SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-પ૬ કથંચિત્ સાવયવ અને કથંચિત્ કાર્ય– બાહ્યપણે ઘટની અંદર જેમ અનુભવાય છે. તેમ અભ્યત્તરપણે આત્મામાં પણ રૂપાન્તર થવા સ્વરૂપે અનુભવાય જ છે. નૈયાયિક- પટાદિ કેટલાંક કાર્યોમાં પોતાના સજાતીય અવયવોના (તંતુના) સંયોગ દ્વારા કાર્યત્વ દેખાય છે. તેવું અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યત્વ આત્મામાં પણ જો હોય તો સજાતીય કે વિજાતીય અવયવો વડે આરભ્યત્વ માનવાના પ્રશ્નો આવે. અને પૂર્વે કહેલા દોષો પણ આવે. જૈન- પર હે નૈયાયિક ! પટાદિ કાર્યમાં જો કે સજાતીય એવા પોતાના અવયવોના સંયોગપૂર્વકનું કાર્યત્વ અવશ્ય દેખાય છે. પરંતુ તેટલા માત્રથી સર્વ ઠેકાણે તેમજ હોય એવો નિયમ નથી. એકસ્થાને જેવું સ્વરૂપ હોય તેવું જ સ્વરૂપ સર્વત્ર હોય છે એમ જો માની લઇએ તો કાષ્ઠમાં (લાકડામાં) લોહલખ્યત્વ (લોખંડની સળી વડે લખી શકાવાપણું) દેખાય છે. તેથી વજૂરત્નમાં પણ લોહલખ્યત્વ હોવાનું માનવું પડશે. તમે કદાચ એમ કહો કે વજૂરત્નમાં તો લોહલખ્યત્વ નથી જ આ વાત પ્રત્યક્ષસિદ્ધ છે. તેથી ત્યાં લોહલખ્યત્વની કલ્પના કરવી તે બાધિત છે. તો તેવી જ રીતે પટાદિમાં અવયવસંયોગ જ ત્વરૂપ કાર્યત્વ હોવા છતાં પણ ઘટાદિમાં તેવું કાર્યત્વ નથી આ વાત પણ પ્રત્યક્ષસિદ્ધ જ છે. છતાં ત્યાં તેવું અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યવ માનવું એ પણ બાધિત જ છે બન્ને સ્થાનોમાં પ્રમાણની બાધા તુલ્ય જ છે. માટે બધાસ્થાને અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યવ જ હોય એવો નિયમ નથી. તેથી આત્મામાં રૂપાન્તર થવા રૂપ કાર્યત્વ છે. પરંતુ અવયવસંયોગ જન્યત્વરૂપ કાર્યત્વ નથી જ. તેથી સજાતીય અવયવોના સંયોગ જજ આ કાર્યત્વ છે કે વિજાતીય અવયવોના સંયોગ જ ત્વરૂપ આ કાર્યત્વ છે. આ સવાલ રહેતો જ નથી. વળી હે તૈયાયિક ! ઉક્તલક્ષણવાળું એટલે કે રૂપાન્તર થવા વાળું કાર્યત્વ અમે જૈનો આત્મામાં માનીએ છીએ. એટલે આત્મામાં અનિત્યત્વ આવી જશે. તેના અનુષંગથી પ્રત્યભિજ્ઞા અને અનુસ્મરણ વગેરેનો અભાવ થઇ જશે. આવી આપત્તિ આપવાનું સાહસ ન કરવું. કારણકે આત્મા એકાન્ત જો નિત્ય જ હોય તો તેની અવસ્થા બદલાય જ નહીં. તેથી અનુભવવાની અવસ્થાયુક્ત એવો જીવ સદા અનુભવ વાળો જ રહે, સ્મરણ કે પ્રત્યભિશાયુક્ત અવસ્થાવાળો બને જ નહીં. ઉલટું કથંચિત્ અનિત્ય આત્મા છે એમ માનો તો જ અવસ્થા બદલાવાથી આ પ્રત્યભિજ્ઞાન અને અનુસ્મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy