SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૬ चैतन्यस्वरूपः, परिणमनं प्रतिसमयमपरापरपर्यायेषु गमनं परिणामः स नित्यमस्यास्तीति परिणामी, करोत्यदृष्टादिकमिति कर्ता, साक्षादनुपचरितवृत्त्या भुङ्क सुखादिकमिति साक्षाद्भोक्ता, स्वदेहपरिमाणः स्वोपात्तवपुर्व्यापकः प्रतिक्षेत्रं प्रतिशरीरं भिन्नः पृथक् , पौद्गलिकादृष्टवान् पुद्गलघटितकर्मपरतन्त्रः, अयमित्यनन्तरं प्रमातृत्वेन निरूपित आत्मेति ॥ વિવેચન- આત્મા કેવો છે ? તેનું સ્વરૂપ આ સૂત્રમાં સમજાવ્યું છે. તથા અન્ય અન્યદર્શનકારોની આત્મતત્ત્વને વિષે જે જે ભ્રામક માન્યતાઓ છે. તે દૂર કરવા માટે પ્રધાનપણે અમુક અમુક શબ્દપ્રયોગ સૂત્રકારે કર્યો છે. આ વાત શબ્દપ્રયોગ સાંભળતાં જ સમજાય તેમ છે. તે આ પ્રમાણે (૧) ચૈતન્યસ્વરૂપ =કોઇપણ પદાર્થને જાણવો-સમજવો અને તેના વિષે જ્ઞાન કરવું તે ઉપયોગ. આ ઉપયોગ બે પ્રકારનો છે. એક સાકારોપયોગ અને બીજો નિરાકારોપયોગ. વસ્તુતત્ત્વને વિશેષથી જાણવું તે સાકારોપયોગ. અને તે જ વસ્તુતત્ત્વને સામાન્યપણે જાણવું તે નિરાકારોપયોગ. સાકારોપયોગના જ વિશેષોપયોગ અને જ્ઞાનોપયોગ એવાં બીજાં બે નામો છે. અને નિરાકારોપયોગનાં જ સામાન્યોપયોગ અને દર્શનોપયોગ એવાં બીજાં બે નામો છે. આવા પ્રકારના બન્ને ઉપયોગો એ જ છે સ્વરૂપ જેનું તે આત્મા. એટલે કે આત્મા ચૈતન્ય-સ્વરૂપવાળો છે. અર્થાત્ સાકારોપયોગવાળો અને નિરાકારોપયોગવાળો છે. છઘસ્થાવસ્થામાં પહેલો નિરાકારોપયોગ પછી સાકારોપયોગ આવે છે. અને કેવલી અવસ્થામાં પહેલાં સાકારોપયોગ અને પછી નિરાકારોપયોગ આવે છે. (આ શબ્દપ્રયોગથી પંચ ભૂતાત્મક જડ આત્મા છે. આવી ચાર્વાકની માન્યતાનું ખંડન થાય છે.) . (૨) રબારી સમયે સમયે નવા નવા પર્યાયોમાં પરિણામ (પરિવર્તન) પામવું. તે પરિણામ કહેવાય છે. આવું પરિણમન સતત (નિત્ય-દરરોજ-પ્રતિસમયે) છે જે દ્રવ્યમાં તે આત્મ-દ્રવ્ય પરિણામી છે. પરંતુ પરિણામ વિનાનું કૂટસ્થ નિત્ય નથી. આ શબ્દપ્રયોગથી કૂટસ્થનિત્ય માનનાર તૈયાયિક-વૈશેષિક અને સાંખ્યનું ખંડન થાય છે. (૩) ઊં=શુભ-અશુભ કર્મોને અદૃષ્ટ કહેવાય છે. એટલે કે શુભકર્મ જે પુણ્ય કહેવાય છે અને અશુભકર્મ જે પાપ કહેવાય છે. તે બન્ને પુણ્ય-પાપ જે કર્મો છે તેને જ અદૃષ્ટ કહેવાય છે. તેના કરનાર આ આત્મા છે. અર્થાત્ આત્મા પ્રતિસમયે પુણ્ય-પાપ કર્મોનો કર્તા છે. આ શબ્દપ્રયોગથી અકર્તા માનનારા એવા સાંખ્ય દર્શનનું ખંડન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy