SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ૨૩૩ પ્રયોગમાં શરીરથી ભિન્ન એવો આત્મા નામનો સ્વતંત્ર જે પદાર્થ તમે જૈનો માનો છો તેના આલંબને “મા” શબ્દનો પ્રયોગ થાય છે. મમ શબ્દથી આત્મા, અને શરીર શબ્દથી શરીર સમજીને આવું જ્ઞાન તેવા વાક્યથી થાય છે. આવું માનતા તમને જૈનોને માત્મા આવું વાક્ય જ્યારે બોલશો ત્યારે પણ આત્મા નામના તમે માનેલા પદાર્થથી ભિન્ન એવા કોઇ અન્ય પદાર્થ (બીજા આત્માની પ્રતીતિ માનવી પડશે અને તે બીજા આત્માની જ અપેક્ષાએ શબ્દનો પ્રયોગ સંગત થશે. જેથી તમારે જૈનોને જેમ મ શરીરમમાં આત્મા અને શરીર એમ બે પદાર્થ સમજાય છે. તેમ મમ આત્મામાં પણ બે આત્મા માનવાની તમને આપત્તિ આવશે. આવી નિષ્ઠાપનીર્થત્વ= (તમે જૈનો જે બે આત્મા એક શરીરમાં નથી માનતા, તે માનવાની તમને આપત્તિ આવશે.) આવી તમને અનિષ્ટપત્તિનો દોષ આપવાના પ્રયોજનથી જ અમે (ચાર્વાકોએ) પૂર્વે માત્મા શબ્દમાં આત્માનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ અમે આત્મા નામનું તત્ત્વ સ્વીકારી લીધું છે, માટે આ પ્રયોગ કર્યો છે. એમ નથી. અર્થાત્ “ માત્મા' શબ્દમાં અમે જે માત્મ-શબ્દનો પ્રયોગ કર્યો છે તે તમને આપત્તિ આપવાના પ્રયોજનથી જ કર્યો છે. પરંતુ અમે કંઈ આત્મા સ્વીકારી લીધો નથી. માટે અમારો કરાયેલો મમ માત્મા આ પ્રયોગ નિર્દોષ જ છે. જૈન– હે ચાર્વાક ! તારી આ વાત અમનોહર છે. કારણકે “કમ માત્મા" આ વાક્યપ્રયોગમાં આત્માથી ભિન્ન એવો બીજો આત્મા ૫૫ શબ્દથી પ્રતિમાસના જણાતો ન હોવાથી. અર્થાત્ શબ્દથી અન્ય આત્મા લેવાનો નથી. નદિ મમાયમતિ કારણકે મમ શરીરનું આ વાક્યપ્રયોગમાં શરીરથી ભિન્ન એવો “આત્મા” જેમ જણાય છે. તેની જેમ “મમાયમાત્મા” આ વાક્યપ્રયોગસંબંધી જ્ઞાનમાં મમ શબ્દના વિષયવાળા એક આત્માથી માત્મા શબ્દવડે ભિન્ન આત્મા જણાતો નથી. અર્થાત્ તેવો અનુભવ થતો નથી. બન્ને શબ્દોથી વાચ્ય એક જ આત્મા છે. પરંતુ “અદ્દે ટુકી સુઘી વા" હું જ દુઃખી છું અથવા સુખી છું. એમ કહ્યું પદથી પોતાના અનુભવ સિદ્ધ એવા એક આત્માને માનસપ્રત્યક્ષ-પ્રમાણ દ્વારા સ્વીકારીને બીજો કોઈ આત્મા (દુઃખી-સુખી) નથી. પરંતુ મારો જ આત્મા દુઃખી-સુખી છે. આ પ્રમાણે અન્ય આત્માનો વ્યવચ્છેદ કરવા દ્વારા સાંભળનારા અન્ય જીવોને સમજાવવા માટે જ “મ માત્મા” એવો ભેદ પ્રયોગ કરીને જણાવવામાં આવે છે. સારાંશ કે અહીં માત્મા મારો આત્મા એવું જે વાક્ય બોલાય છે. તેનો મદમાત્મા “હું પોતે જ” એવો અર્થ કરવો જોઈએ. અને એવો જ અર્થ થાય છે. ૩0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy