SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૬ ૧૫ હાનોપાદાનાદિ બુદ્ધિ સ્વરૂપ પરંપરા-ફળ જેમ પ્રમાણથી નિષ્પાદ્ય છે, તેમ અજ્ઞાન-નિવૃત્તિ સ્વરૂપ અનંતર ફળ પણ પ્રમાણથી નિષ્પાદ્ય હોવાથી અવશ્ય સાધ્ય છે. આ રીતે પ્રમાણ એ સાધન, અને પ્રમાણ-ફળ (અનંતર ફળ) રૂપ અજ્ઞાનનિવૃત્તિ એ સાધ્ય, એમ સાધનસાધ્યભાવ અનુભવસિદ્ધ હોવાથી પક્ષમાં હેતુની વૃત્તિ છે. પરંતુ અવૃત્તિ નથી, માટે અસિદ્ધ હેત્વાભાસ થતો નથી. તેથી પ્રમાણ થકી પ્રમાણ ફળનો એકાત અભેદ (જે બૌદ્ધો કહે છે તે) સિદ્ધ થતો નથી. કારણકે સાધ્યસાધનભાવ હોવાથી કથંચિ ભેદ અવશ્ય છે જ. વળી જો સર્વથા તાદાભ્યપણું (અભેદપણું) માનીએ તો પ્રમાણ અને પ્રમાણ-ફળની વ્યવસ્થા જ ઘટે નહીં. સારાંશ કે જો આ બન્નેનો સર્વથા અભેદ જ હોય તો તેને કાં તો પ્રમાણ કહેવાય કાં'તો ફળ કહેવાય, પરંતુ પ્રમાણ અને પ્રમાણ-ફળ એમ ઉભય ન કહેવાય, જો બન્ને સર્વથા એકરૂપ જ હોય તો પ્રમાણ એ કારણ અને ફળ એ કાર્ય એવો જે કાર્ય-કારણભાવ (સાધ્ય-સાધનભાવી છે. તેનો વિરોધ આવે. અહીં બૌદ્ધો એવો બચાવ કદાચ કરે કે જ્ઞાનમાં જે સારૂપ્યતા (ય પદાર્થની સદાકારતા) છે તેને અમે પ્રમાણ કહીશું અને તેનાથી થતી અધિગતિ (અર્થાત્ યપદાર્થનો બોધ), તેને અમે ફળ કહીશું. તો તે વાત પણ મિથ્યા છે. એમ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે સારૂપ્યતા (અર્થકારતા) એ પ્રમાણ અને અધિગતિ (જ્ઞયપદાર્થનો બોધ) એ ફળ, એમ પણ – આ બૌદ્ધને સર્વથા તાદાભ્ય માને છતે ઘટશે નહીં. કારણ કે એમ માનવામાં અતિવ્યાતિ આવશે. ઘટ અને ઘટસ્વરૂપમાં પણ તાદાભ્ય (અભેદસંબંધ) છે તેથી ત્યાં પણ કાર્ય-કારણભાવ માનવાની આપત્તિ (અતિવ્યાપ્તિ દોષ) આવશે. ननु प्रमाणस्यासारूप्यव्यावृत्तिः सारूप्यम्, अनधिगतिव्यावृत्तिरधिगतिरितिव्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत्, नैवम् स्वभावभेदमन्तरेणान्यव्यावृत्तिभेदस्याप्यनुपपत्तेः ॥ कथं च प्रमाणस्याप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत् प्रमाणान्तरफलान्तरव्यावृत्त्या अप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न स्याद् इति ॥१५-१६ ॥ બૌદ્ધ- કોઇપણ વિવક્ષિત એક વસ્તુ અન્યની વ્યાવૃત્તિથી ઉભયાત્મક હોય છે. જેમ માટીનો બનેલો ઘડો” એક જ વસ્તુ છે. છતાં તે પદાર્થ “પટ' થી (પટાદિથી) વ્યાવૃત્ત છે માટે ઘટ પણ કહેવાય છે. અને “મૃત્' થી (જલાદિથી) વ્યાવૃત્ત છે માટે મૃત્ પણ છે. એમ કહેવાય જ છે. તેવી રીતે “પ્રમાણ” જ અસારૂપ્યની વ્યાવૃત્તિ રૂપ હોવાથી સારૂપ્ય પણ કહેવાશે. અને અનધિગતિની વ્યાવૃત્તિ રૂપ હોવાથી અધિગતિ પણ કહેવાશે. એમ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy