્પ પણ આવતો નથી. __साधकाभावादपि नाऽदृष्टाभावः, प्राक् प्रसाधितप्रामाण्ययोरागमाऽनुमानयोતપ્રસાદયમવા તથા ર ‘ામ: પુષ' [તત્ત્વા૬-૩] ‘શુમ: પાપી' [ तत्त्वा० ६-४] इत्यागमः । अनुमानं तु तुल्यसाधनानां कार्ये विशेषः सहेतुकः, कार्यत्वात् कुम्भवत् ॥ “દર્શ સાધ્વીતીર્થમયોનુચનમનઃ | विशेषो वीर्यविज्ञानवराग्यारोग्यसंपदाम् ॥१॥" न चायं विशेषो विशिष्ट्रमदृष्टकारणमन्तरेण । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy