SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ૨ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ “અમારામાં જ્ઞાન છે” તથા તેવી પ્રતીતિ કરે છે. આ પ્રમાણે સર્વે આત્માઓમાં રહેલું માત્મત્વ જ આકાશાદિથી સર્વે આત્માઓની વિશેષતા (ભિન્નતા) સિદ્ધ કરે છે. જેમ પૃથિવી આદિ દ્રવ્યોની ભિન્નતા આકાશાદિથી છે તેમ. અર્થાત્ પૃથિવી, જલ, તેજ અને વાયુ આદિ દ્રવ્યોમાં અનુક્રમે પૃથિવીત્વ, જલત્વ, તૈજસત્વ અને વાયુત્વ જાતિનો સંબંધ હોવાથી તે ચારે દ્રવ્યો અનુક્રમે પૃથિવી, જલ, તેજ અને વાયુ કહેવાય છે. પરંતુ આકાશ આદિને પૃથિવી આદિ કહેવાતાં નથી. તેવી જ રીતે સર્વે આત્માઓમાં માત્મત્વ જાતિનો સંબંધ હોવાથી સર્વે આત્માઓ આત્મા કહેવાશે. પરંતુ આકાશાદિ આત્મા કહેવાશે નહીં. કારણકે તેમાં આત્મત્વ જાતિનો યોગ નથી. જૈન– હે તૈયાયિક ! તમારી આ વાત યુક્તિ-વિનાની છે. કારણકે માત્મત્વ આદિ જાતિઓનો પણ નાતિ આત્મત્વ જાતિવાળા એવા આત્માઓથી અનાત્મહત્વેએકાત્ત ભેદ માને છત તત્સમવનિયમ-તે જાતિને જોડનાર સમવાય-સંબંધ આત્મામાં જ હોય અને આકાશાદિમાં ન હોય” એવા નિયમની “સિદ્ધ” સિદ્ધિ થઈ શકતી નથી. કારણકે તમે આત્મત્વ આદિ જાતિઓ પણ જાતિવાન્ એવા આત્માઓથી એકાન્ત ભિન્ન માનો છો. તેથી આત્માઓ પોતે તો સ્વયં આત્મત્વ-જાતિવાળા નથી એ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે. અને જે દ્રવ્યો સ્વયં પોતે આત્મત-જાતિવાળા ન હોય અને સર્વથા આત્મત્વ-જાતિથી શૂન્ય જ હોય એવા આત્માઓમાં જેમ સમવાયસંબંધ આત્મત્વ-જાતિને જોડી આપે છે તેમ સર્વથા આત્મત્વ-જાતિથી શૂન્ય એવા આકાશાદિમાં પણ તે સમવાય-સંબંધ (એક અને વ્યાપક હોવાથી) આત્મત્વ જાતિને જોડનાર કેમ નહી બને? અર્થાત્ આકાશાદિમાં પણ આત્મત્વ જાતિને જોડનાર બનશે જ. તેથી આત્મત્વ-જાતિને આત્મામાં જ જોડે અને આકાશાદિમાં ન જોડે એવા નિયમની સિદ્ધિ થશે નહીં. નૈયાયિક– પ્રત્યવિષાર્ તત્સદ્ધિ =હે જૈનીઓ ! પ્રત્યય વિશેષથી તે નિયમની સિદ્ધિ થશે. એટલે કે “રૂદાનિ સાતમત્વ' અહીં આત્માઓમાં જ આત્મત્વ-જાતિ છે. અન્યત્ર નથી. એવા પ્રકારનો જે રૂદ્રનો પ્રત્યયવિશેષ (એટલે કે બોધ વિશેષ) થાય છે. તેનાથી તે આત્મત્વ જાતિને આત્મામાં જ સમવાય-સંબંધ જોડશે. અને આકાશાદિને આવો રૂદ્ધનો પ્રત્યયવિશેષ થતો નથી. તેથી સમવાય-સંબંધ ત્યાં (આકાશાદિમાં) આત્મત્વ જાતિને જોડશે નહીં. આ રીતે રૂદ્રના પ્રત્યયવિશેષથી સમવાયના નિયમનની સિદ્ધિ થશે. જૈન– હે નૈયાયિક ! તે પ્રત્યયવિશેષની જ (દ્ર એવા બોધવિશેષની જ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy