SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ જો તું કહે છે. તો કહે તો ખરો કે આ શરીરનું વિશેષ ખંડન (ટુકડા) થયે છતે તે આત્માના પણ ટુકડા થયા કેમ ન કહેવાય ! અર્થાત્ જેમ શરીર છેદી શકાય છે તેમ આત્મા પણ ટુકડા ટુકડા કરીને છેદી શકાય છે. એવો અર્થ થશે. આ બધી ચર્ચા કરીને અંતે તૈયાયિક એમ કહે છે કે આ આત્માને દેહપરિમાણવાળો માનવામાં હે જૈન ! ઉપરોક્ત દોષો આવે છે. માટે આવો કદાગ્રહ ત્યજીને આ આત્માને સર્વવ્યાપી માનવો જોઈએ. (અહીં સુધીમાં તૈયાયિકની પૂર્વપક્ષની દલીલો પૂરી થઇ.) अत्राभिदध्महे-यदभ्यधायि-नन्वात्मनो व्यापकत्वाभाव इत्यादि, तदसत्यम्, यद् येन संयुक्तं, तदेव तं प्रत्युपसर्पतीति नियमासंभवात्, अयस्कान्तं प्रत्ययसस्तेनासंयुक्तस्याप्याकर्षणोपलब्धेः । अथासंयुक्तस्याप्याकर्षणे यच्छरीरारभ्भं प्रत्येकमुखीभूतानां त्रिभुवनोदरविवरवर्तिपरमाणूनामुपसर्पणप्रसङ्गाद् न जाने कियत्परिमाणं तच्छशरीरं स्यादिति चेत्, संयुक्तस्याप्याकर्षणे कथं स एव दोषो न भवेत् ? आत्मनो व्यापकत्वेन सकलपरमाणूनां तेन संयोगात् । अथ तद्भावाविशेषेऽप्यदृष्टवशाद् विवक्षितशरीरोत्पादनानुगुणा नियता एव परमाणव उपसर्पन्ति तदतिरत्रापि तुल्यम् ॥ ઉપર કહેલા નૈયાયિકના પૂર્વપક્ષની સામે હવે અમે (જૈનો) તેનો ઉત્તર આપીએ છીએ કે તમે પહેલાં “વાત્મનો વ્યાપકત્વભાવ' ઇત્યાદિ વાક્યપ્રબંધમાં (ભાગ ત્રીજામાં પૃષ્ઠ- ૨૮૪ પંક્તિ ૨૧ થી) જે કંઈ કહ્યું છે કે- જો આત્માને વ્યાપક નહીં માનો અને માત્ર દેહપરિમાણ માનશો તો અનેક દોષો આવશે. આવો જે પૂર્વે તમે પ્રયત્ન કર્યો તે સર્વથા અયુક્ત છે. યુક્તિ વિનાનો છે. કારણકે જે જેનાથી સંયુક્ત હોય, તે જ તેની પાસે ગમન કરે” એવો કોઇ નિયમ નથી. કારણકે અયસ્કાન્ત (લોહચુંબક) સાથે લોઢાનો સંયોગ નથી. છતાં લોઢું તે લોહચુંબક મણિ તરફ ગમન કરે જ છે. માટે સંયુક્તનું જ ગમન થાય એવો નિયમ નથી. હવે કદાચ તમે એમ કહેશો કે સંયુક્ત ન હોય તેવા પણ પુગલોનું જો શરીરારંભ તરફ ગમન થતું હોય અને તે સન્મુખીભૂત પુદ્ગલોથી શરીરરચના જો થતી હોય તો તેવી શરીરરચના કરવા માટે સન્મુખ થયેલા એવા ત્રણે ભુવનના ઉદરમાં રહેલ પરમાણુઓનું આકર્ષણ થવાથી કેટલા મોટા માપવાળું શરીર બની જશે તે જાણી શકાતું કે કહી શકાતું નથી. આવું જો તમે (નૈયાયિકો) કહેશો તો આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy