SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ ૨૫૯ તેથી ૪ વુડે વધિ ઇત્યાદિમાં પ્રત્યય થી “કુંડામાં જ દહી છે.’ તેનાથી અન્યત્ર દહીનો સંયોગ શક્યસંપાદન (સિદ્ધ કરવો શક્ય) નથી. આ જેમ સમજાય છે. તેમ ‘‘ યિ જ્ઞાનમ્'' “અહીં મારામાં જ્ઞાન છે” આવા પ્રકારનો ‘‘રૂદેવંપ્રત્યય'' થવાથી આત્મામાં જ જ્ઞાન સમવાય છે. પરંતુ આત્માથી અન્યત્ર એવા ગગનાદિમાં જ્ઞાન-સમવાય નથી એવું સમજાવે છે. તેથી આત્માની જેમ આકાશાદિમાં જ્ઞાનસમવાય સિદ્ધ થતો નથી. જૈન-તૌવિતમ્=નૈયાયિક આવા પ્રકારનું જો કહે તો તે નૈયાયિકની વાત યુક્તિરહિત છે. કારણકે જેમ જડ-સ્વરૂપવાળો આત્મા ‘“ફન્નેમ્’” “અહીં મારામાં જ્ઞાન છે.” આવો પ્રત્યય કરે છે. અને તેનાથી તેનામાં જ્ઞાનનો સમવાય આવવાથી ચૈતન્યતાવાળો બને છે. તેવી જ રીતે વાયોપિ આકાશ વગેરે બીજા અચેતનદ્રવ્યો પણ ‘“જ્ઞાનમસ્માસુ’’. અમારામાં જ્ઞાન છે. એવો હેતું નો બોધ કરનારાં બનવાં જોઇએ. કારણકે સ્વયં પોતે અચેતન હોવાથી, આત્માની જેમ. એટલે કે જે જે સ્વયં પોતે અચેતન હોય તે તે પદાર્થો હેતું અહીં અમારામાં જ્ઞાન છે. આવો બોધ કરે છે. જેમ આત્મા. આ રીતે સ્વયં અચેતન હોવાથી આત્મા જેમ દેવં નું જ્ઞાન કરે છે. તેમ આકાશાદિ પણ કરો. તેથી જેમ આત્મામાં જ્ઞાન-સમવાય આવ્યો. તેમ આકાશાદિ જડદ્રવ્યોમાં પણ જ્ઞાન-સમવાય આવો. અથવા આકાશાદિ દ્રવ્યો સ્વયં અચેતન હોવાથી જો તેમાં જ્ઞાનનો સમવાય આવતો નથી તો, તત્ત વ ગ્રાવિત્ આત્મનો વા મા વ પ્રતિસ્તુ:-તે જ કારણથી સર્વે આત્માઓ પણ સ્વયં અચેતનસ્વરૂપ તમે માન્યા હોવાથી આકાશાદિ જડ દ્રવ્યોની જેમ જ્ઞાન-સમવાયવાળા ન થાઓ. બોધ કરનારા ન બનો. કાં'તો આત્માની જેમ આકાશાદિમાં પણ જ્ઞાનનો સમવાય હો. અને તેથી આકાશાદિ પણ બોધ કરનારા થાઓ. અથવા આકાશાદિની જેમ આત્મામાં પણ જ્ઞાનનો સમવાય ન હો. અને બોધ કરનાર ન બનો. કારણકે આકાશ અને આત્મા બન્ને દ્રવ્યો તમારા મતે તો સમાન સ્વરૂપવાળાં=સ્વયં જડાત્મક જ છે. તેથી આત્મા જડ-રૂપ છે એવું માનનારા વાદીઓના મતમાં જ્ઞાનમિદ્દ= અહીં મારામાં જ્ઞાન છે કૃતિપ્રત્યયઃ-આવા પ્રકારનો બોધ પ્રત્યાત્મવેદ્ય સર્વ આત્માઓને અનુભવસિદ્ધ સપિ હોવા છતાં પણ જ્ઞાનયાત્મનિ ન સમવાય નિયમતિ-તે રૂદેવુંનો પ્રત્યય જ્ઞાનનો સમવાય આત્મામાં જ હોય (અને અન્ય એવા આકાશાદિમાં ન હોય) એવો નિયમ કરી શક્તો નથી. કારણકે જડપણે આકાશ અને આત્મા બન્ને પદાર્થો તમારા મતે સમાન હોવાથી વિશેષતા નથી. આત્મા પોતે જ સ્વયં જ્ઞાનમય હોવા છતાં પણ અને આ વાત અનુભવસિદ્ધ હોવા છતાં પણ તેવું ના બોધથી આત્મામાં જ્ઞાનસમવાય માનવો તે આકાશાદિ અન્ય-દ્રવ્યોમાં પણ અતિવ્યાપ્તિ લાવનાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy