SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-પ૬ ૨૬૩ વિચારણા કરવાનો આ આરંભ કરેલો છે. નાતિતત્વતિઆત્મત્વ અને પૃથ્વીત્વ આદિ જાતિઓ તથા તે જાતિવાળા આત્મા અને પૃથિવ્યાદિ પદાર્થો, આમ જાતિ અને પદાર્થનો પરસ્પર અત્યન્ત એકાત્ત ભેદ (તમારા મત પ્રમાણે) એકસરખો સમાન (અવિશેષ) હોતે છતે આત્મત્વજાતિ આત્મામાં જ રૂદ્રનો પ્રત્યય વિશેષ ઉત્પન્ન કરે પરંતુ પૃથ્વી આદિમાં ન કરે, અને પૃથ્વીત્યાદિ જાતિઓ પૃથ્વી આદિમાં જ રૂદ્રનો પ્રત્યય ઉત્પન્ન કરે, પરંતુ આત્મામાં ન કરે આ બાબતમાં આ નિયમન કરવામાં કારણ શું ? સારાંશ કે આત્માથી આત્મત્વ અને પ્રથિવ્યાદિથી પૃથિવીત્વ એકાન્ત ભિન્ન તમે માન્યું છે. એટલે આત્મા પોતે આત્મત્વ જાતિ વિનાનો છે અને પૃથિવી આદિ પદાર્થો પૃથિવીત્વ આદિ જાતિ વિનાના છે. હવે જાતિને જોડનારો સમવાય-સંબંધ સર્વત્ર વ્યાપક છે અને એક જ છે. તો આત્મત્વ-જાતિને આત્મામાં જ, અને પૃથિવીત્વ-જાતિને પૃથિવીમાં જ જોડે આવું કેમ બને ? આત્મત્વ-જાતિ વિનાના એવા આત્મામાં જેમ સમવાય-સંબંધ આત્મત્વ-જાતિને જોડે છે તેમ આત્મત્વ-જાતિ વિનાનાં પૃથિવી આદિ દ્રવ્યોમાં પણ તે સમવાય-સંબંધ આત્મત્વને જોડનાર બનવો જોઈએ. એવી જ રીતે પૃથિવીત્વ-જાતિ વિનાની એવી પૃથિવીમાં સમવાય-સંબંધ જેમ પૃથિવીત્વ-જાતિને જોડે છે. તેમ તે જ સમવાયસંબંધ પૃથિવીવ-જાતિને આત્મામાં પણ જોડનાર બનવો જોઇએ. એકમાં જ જોડે અને અન્યમાં ન જોડે તેવું વિશેષ નિયમન કરનાર કોણ ? અર્થાત્ કોઈ જ નથી. નૈયાયિક– “સમવાય-સંબંધ” નિયામક છે. એમ અમે માનીશું. અર્થાત્ આત્મા અને પૃથિવી એમ બન્ને પદાર્થો, આત્મત્વ જાતિ વિનાના છે તેથી સમાન છે. પરંતુ આત્મત્વજાતિને જોડનારો સમવાય-સંબંધ આત્મામાં છે. પણ પૃથિવી આદિમાં નથી. તેથી આત્મત્વજાતિ આત્મામાં જ જોડાય છે. પણ પૃથિવી આદિમાં જોડાતી નથી. આવી જ રીતે આત્મા અને પૃથિવી આ બન્ને પદાર્થો પૃથિવીત્વ-જાતિ વિનાના સમાન જ છે. પરંતુ પૃથિવીત્વ જાતિને જોડનારો સમવાય-સંબંધ પૃથિવીમાત્રમાં છે. આત્મામાં નથી. તેથી પૃથિવીત્વ-જાતિ પૃથિવીમાં જ જોડાય છે. આત્મામાં જોડાતી નથી. આ રીતે “સમવાય-સંબંધ” એ વિશેષ નિયામક છે એમ અમે માનીશું. જૈન–આમ માનવાથી અન્યોન્યાશ્રય દોષ આવશે. કારણકે રૂદ્રનો પ્રત્યય વિશેષ થયે છતે જ (એટલે કે તે થયા પછી જ) આત્મત્વ જાતિને આત્મામાં જ જોડનારો સમવાય સિદ્ધ થશે. અને આત્મત્વ-જાતિને આત્મામાં જોડનારો સમવાય-સંબંધ આવ્યું છતે જ (તે આવ્યા પછી જ) રૂદ્રનો પ્રત્યય વિશેષ થશે. આ રીતે “સમવાય-સંબંધ અને રૂદ્ધનો પ્રત્યયવિશેષ” આ બન્ને ભાવો એક બીજા ઉપર આધારિત હોવાથી પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy