SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ભોગવવાનું સાધન) છે. એટલે આ જીવ જ ક્યારેક ક્યારેક કેટલાક કેટલાક ભૂતના અવયવોનું ગ્રહણ કરે છે. અને એ ભૂતાવયવોનું પોતે જ શરીર બનાવે છે. શરીર બનાવનાર જીવ જ છે. તેથી શરીર બનાવવા માટે જેમ આ જીવ ગર્ભકાળે શુક્ર અને શોણિત સ્વરૂપ ભૂતાવયવોને ગ્રહણ કરે છે. અને તેનું રૂપાન્તર કરીને શરીર બનાવે છે. એટલે તે શરીરનો જીવ છે. શુક્ર-શોણિત એ શરીરનું ઉપાદાનકારણ છે. અને શરીર તેનું ઉપાદેય (કાર્યો છે. તેવી જ રીતે વિકૃત થયેલા દહીંના અવયવોને પણ આ જીવ જ ગ્રહણ કરશે. એટલે કે જેમ ગર્ભજ જીવ ઉત્પન્ન થાય છે. તેમ સ્વદજઉભેદજ આદિ ભેદવડે અનેક પ્રકારનો એવો જીવવર્ગ છે કે જે કોઈક જીવવર્ગ વિકૃત એવા દધિ અવયવોનું શરીર બનાવે છે. કોઇક જીવવર્ગ (જે વિષ્ટામાં કીડા આદિ થાય છે તે) વિષ્ટારૂપ ભૂતાવયવોનું શરીર બનાવે છે. કોઇક જીવવર્ગ ગોમયના અવયવોનું શરીર બનાવે છે. આ પ્રમાણે ચિત્ર-વિચિત્ર કર્મના જ વિપાકોદયની અપેક્ષાએ જીવો જ ભૂતાવયવોનું શરીરરચના રૂપ કાર્ય કરે છે. ત્યાં ભૂતાવયવો એ ઉપાદાન કારણ છે અને શરીરરચના એ ઉપાદેય છે. જીવ એ ર્તા છે. ચૈતન્ય એ જીવનું ઉપાદેય છે. માત્ર તે ચૈતન્યની વૃદ્ધિનહાનિ થવામાં શરીર એ સહકારિતારણ છે. આવી પરિસ્થિતિ હોવાથી ચાર્વાકની ઉપરોક્ત વાતો-માન્યતાઓ (કલ્પના માત્રથી કલ્પેલી) દલીલો યત્કિંચિત્ છે. અર્થાત્ નિરર્થક છે. યથાર્થ નથી. आत्मप्रतीतौ किं प्रमाणमिति चेत् प्रत्यक्षमेव तावत्, तथाहि-सुखी-दुःखी वाऽहमित्याद्यहंप्रत्ययश्चेतनातत्त्वमात्माख्यमर्पयत्येव । न चायं भ्रान्तिभ्राता, विसंवादापवादवन्ध्यत्वात् । नापि लैङ्गिकादिः, लिङ्गादितत्तत्कारणकलापोपनिपातमन्तरेणैवोत्पादात् । ततः स्पष्टप्रतिभासस्वरूपत्वेन प्रत्यक्षलक्षणोऽयमन्तर्मुखाकारतया परिस्फुरन्नात्मानमुद्द्योतयति ॥ ભૂતાતિરિક્ત આત્મા નથી જ, આવું માનનારો, ચાર્વાક અત્યાર સુધી પોતાના પક્ષનું ખંડન કરવામાં જ દલીલો કરતો હતો. તે હવે થાકીને શિષ્યભાવ ધારણ કરીને ભૂતાતિરિત આત્મા કઇ યુક્તિઓથી છે એમ જ્યારે જૈનને પૂછે છે. ત્યારે જૈન સમજાવે છે. હે ચાર્વાક ! કદાચ તમે એમ કહો કે આત્માની સિદ્ધિમાં (આત્મા નામનું કોઈ ભૂતાતિરિક્ત તત્ત્વ છે. એમ સાબિત કરવામાં) તમારી (જૈનીઓની) પાસે શું પ્રમાણ છે ? તો અમે (જૈનીઓ) કહીએ છીએ કે પ્રથમ તો “પ્રત્યક્ષ જ પ્રમાણ” છે. (અને જ્યાં પ્રત્યક્ષ-પ્રમાણ હોય છે ત્યાં બીજાં પ્રમાણોની અપેક્ષા રખાતી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy