SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૧૨ ટીકાર્થ- પ્રમાણ અને પ્રમાણ-ફળ કથંચિત્ અભિન્ન પણ છે એમ જો ન માનવામાં આવે, એટલે કે પ્રમાણ અને પ્રમાણ-ફળ આ બન્ને પર્યાયો એક જ પ્રમાતામાં તાદાત્મ્યરૂપે પ્રગટે છે આ વાતનો જો સ્વીકાર કરવામાં ન આવે તો આ પ્રમાણ અને પ્રમાણ-ફળ સ્વકીય છે. અને આ પ્રમાણ અને પ્રમાણ-ફળ પરકીય છે. એવો જે જગત્પ્રસિદ્ધ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર છે. તે ન રહે. તે વ્યવહારનો વિનાશ થાય. અર્થાત્ જે પ્રમાણ-જ્ઞાન પોતાને થાય છે. તેનાથી ઉપાદાનાદિની બુદ્ધિ પણ પોતાને જ થાય છે. આવો જગત્પ્રસિદ્ધ વ્યવહાર વિનાશ પામે. તથા જે પ્રમાણ-જ્ઞાન પરને થયું હોય તેવા પ્રકારના જ્ઞાનથી જે ઉપાદાનાદિ બુદ્ધિ થાય છે, તે પરને જ થાય છે. આ વ્યવહાર પણ વિનાશ પામે. જો એકાન્તભેદ માનીએ તો, આ સર્પ છે એવું જ્ઞાન પોતાને થાય અને ભાગાભાગ બીજો કરે, એવું પણ થવું જોઇએ. પરંતુ આવું જગત્માં ક્યાંય થતું નથી. “આ આમ્રફળ છે એવું જ્ઞાન દેવદત્તને થાય અને તેને લેવા માટે હાથ યજ્ઞદત્ત લંબાવે' આવું ક્યાંય અનુભવાતું નથી. તે કારણથી પ્રમાણ અને પ્રમાણ-ફળરૂપ ઉપાદાનાદિ બુદ્ધિમાં વ્યવહિત ફળ (પરંપરા-ફળ) હોવા છતાં પણ બન્ને પર્યાયોમાં આત્મદ્રવ્યનું તાદાત્મ્ય (એકત્વ) હોવાના કારણે અભેદની પણ પ્રસિદ્ધિ નિર્દોષ જ હોવાથી અમારા પ્રસ્તુત હેતુમાં અલ્પ પણ વ્યભિચાર દોષ આવતો નથી. એમ સિદ્ધ થયું. ॥૬-૧૧|| अथ व्यभिचारान्तरं पराकुर्वन्ति ૧૧ अज्ञाननिवृत्तिस्वरूपेण प्रमाणादभिन्नेन साक्षात्फलेन साधनस्यानेकान्त इति नाशङ्कनीयम् ॥ ६-१२ ॥ टीका - प्रमाणफलं च स्यात्, प्रमाणात् सर्वथाऽप्यभिन्नं च स्यात्, यथाऽज्ञाननिवृत्तिरित्यनयानैकान्तिकत्वं प्रमाणफलत्वान्यथाऽनुपपत्ते र्हेतोरिति न શઠ્ઠનીય ગાવૈં ॥ ૬-૨ ॥ યૌગિકો (નૈયાયિક-વૈશેષિકો) પ્રમાણથી પ્રમાણનું ફળ એકાન્તે ભિન્ન છે આમ માને છે. તેથી સ્યાદ્ ભિન્ના-ભિન્નત્વ સાધ્યને સાધવા મૂકેલા આ પ્રમાણ-ફલત્વાન્યથા-નુપપત્તિ હેતુમાં તેઓએ વ્યભિચાર દોષ જૈનોને આપ્યો હતો. તેનું ખંડન સૂત્ર ૮ થી ૧૧ વડે કરવામાં આવ્યું. છે. હવે બૌદ્ધો પ્રમાણથી પ્રમાણનું ફળ એકાન્તે અભિન્ન છે. આમ માને છે. “અજ્ઞાન-નિવૃત્તિ” સ્વરૂપ જે સાક્ષાત્ફળ અર્થાત્ અનંતર ફળ છે. તે પ્રમાણ ઉત્પન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy