SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ (૪) સાક્ષાત્ મોવત્તપોતે જ બાંધેલાં પુણ્ય-પાપ કર્મોના ફળ સ્વરૂપે પ્રાપ્ત થયેલાં સુખ અને દુઃખ વગેરેને આ આત્મા જ સાક્ષાત્ ભોગવે છે એટલે કે ઉપચાર રહિત વૃત્તિથી ભોગવે છે. આશય એવો છે કે ભોગવતું હોય શરીર, અને શરીરનો સંબંધ આત્માની સાથે હોવાથી આત્મામાં ઉપચાર કરાતો હોય એવું નથી. પરંતુ આત્મા પોતે જ સુખ અને દુઃખને ભોગવે છે. આ શબ્દપ્રયોગ પણ સાંખ્યની માન્યતાના નિરસન માટે છે. (૫) સ્વરિષT: પોતાનું ગર્ભાદિ ત્રણ પ્રકારના જન્મથી પ્રાપ્ત થયેલું જે શરીર, તેમાં વ્યાપ્તપણે રહેનારો છે. પરંતુ શરીરમાં અને શરીરની બહાર આમ આખા જગત માત્રમાં રહેનારો નથી. આ પ્રમાણે સ્વ-દેહવ્યાપી આ આત્મા છે. આ શબ્દપ્રયોગ આત્માને વિભુ માનનારા નૈયાયિક-વૈશેષિકના મતના નિરસન માટે છે. (૬) પ્રતિક્ષેત્રે મિત્ર: પ્રતિક્ષેત્ર એટલે પ્રતિશરીર, અર્થાત્ શરીરે શરીરે આત્મા ભિન્ન-ભિન્ન છે. સામાન્યથી શરીરે શરીરે ભિન્ન-ભિન્ન એક એક જીવ છે. કોઈક જગ્યાએ એક-શરીરમાં (કંદમૂળાદિમાં) અનંત જીવો પણ છે. પરંતુ સર્વ શરીરોમાં મળીને રહેનારો એક જીવ તો નથી જ. આ શબ્દપ્રયોગ અદ્વૈતવાદ માનનાર વેદાન્તદર્શન આદિના નિરસન માટે છે. (૭) નિનાદEવાન = કાશ્મણવર્ગણા નામની આઠમીવર્ગણાસ્વરૂપ જે પુગલદ્રવ્ય છે. તેનાં જ બનેલાં કર્મો જ પુણ્ય-પાપ (શુભ-અશુભ) કહેવાય છે તે કર્મવાળો આ આત્મા છે. પોતે જ પોતાના અધ્યવસાયને અનુસારે બાંધેલાં, અને કાર્મણવર્ગણાના પુગલોનાં બનેલાં એવાં કર્મોને પરતંત્ર એવો આ આત્મા છે. આ શબ્દપ્રયોગ આત્માને એકાતે શુદ્ધ, બુદ્ધ, સ્ફટિક જેવો નિર્મળ જ છે. આવી માન્યતાવાળાં દર્શનોના નિરસન માટે છે. (૮) આ આત્મા છે. કે જેનો પ્રમાતા તરીકે આ જ પરિચ્છેદના અનન્તરપણે કહેલા પ૫ મા સૂત્રમાં ઉલ્લેખ કરેલો છે. જે પ્રત્યક્ષ-અનુમાન આદિ પ્રમાણોથી પ્રસિદ્ધ છે. તે આ આત્મા ઉપરોક્ત વિશેષણો વાળો છે. આમ કહેવાથી આવાં વિશેષણોથી વિરુદ્ધ એવું આત્માનું જે કોઈ સ્વરૂપ અન્ય અન્ય દર્શનકારો માને છે તેનો આમાં નિષેધ થાય છે. ચાર્વાક પાંચ ભૂતાત્મક જ આત્મા છે. તેનાથી ભિન્ન આત્મદ્રવ્ય નથી. ઇત્યાદિ જે માને છે. તથા નૈયાયિક અને વૈશેષિક દર્શનકારો આત્માને જડ-સ્વરૂપ માને છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy