SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬0 પરિચ્છેદ-૭ સૂત્ર-પ૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ ननु एवमिह पृथिव्यादिषु रूपादय इति प्रत्ययोऽपि न रूपादीनां पृथिव्यादिषु समवायं साधयेत् , यथा खादिषु । तत्र वा स तं साधयेत् पृथिव्यादिष्विव, इति न क्वचित् प्रत्ययविशेषात् कस्यचिद्-व्यवस्थेति चेत्, सत्यम्, अयमपरोऽस्य दोषोऽस्तु, पृथिव्यादीनां रूपाद्यनात्मकत्वे खादिभ्यो विशिष्टतया व्यवस्थापयितुमशक्तेः ॥ ' વૈયાયિક- જો રૂદ્ર ના પ્રત્યયથી આત્મામાં જ્ઞાનસમવાય ન માનવામાં આવે તો તે જ પ્રમાણે જ્યાં જ્યાં દે નો પ્રત્યય (બોધ) હશે, ત્યાં ત્યાં તે તે ગુણોનો સમવાય સિદ્ધ થશે નહીં. તેથી પૃથ્વી, જલ, તેજ અને વાયુ વગેરેમાં પણ “રૂદ પૃથિવ્યતિપુ રૂપતિ:" અહીં પૃથ્વી આદિ ચાર દ્રવ્યોમાં જ રૂપાદિ ગુણો છે એવો રૂદેવં નો જે પ્રત્યય થાય છે. તે રૂપાદિ ગુણોનો સમવાય પૃથ્વી આદિમાં જ હોય એવી સિદ્ધિ કરી આપશે નહીં. જેમ આકાશાદિમાં રૂપાદિનો સમવાય સિદ્ધ થતો નથી. તેમ પૃથ્વી આદિ દ્રવ્યોમાં પણ સમવાય સિદ્ધ થશે નહીં. અથવા જેમ પૃથ્વી આદિ ચાર દ્રવ્યોમાં “પૃથિવ્યાતિષ્યિવ" સ્વયં રૂપાદિ ગુણો ન હોવા છતાં પણ દે ના બોધથી રૂપાદિનો સમવાય સિદ્ધ થાય છે. તેમ તત્ર તે આકાશાદિ દ્રવ્યોમાં પણ સકતે હેન્દ્ર નો પ્રત્યય કરાશે. અને તે પ્રત્યય તંતે રૂપાદિના સમવાયને સાધનારો બનવો જોઇએ. અને જો આમ થાય તો જ વવરિત્ પ્રત્યથવિશેષાત્ વરદ્ વ્યવસ્થા કોઈપણ દ્રવ્યોમાં પ્રત્યયવિશેષથી કોઇપણ ગુણો સંબંધી સમવાયની વ્યવસ્થા થશે નહીં. પૃથ્વી આદિના ગુણોનો સમવાય આકાશમાં, અને આત્માના ગુણોનો સમવાય પણ આકાશમાં થવો જોઇએ. અને જો આમ થાય તો કોઈ વ્યવસ્થા જ રહે નહીં. અને વ્યવસ્થા તો જગતમાં દેખાય છે. માટે અમારી વાત રૂ ના બોધથી સમવાય નિયંત્રિત થાય છે. આ વાત માનવી જોઇએ. જૈન- સત્યમહે તૈયાયિક ! તમારી વાત તદન સત્ય છે. મચ તમારા માનેલા સમવાય-સંબંધ સ્વીકારવાવાળા આ પક્ષને મમરો આ બીજો પણ કોષોડસ્તુ દોષ આવશે. એટલે કે આત્માને ચૈતન્ય-સ્વરૂપ ન માનવાથી અને સ્વયં જડાત્મક છે પરંતુ જ્ઞાનના સમવાય-સંબંધથી જ્ઞાનવાળો છે એમ માનવાથી આકાશને પણ જ્ઞાનસમવાય દ્વારા ચૈતન્યવાળું માનવાનો એક દોષ જેમ પહેલાં સમજાવ્યો. તેવો જ આ બીજો દોષ પણ તમારી માન્યતાવાળાને આવશે કે જો પૃથ્વી આદિ ચાર દ્રવ્યોમાં સમવાય-સંબંધ દ્વારા જ રૂપ, રસ, ગંધ, સ્પર્શ ગુણો રહેલા છે તો પૃથ્વી આદિ આ ચારે દ્રવ્યો સ્વયં પોતે તો રૂપાદિ ગુણાત્મક નથી જ, પરંતુ રૂપાદિ ગુણોથી રહિત છે એવો અર્થ થશે. અને એમ થવાથી જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy