SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ પરિચ્છેદ-૭ : સૂત્ર-પપ રત્નાકરાવતારિકા ભાગ-૩ किञ्च, यथा काष्ठाद्यन्तः प्रतिष्ठादव्यक्ताज्वलनाज्ज्वलनः, चन्द्रकान्तार्तगताद् वा तोयात् तोयं व्यक्तीभवदभ्युपगतं भवता, तथाऽव्यक्तात् चैतन्यात् कुतोऽपि पाश्चात्याद् व्यक्तचैतन्यमभ्युपगम्यताम् , तथा चात्मसिद्धिः । अथ दृश्यमानकाष्ठेन्दुकान्तादेरेव पार्थिवाज्ज्वलनोदकाद्युत्पादोऽभ्युपगम्यते, नादृश्यमानात् कुतोऽपि, तर्हि क्षीणस्ते तत्त्वचतुष्टयवादः, सर्वेषां भूम्यादीनामुपादानोपादेयभावप्रसङ्गेन जैनाभिप्रेतपुद्गलैकतत्त्ववादप्रसङ्गादिति न भूतेभ्यश्चैतन्योत्पादः सद्वादः । વળી હે ચાર્વાક ! કાષ્ઠની અંદર રહેલા અવ્યક્ત અગ્નિમાંથી વ્યક્ત અગ્નિ, અને ચંદ્રકાન્ત મણિમાં રહેલા અવ્યક્ત જળમાંથી વ્યક્ત જળ પ્રગટ થતું જેમ દેખાય છે તેવી જ રીતે અવ્યક્ત ચૈતન્યવાળા કોઇપણ પાછળ (ગુપ્તપણે) રહેલા પદાર્થમાંથી વ્યક્ત ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમ જો તું આ વાત સ્વીકારે તો તે જ અવ્યક્ત અને વ્યક્ત ચૈતન્યવાળો ગુપ્તપણે રહેલો જે પદાર્થ છે. તે પદાર્થ જ આત્મા છે. આ રીતે આત્માની સિદ્ધિ થાય છે. ચાર્વાક– અમે કાષ્ઠ અને ચંદ્રકાન્તમાં રહેલા અવ્યક્ત અગ્નિ અને અવ્યક્ત જળમાંથી અનુક્રમે વ્યક્ત અગ્નિ અને વ્યક્ત જળની ઉત્પત્તિ માનતા નથી. કારણકે જે પ્રત્યક્ષ નથી તે કોઈ પદાર્થ નથી. તેથી અમે તો પ્રત્યક્ષપણે દશ્યમાન એવા કાષ્ઠસ્વરૂપ પાર્થિવમાંથી જ અગ્નિની ઉત્પત્તિ, અને પ્રત્યક્ષપણે દૃશ્યમાન એવા ચંદ્રકાન્ત મણિ સ્વરૂપ પાર્થિવમાંથી જ ઉદકની ઉત્પત્તિ થાય છે. એમ માનીશું. અર્થાત્ પ્રત્યક્ષપણે જે કાષ્ઠ અને ચંદ્રકાન્ત મણિ દેખાય છે તે પાર્થિવ છે. અને તેમાંથી જ અગ્નિ અને જળની ઉત્પત્તિ થાય છે. એમ માનીશું. પરંતુ કાષ્ઠ અને ચંદ્રકાન્તમાં રહેલા અદશ્યમાન (ન દેખાતા એવા) અગ્નિમાંથી અગ્નિની ઉત્પત્તિ અને જળમાંથી જળની ઉત્પત્તિ અમે માનતા નથી. સારાંશ કે અમે પ્રત્યક્ષવાદી હોવાથી અવ્યક્તપદાર્થને માનતા જ નથી. જૈન– જો તમે આ પ્રમાણે કહેશો તો તમારો માનેલો “આ સંસારમાં ચાર ભૂતો એ જ તત્ત્વ છે” એવો તત્ત્વચતુષ્ટયવાદ જ ક્ષીણ થાય છે. કારણકે ભૂમિ (પૃથ્વી) આદિ સર્વે (ચાર) તત્ત્વોમાં પણ ઉપાદાન-ઉપાદેયભાવ જ માનવાનો પ્રસંગ આવ્યો. એટલે કે ચાર ભૂતો એ સ્વતંત્ર ચાર પદાર્થો જ છે. આમ ન બનતાં આ ચાર પર્યાયો (રૂપાન્તર) માત્ર છે. મૂલદ્રવ્ય તો કોઈ એક જ છે. આમ અર્થ થશે. અને આવો અર્થ થવાથી એક કંચન દ્રવ્ય જ જેમ કડું, કુંડલ, કંકણ રૂપે પરિણામ પામે છે. એટલે કે મૂળ એક કંચન દ્રવ્ય જ છે. કડું, કુંડલ, કંકણ તેના પર્યાયો માત્ર જ છે. સ્વતંત્ર પદાર્થો નથી. તેવી જ રીતે પૃથ્વી-પાણી અગ્નિ-વાયુ આ ચાર પણ પર્યાયો જ (રૂપાન્તરો જ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy