SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ ૨૮૯ સર્વવ્યાપી માનવામાં અને સર્વપુગલો સાથે સંયુક્ત છે એમ માનવામાં અને સંયુક્તનું જ આકર્ષણ થાય છે એમ માનવામાં પણ તે જ દોષ કેમ નહિ આવે ? કારણકે તમે આત્માને વ્યાપક માન્યો છે. વ્યાપક માનવાથી સકલ પરમાણુઓની સાથે તેનો સંયોગ થયો. અને સંયુક્તનું આકર્ષણ થાય એમ તમે માનો છો. તેથી સંયુક્ત એવા સર્વ પરમાણુઓનું આકર્ષણ થવાથી આ શરીર કેટલું મોટું બની જશે તે જાણી શકાતું નથી. એટલે સર્વવ્યાપી માનવામાં પણ આ જ દોષ આવ્યો. હવે કદાચ અહીં નૈયાયિકો એવો પોતાનો બચાવ કરે કે આત્મા સર્વવ્યાપી માન્ય છતે જો કે તે આત્માની શરીર રચના કરવામાં સર્વ પરમાણુઓનો સંયોગ છે. અને સંયુક્ત પરમાણુઓનું આકર્ષણ માનીએ એટલે સર્વ પરમાણુઓનું ગ્રહણ સંભવી શકે અને તેનાથી અપરિમિત પ્રમાણવાળું મોટું શરીર બની જાય. પરંતુ સર્વ પરમાણુઓ સાથે આત્માનો સંયોગ (અવિશેષ) સમાન હોવા છતાં પણ મદષ્ટવર્” તેવા પ્રકારના પુણ્ય-પાપરૂપ અદેખના વશથી વિવક્ષિત (પ્રાપ્ત કરેલા ભવને યોગ્ય) જ શરીરની ઉત્પત્તિને અનુકૂળ નિશ્ચિત પરમાણુઓ જ તે શરીરરચનામાં આવે છે. જેથી પરિમિત માપનું જ શરીર બને છે. આવું જો નૈયાયિક કહે તો તલતરાપ તુમૂતો આત્માને સર્વવ્યાપીને બદલે ઇતર=શરીરવ્યાપી માન્ય છતે પણ અસંયુક્તપણું સર્વ પરમાણુઓમાં સમાન (અવિશેષ) હોવા છતાં પણ અદષ્ટના વશથી જ વિવક્ષિત શરીરને અનુકૂળ નિયત-પરમાણુઓ જ શરીરની રચનાના ઉપયોગમાં આવે છે અને તેથી પરિમિત જ શરીર બને છે. તેથી શરીરવ્યાપી માનવામાં પણ કંઈ દોષ આવતો નથી. ઇત્યાદિ યુક્તિઓ તુલ્ય જ છે. यच्चान्यदुक्तम्-सावयवं शरीरं, प्रत्यवयवमनुप्रविशन्नात्मेत्यादि, तदप्युक्तिमात्रम् , सावयवत्वकार्यत्वयोः कथञ्चिदात्मन्यभ्युपगमात्, । न चैवं घटादिवत् प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः, न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्वं दृष्टम्, कुम्भकारादिव्यापारान्विताद् मृत्पिण्डात् प्रथममेव पृथबध्नोदराद्याकारस्यास्योत्पत्तिप्रतीतेः । द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तरपरिणामः कार्यत्वम्, तच्च बहिरिवान्तरप्यनुभूयत एव । न च पटादौ स्वावयवसंयोगपूर्वककार्यत्वोपलम्भात् सर्वत्र तथाभावो युक्तः, काष्ठे लोहलेख्यत्वोपलम्भाद् वज्रेऽपि तथाभावप्रसङ्गात्, प्रमाणबाधनमुभयत्रापि तुल्यम् । न चोक्तलक्षणकार्यत्वाभ्युपगमेऽप्यात्मनोऽनित्यत्वानुषङ्गात् प्रतिसन्धानाभावोऽनुषज्यते, कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानत्वात् ॥ જૈનવળી તૈયાયિકોએ (ભાગ-ત્રીજા પૃષ્ઠ ૨૮૫ પંક્તિ ૮ માં) “સાવવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy