SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૭,૮,૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ સૂત્રાર્થ- પ્રમાણથી એકાન્ત ભિન્ન એવા અને વ્યવહિત (પરંપરા) ફળ સ્વરૂપ એવા “ઉપાદાનબુદ્ધિ આદિ” ની સાથે હેતુ સંભવતો હોવાથી વ્યભિચાર દોષ (નોને) આવશે એમ ન વિચારવું. આ બાબતમાં યુક્તિ જણાવે છે કે- તે પ્રમાણ-ફળ એક પ્રમાતામાં તાદાગરૂપે હોવાથી પ્રમાણથી “અભેદ” ભાવે રહેલું છે. એક પ્રમાતાની સાથે તાદામ્યપણું કેવી રીતે રહેલું છે ? એવી શંકા કરીને કહે છે કે- પ્રમાણ તરીકે પરિણામ પામેલ આત્મા જ ફળપણે પરિણામ પામે છે. આવી પ્રતીતિ થતી હોવાથી તાદાભ્યપણું છે. I૬-૭,૮,૯ll ટીકાર્થ– પ્રમાણનું ફળ પ્રમાણથી સ્યાદ્ ભિન્ન-ભિન્ન છે. આવા પ્રકારનું અનુમાન સૂત્ર-૬માં જૈનાચાર્યે જણાવ્યું છે. તે અનુમાનને તોડવા માટે તૈયાયિકવૈશેષિકો હેતુને વ્યભિચારી બનાવે છે. જે હેતુ સાધ્યના અભાવમાં પણ વર્તે તે હેતુ વ્યભિચારી” કહેવાય છે. ગ્રંથકારના અનુમાનમાં “ચા ભિન્ન-ભિન્નત્વ” એ સાધ્ય છે. તેથી એકાન્તભિનત્વ કે એકાન્ત અભિન્નત્વ એ સાધ્યાભાવ કહેવાય છે. અહીં પ્રમUTહત્વાચથાનુપત્તેિ આ હેતુ એકાન્તભિન્ન એવા સાધ્યાભાવમાં વર્તે છે. એટલે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી વ્યભિચાર દોષ જૈનોને આવશે, એમ યૌગિકોનું કહેવું છે. અજ્ઞાનનિવૃત્તિ અને ઉપાદાનબુવ્યાદિ એમ બે પ્રકારનાં પ્રમાણનાં ફળ છે. પહેલું ફળ અનંતર છે. અને બીજું ફળ પરંપરાએ છે. ત્યાં અજ્ઞાનનિવૃત્તિ રૂપ અનંતર ફળ આવ્યા પછી ઉપાદાન બુદ્ધયાદિરૂપ પરંપર-ફળ આવે છે. તેથી તે વ્યવહિત ફળ (વ્યવધાનવાળું ફળ) કહેવાય છે. કારણ કે પ્રમાણ અને પરંપર-ફળની વચ્ચે અનંતર ફળ થાય છે તેથી અનંતર ફળ વ્યવધાન રૂપ બનવાથી પરંપર-ફળ પ્રમાણથી દૂર થઈ જાય છે. તેથી પરંપર-ફળ એ પ્રમાણથી એકાન્ત ભિન્ન કહેવાય છે. આમ યૌગિકોનું માનવું છે. આ પ્રમાણે ઉપાદાનબુઢ્યાદિ રૂપ પરંપર-ફળ એ વ્યવહિત ફળ પણ છે. અને પ્રમાણથી દૂર હોવાથી એકાન્ત ભિન્ન પણ છે. છતાં તેમાં પ્રમાણનું ફળતા કહેવાય જ છે, કારણકે જ્ઞાનરૂપ પ્રમાણ થયું તો જ તેનાથી ઉપાદાન બુદ્ધયાદિ થાય છે. આ પ્રમાણે પ્રમાણફલત્વાન્યથાનુપપત્તિ સ્વરૂપ જૈનોનો હેતુ એકાન્તભિન્ન એવા ઉપાદાન-બુદ્ધયાદિ રૂપ સાધ્યાભાવમાં રહેવાથી વ્યભિચાર દોષ જૈનોને આવશે એમ યૌગિકો અહીં કહી શકે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે અમને=જૈનોને વ્યભિચાર દોષ આવશે એવું યૌગિકોએ ન વિચારવું. કારણ કે ત્યાં પ્રમાણ-ફળતાન્યથાનુપપત્તિ હેતુ છે. પરંતુ સાધ્યાભાવ નથી. પણ સાધ્ય છે. અર્થાત્ ઉપાદાન-બુદ્ધયાદિ રૂપ જે. પરંપરા-ફળ છે તે એકાન્તભિન્ન નથી. પરંતુ સ્વાભિન્ન છે. સારાંશ કે પ્રમાણ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy