SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ ૨૭૧ “ચૈતન્ય-સ્વરૂપ આત્મા છે” આ પ્રથમ-વિશેષણની સવિસ્તર ચર્ચા કરીને હવે “રિમ' એવા બીજા પદની ચર્ચા ગ્રંથકારશ્રી શરૂ કરે છે. નૈયાયિક, વૈશેષિક અને સાંખ્યો આત્માની કૂટસ્થનિત્યતા અર્થાત્ એકાન્ત-નિત્યતા માને છે. તેની સામે ગ્રંથકારશ્રી કહે છે કે આ આત્માની કૂટનિત્યતા (એકાન્ત-નિત્યતા) પણ નથી. કારણકે આત્મા જ્યારે ઘટ-પટાદિ પદાર્થોને જાણવા પ્રવર્તે છે. ત્યારે તે જાણવાની પ્રવૃત્તિ શરૂ કરે તેના પૂર્વકાળમાં જેવો (તે તે પદાર્થનો અપરિચ્છેદક) આત્મા હતો, તેવો જ તે આત્મા જો જ્ઞાનોત્પત્તિ સમયે પણ રહેતો હોય તો પૂર્વકાળની જેમ જ આ આત્મા (પદાર્થનો અપરિચ્છેદક જ રહેવાથી) પદાર્થનો પરિચ્છેદક કેમ થશે ? કારણકે તમારા મતે આત્મા કૂટસ્થનિત્ય છે. અને કૂટસ્થનિત્ય પદાર્થનું જે પ્રતિનિયત (અમુક ચોક્કસ) સ્વરૂપ હોય છે. તેમાંથી તેનુ રૂપ પ્રસ્મૃતિ પામતું નથી. અર્થાત બદલાતું નથી. અને જો તે આત્મા પદાર્થનો બોધ કરે તો પૂર્વકાળમાં જે અપ્રમાતા હતો તે જ આત્મા હવે પ્રમાતા રૂપપણે પરિણામ પામ્યો. એટલે પરિવર્તનતા થઈ જ. તેથી ફૂટસ્થનિત્યતા ક્યાંથી કહેવાય ? આ પ્રમાણે આ આત્મા પ્રતિસમયે અપૂર્વ અપૂર્વ પદાર્થોને જાણવાના ઉપયોગાત્મક પર્યાયરૂપે પરિવર્તન પામતો હોવાથી અવશ્ય પરિણામી જ છે. પરંતુ કૂટસ્થ નિત્ય નથી. આ બીજા પદની ચર્ચા થઈ. कर्ता साक्षाद्भोक्तेतिविशेषणयुगलकेन कापिलमतं तिरस्क्रियते, तथाहिकापिलः कर्तृत्वं प्रकृतेः प्रतिजानीते, न पुरुषस्य, "अकर्ता निर्गुणो भोक्ता" इति वचनात्, तदयुक्तम्, यतो यद्ययमकर्ता स्यात् , तदानीमनुभविताऽपि न भवेत् , द्रष्टुः कर्तृत्वे मुक्तस्यापि कर्तृत्वप्रसक्तिरिति चेत्, मुक्तः किमकर्तेष्टः ? विषयसुखादेरकत्तैवेति चेत् कुतः स तथा ? तत्कारणकर्मकर्तृत्वाभावादिति चेत् तर्हि संसारी विषयसुखादिकारणकर्मविशेषस्य कर्तृत्वाद् विषयसुखादेः कर्ता, स एव चानुभविता किं न भवेत् ? संसार्यवस्थायामात्मा विषयसुखादितत्कारणकर्मणां न कर्ता, चेतनत्वाद् , मुक्तावस्थावत्, इत्येतदपि न सुन्दरम् , स्वेष्टविघातकारित्वात् । संसार्यवस्थायामात्मा न सुखादेर्भोक्ता, चेतनत्वाद्, मुक्तावस्थावत्, इति स्वेष्टस्यात्मनो भोक्तृत्वस्य विघातात् । प्रतीतिविरुद्धमिष्टविघातसाधनमिति चेत्, कर्तृत्वाभावसाधनमपि किं न तथा ? पुंसः श्रोताऽऽघ्राताऽहमिति स्वकर्तृत्वप्रतीतेः ॥ હવે આત્મા કર્યાદિનો કર્યા છે અને તેના ફળનો સાક્ષાત્ ભોક્તા છે. એ પ્રમાણેનું ત્રીજું અને ચોથું પદ સમજાવે છે મૂલસૂત્રમાં કહેલા વર્તા અને સાક્ષાત્ મોવતા આ બન્ને વિશેષણો વડે કપિલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy