SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨. પરિચ્છેદ ૬-૧૩,૧૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ થતાંની સાથે જ થાય છે તેથી બૌદ્ધો તે ફળને પ્રમાણથી અભિન માનીને જૈનોને વ્યભિચાર- દોષ આપે છે. કારણકે જૈનોનું સાધ્ય સ્યાદ્ ભિના-ભિન્નત્વ છે. તેને બદલે એકાન્ત ભિન્નમાં કે એકાન્ત અભિનમાં જો હેતુ વર્તે તો સાધ્યાભાવમાં હેતુની વૃત્તિ થવાથી વ્યભિચાર દોષ આવે. ત્યાં ઉપાદાનબુદ્ધયાદિ પરંપરાફળ વ્યવધાનવાળું હોવાથી એકાતભિન્ન માનીને તૈયાયિકાદિએ જેમ જૈનોને પૂર્વે દોષ આપેલો અને ગ્રંથકારે તેનું ખંડન કરેલું. એ જ રીતે “અજ્ઞાનનિવૃત્તિ” રૂપ જે અનંતરપલ છે સાક્ષાત્કળ છે. તે તો પ્રમાણની સાથે જ પ્રગટ થાય છે. માટે સર્વથા અભિન્ન જ છે. એમ મનમાં સમજીને બૌદ્ધો જૈનોને વ્યભિચાર દોષ આપે છે. સૂત્રાર્થ-સાક્ષસ્કૂળભૂત એવા અને પ્રમાણથી એકાન્ત અભિન્ન એવા “અજ્ઞાનનિવૃત્તિ સ્વરૂપ સાક્ષા” ફળની સાથે હેતુનો વ્યભિચાર દોષ આવશે એવી પણ શંકા ન કરવી. ૬-૧૨ા. ટીકાર્થ– જેમ દીપક પ્રગટ કરીએ તે જ ક્ષણે અંધકાર નાશ થાય છે. તેમાં કાળવિલંબ નથી. તેથી તે બન્ને અભિન્ન-એકજ કહેવાય છે. તેવી જ રીતે જે ક્ષણે પ્રમાણ-જ્ઞાન આત્મામાં પ્રગટે છે તે જ ક્ષણે અજ્ઞાનનિવૃત્તિ પણ પ્રગટે છે. તેથી તે પ્રમાણ-ફળ પણ કહેવાશે અને પ્રમાણભૂત જ્ઞાનથી અભિન પણ કહેવાશે. જેમ કે જે સમયે આ સર્પ છે. એવું પ્રમાણ-જ્ઞાન પ્રગટ્યું. તે જ સમયે સર્પસંબંધી અજ્ઞાનતાની નિવૃત્તિ થઈ જ. તેથી પ્રમાણથી સર્વથા અભિન્ન એવી સાક્ષાત્કળ ભૂત જે “અજ્ઞાનનિવૃત્તિ” છે. તેની સાથે પ્રમાણ-ફળ–ાન્યથાનુપપત્તિ હેતુની અનૈકાન્તિકતા થશે. પ્રમાણફલત્વાદિ હેતુ, સ્યાદ્ ભિના-ભિનત્વ એવા સાધ્યમાં વર્તવો જોઇએ. તેને બદલે એકાતે અભિન્ન એવા અજ્ઞાનનિવૃત્તિ રૂપ સાક્ષાત્કળમાં પણ હેતુ વર્તે છે. તેથી સાધ્યાભાવમાં હેતુ વર્તવાથી અનૈકાન્તિક થશે. આવું બૌદ્ધો જૈનોને કહે છે. ગ્રંથકારશ્રી તેનું ખંડન કરતાં કહે છે કે બૌદ્ધોએ જૈનોને આવો વ્યભિચાર દોષ ન આપવો. કારણ કે તે દોષ ખોટી રીતે રજુ કરાયો છે. તે વાત આગળના સૂત્રમાં સમજાવે છે. I ૬-૧૨ कुत इत्याहकथञ्चित्तस्यापि प्रमाणाद् भेदेन व्यवस्थानात् ॥६-१३॥ ટીલા–ગ્નિતિતિ વિદ્યમાન પ્રવાસે છે. ૬-૨૩. तमेव प्रकारं प्रकाशयन्तिसाध्यसाधनभावेन प्रमाणफलयोः प्रतीयमानत्वात् ॥६-१४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy