SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૫૫ માત્ર છે. મૂલદ્રવ્ય તો જૈનોએ માનેલું પુદ્ગલાસ્તિકાય સ્વરૂપ કોઈ એક તત્ત્વ જ છે. એવો પ્રસંગ આવશે. અર્થાત્ તત્ત્વ ચતુષ્યવાદ ક્ષીણ થઈ જશે. સારાંશ કે કડું, કુંડલ અને કંકણની અંદર જેમ કંચન એક દ્રવ્ય છે. તેમ પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુમાં પુદગલ એક દ્રવ્ય છે. એવું જ માનવાનો પ્રસંગ આવ્યો કે જે જૈનો માને છે. અને એમ માનવાથી “ભૂતોથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે” આ વાત સદ્વાદ=સત્યકથનરૂપ રહેતી નથી. કારણકે ભૂતો પોતે પણ પદાર્થરૂપ નથી. પુદ્ગલના પર્યાયરૂપ છે એવો જ અર્થ થયો. માટે ચૈતન્યની ઉત્પત્તિનું જે ઉપાદાનકારણ છે. તે આત્મા જ છે. ननु ज्ञानं भूतान्वयव्यतिरेकानुविधायि दृश्यते, तथाहि-भूतेष्वन्नपानोपयोगतुष्टेषु पटवी चेतना भवति, तद्विपर्यये विपर्ययः, ब्राह्मीघृताद्युपयोगसंस्कृते च कुमारकशरीरे पटुप्रज्ञता प्रजायते, वर्षासु च स्वेदादिना नातिदवीयसैव, कालेन दध्यवयवा एव चलन्तः पूतरादिकृमिरूपा उपलभ्यन्ते, इति भूतचैतन्यपक्ष एव युक्तियुक्तो लक्ष्यत इति चेत् नैतच्चारु, यतश्चेष्टेन्द्रियार्थाश्रयः शरीरं प्रसिद्धम् , तदनुग्रहात् तत्सहकारीन्द्रियानुग्रहे पटुकरणत्वाद् विषयग्रहणमपि पटुतरमेव भवति । न च विषयग्रहणादन्यच्चैतन्यं नाम, एतेन ब्राह्मीघृतोपयोगोऽपि व्याख्यातः । आत्मनो भोगायतनत्वेन शरीरस्य कदाचित् केषाञ्चिद् भूतावयवानामुपादानम्, अतः शुक्रशोणितवद् दध्यवयवान् विकृतानुपादास्यते । तथा च स्वेदजादिभेदेन बहुभेदो भूतसर्गः प्रवर्तते विचित्रकर्मविपाकापेक्षयेति यत्किञ्चिदेतत् ॥ ચાર્વાક– હે જૈનીઓ ! ચૈતન્ય પૃથ્વી આદિ ચાર ભૂતોની સાથે જ અન્વય વ્યતિરેકને અનુસરનારૂં દેખાય છે. તે આ પ્રમાણે–ભોજન અને પાણી આદિના ઉપયોગ દ્વારા સંતુષ્ટ (ખુશખુશ-પ્રસન્ન) થયેલા એવા ભૂતોમાં (એટલે કે ભૂતોના બનેલા શરીરમાં) વિશિષ્ટ ચૈતન્ય દેખાય છે. અને તfપર્થ તદ્વિપર્યયઃ=ભોજન પાણી આદિના અભાવમાં ગ્લાનિ પામેલા ભૂતોમાં તેવું વિશિષ્ટ ચૈતન્ય દેખાતું નથી. અર્થાત્ ભોજનાદિ દ્વારા શરીરરૂપે બનેલું ભૂત તત્ત્વ પ્રસન્ન હોય ત્યારે જ્ઞાન સારું પ્રાપ્ત થાય છે. અને ભોજનાદિ ન કર્યું હોય ત્યારે ભૂતાત્મક શરીર થાકેલું, ગ્લાનિ પામેલું અને અશક્ત બનવાથી તેવું વિશિષ્ટ જ્ઞાન પામી શકતું નથી. માટે ભોજનાદિ દ્વારા ભૂતાત્મક શરીરની વૃદ્ધિમાં ચૈતન્યની વૃદ્ધિ અને તેના વિરહમાં ચૈતન્યની હાનિ દેખાય છે. તેથી ચૈતન્ય એ ભૂતોને અન્વય-વ્યતિરેક ભાવે અનુસરનારું છે. તથા બ્રાહ્મી આદિ ઔષધિઓ અને વૃત (ઘી) આદિ ઉત્તમ પદાર્થોના સતત સેવનથી સંસ્કાર પામેલા એવા બાળકુમારના શરીરમાં વિશિષ્ટ બુદ્ધિમત્તા પ્રગટ થતી દેખાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy