SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ જેમ તૈનચ થારા પતિ આ વાક્યમાં ષષ્ઠી હોવાથી ભેદ જણાય છે. પરંતુ હકીક્તથી જે તૈલ છે તે જ ધારા રૂપે પડે છે. તેવી રીતે જે મમ શબ્દથી વાચ્ય છે. તે જ માત્મન્ શબ્દથી વાચ્ય છે. પરંતુ બે આત્મા નથી. વળી માત્મા આ વાક્યમાં માત્મા શબ્દ હોવા છતાં અને તેનો અર્થ ચેતનઆત્મા થતો હોવા છતાં ક્યારેક ઉપચારથી શરીર અર્થ પણ થાય છે. અને જ્યારે માત્મા શબ્દનો ઉપચારથી શરીર અર્થ કરીએ ત્યારે અમનો અર્થ આત્મા થઈ શકે છે. આ વિધાન ભેદની પ્રધાનતાએ કરેલ છે. અને એટલે મારું (આત્માનું) અને માત્મા એટલે શરીર. મારું શરીર દુઃખે છે. ઇત્યાદિમાં ષષ્ઠી દ્વારા ભેદ કહેવામાં આવે છે. અહીં કદાચ એક પ્રશ્ન થાય કે માત્મા શબ્દનો શરીર અર્થ ઉપચારથી જે કરવામાં આવ્યો. તે કેમ થઈ શકે ? તેનો ઉત્તર એ છે કે શરીરસ્થાપવાન્ટેન શરીર એ આત્માને અત્યન્ત ઉપકારક હોવાથી શરીર એ જ જાણે આત્મા છે એવો ઉપચાર કરવામાં આવે છે. જેમ અત્યન્ત ઉપકારક એવા સેવકમાં પણ “આ હું જ છું” એવો ઉપચાર કરાય છે. આપણા સેવકનું કોઇ અપમાન કરે, તો તે આપણું જ અપમાન છે એમ જીવ માને છે. આ જેમ ઉપચાર છે. તેમ શરીરમાં આત્મત્વનો ઉપચાર પણ ક્યારેક કરવામાં આવે છે. किञ्च, ममात्मेति मत्प्रत्ययविषयाद् भेदेनात्मज्ञानं बाध्यमानत्वाद् भ्रान्तं भवतु, शरीरभेदज्ञानं तु कस्माद् भ्रान्तम् ? न ह्येकत्र केशादिज्ञानस्य भ्रान्तत्वे सर्वत्र भ्रान्तत्वं युक्तम्, भ्रान्ताभ्रान्तविशेषाभावप्रसङ्गात् । ततः प्रत्यक्षादात्मा सिद्धिसौधमध्यमध्यासामास । ननु आत्मनः किं रूपं यत् प्रत्यक्षेण साक्षात्क्रियते ? यद्येवम्, सुखादेरपि किं रूपं यद् मानसप्रत्यक्षसमधिगम्यमिष्यते ?। नन्वानन्दादिस्वभावं प्रसिद्धमेव रूपं सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु भवान् । सुखादि चेत्यमानं हि, स्वतन्त्रं नानुभूयते । मतुबर्थानुवेधात् तु, सिद्धं ग्रहणमात्मनः ॥१॥ इदं सुखमितिज्ञानं, दृश्यते न घटादिवत् । अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥२॥ વળી “મમ માત્મા” આ વાક્યપ્રયોગમાં ધારો કે બન્ને પદોથી બે આત્મા સમજાય છે અને બે આત્માનું હોવું એ બાધિત છે. માટે, અથવા અમે માત્મા શબ્દમાં માત્મા શબ્દનો અર્થ ઉપચારથી શરીર કરીએ છીએ અને તે પણ બાધિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy