SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ ઃ સૂત્ર-૫૬ ૨૮૭ शरीरपरिमाणत्वे चात्मनो मूर्तत्वानुषङ्गाच्छशरीरेऽनुप्रवेशो न स्यात् , मूर्ते मूर्तस्यानुप्रवेशविरोधात्, ततो निरात्मकमेवाखिलं शरीरमनुषज्यते । कथं वा तत्परिमाणत्वे तस्य बालशरीरपरिमाणस्य सतो युवशरीरपरिमाणस्वीकारः स्यात् ? तत्परिमाणपरित्यागात् , तदपरित्यागाद् वा, परित्यागाच्चेत् तदा शरीरवत् तस्यानित्यत्वप्रसङ्गात् परलोकाद्यभावानुषङ्गः । अथापरित्यागात्, तन्न, पूर्वपरिमाणापरित्यागे शरीरवत् तस्योत्तरपरिमाणोत्पत्त्यनुपपत्तेः । तथा यदि वपुष्पपरिमाणपवित्रितं वदसि जैनमतानुग पुरुषम् । वद तदा कथमस्य विखण्डने भवति तस्य न खण्डनडम्बरम् ॥१॥ વળી તમે (જૈનો) શરીરના પ્રમાણવાળો જ આત્મા છે. એમ માનો છો પરંતુ એમ માન્ય છતે આત્મામાં મૂર્તિપણું આવવાથી તેનો શરીરમાં પ્રવેશ થશે નહીં. મૂર્તિ એટલે વર્ણાદિવાળાપણું, જેમ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને મન આ પાંચ મૂર્તિ છે. તેમ આત્મા પણ મૂર્તિ થશે. અને આત્મા મૂર્તિ બનવાથી મૂર્તિ એવા શરીરમાં તેનો અનુપ્રવેશ થશે નહીં. કારણકે એક મૂર્તિમાં બીજાં મૂર્તદ્રવ્ય પ્રવેશ પામે નહીં. તેથી સંપૂર્ણ શરીર નિરાત્મક જ થઈ જશે. તથા આ આત્મા જો શરીરવ્યાપી જ માત્ર હોય તો તે આત્મા બાલ્યાવસ્થાના શરીરના માપવાળો હોતે છતે યુવાવસ્થાના શરીરના માપનો સ્વીકાર કેવી રીતે કરશે ? શું બાલ્યાવસ્થાવાળું જે શરીરનું પ્રમાણ છે તેનો ત્યાગ કરીને યુવાવસ્થાના શરીરના માપવાળો આત્મા બને કે બાલ્યાવસ્થાના શરીરના માપનો અત્યાગ કરીને યુવાવસ્થાના શરીરના માપવાળો આ આત્મા બને ! પરિત્યાગ્રે=જો બાલ્યાવસ્થાના શરીરપ્રમાણના ત્યાગથી યુવાવસ્થાવાળા શરીરના પરિમાણયુક્ત આ આત્મા બનતો હોય તો જેમ શરીરનું પરિમાણ બદલાયું, એટલે શરીર અનિત્ય છે. તેમ આ આત્મા પણ પરિમાણ બદલવાવાળો થવાથી શરીરની જેમ જ અનિત્ય થશે. અને અનિત્ય થવાથી પરલોકાદિનો અભાવ થવાનો જ પ્રસંગ આવશે. અને જો બાલ્યાવસ્થાવાળા શરીરના પરિમાણનો અત્યાગ કરીને યુવાવસ્થાવાળા શરીરના પરિમાણવાળો થતો હોય તો તે બરાબર નથી. કારણકે જ્યાં સુધી પૂર્વ અવસ્થાના પરિમાણનો ત્યાગ થાય નહીં ત્યાં સુધી શરીરની જેમ જ તે આત્માને ઉત્તર પરિમાણની ઉત્પત્તિ સંભવી શકે નહીં. શાસ્ત્રોમાં જ કહ્યું છે કે-“હે જૈન મતના અનુરાગી ! આ આત્મા શરીરના પરિમાણ વાળો જ છે. અર્થાત્ શરીરના પરિમાણથી પવિત્ર છે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy