SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ રત્નાકરાવારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ - अथ चिकित्साप्रयोगाद् दौर्बल्यादिनिवृत्त्युपलब्धेरपनेयविकारत्वम् , असाध्यव्याधेरुपलब्धेरनपनेयविकारत्वं चेत्युभयथादर्शनाद् मरणानिवृत्तिः, तदसत् यत औषधा-. देरलाभात् आयुःक्षयाद् वा कश्चिदसाध्यो विकारो भवति, दोषे तु केवले विकारकारिणि नास्त्यसाध्यता, तथाहि-तेनैव व्याधिना कश्चिद् म्रियते, कश्चिद् न, इति नेदं दोषे केवले विकारकारिणि घटते, तस्मात् कर्माधिपत्यमेवाऽत्र सुसूत्रम् । न चैतत् परलोकादागतमात्मानं विनेति, तथाहि-एतस्योत्पादे देहः सहकारिकारणम् , उपादानकारणं वा भवेत् , प्राचि विकल्पे कलेवरस्य सहकारिभावे किमुपादानं चैतन्यस्य स्यात् ? तद्व्यतिरेकेण तत्त्वान्तराभावात् । न चानुपादाना कस्यचित् कार्यस्योत्पत्तिरुपलब्धचरी । शब्दविद्युदादीनामप्यनुपादानत्वे तत्त्वचतुष्टयानन्तर्भावो भवेत् , देहाधिकोपादानाभ्युपगमे तु चैतन्यस्य निष्प्रत्यूहात्मसिद्धिः । कायसहकृतादात्मोपादानात् तथाविधचैतन्यपर्यायोत्पादप्रसिद्धेः ॥ ચાર્વાક– અમે એમ કહીએ છે કે ચિકિત્સા (ઔષધાદિ)ના પ્રયોગથી શારીરિક દુર્બળતા આદિ વિકારોની નિવૃત્તિ થતી જગતમાં દેખાય છે. તેથી તેવા કેટલાક વિકારો અપનેય (દૂર કરી શકાય તેવા) માનવા જોઇએ. અને ચિકિત્સાનો પ્રયોગ કરવા છતાં પણ કેટલાક વિકારો દૂર થતા નથી. આ રીતે અસાધ્ય વિકારોની પણ જગતમાં ઉપલબ્ધિ દેખાય છે. તેથી તેવા વિકારો અનપનેય (દૂર ન કરી શકાય તેવા) માનવા જોઇએ. આ પ્રમાણે અપનેય અને અનપનેય એમ ઉભય પ્રકારના વિકારો જગતમાં દેખાતા હોવાથી મરણ” નામનો વિકાર અસાધ્ય છે એમ માનીશું અને તેથી તેની અનિવૃત્તિ થાય છે. એમ પણ અમે કહીશું. તો તો અમને કોઈ દોષ નહી આવે ને ? જૈન– તન્હે ચાર્વાક ! તારી આ વાત ખોટી છે. મિથ્યા છે. કારણકે વિકારો અસાધ્ય અને સાધ્ય એમ બે પ્રકારના હોય છે. એવું જે તમે કહો છો. ત્યાં જે વિકારોને દૂર કરવા માટે કાં તો ઔષધાદિનો અલાભ હોય તો તે વિકારો અસાધ્ય બને, અથવા (ઔષધાદિ હોવા છતાં પણ) આયુષ્યનો ક્ષય થાય તો મૃત્યુ નામનો વિકાર અસાધ્ય બને. આ બે કારણોથી જ વિકારો અસાધ્ય બને છે. પરંતુ આ બે કારણ વિના કેવળ એકલા દોષને જ વિકારકારક માનવામાં આવે તો દોષ જો નિવાર્ય હોય તો તજ્જન્ય વિકાર પણ અવશ્ય નિવાર્ય જ હોય, અનિવાર્ય ન હોય. કારણકે વિકારનું કારણ દોષ જ માનેલો છે. તેથી તે જો દૂર થાય તો બીજાં કોઇ કારણ નહી હોવાથી તજન્ય વિકાર પણ જાય છે. તેથી વિકારોમાં અસાધ્યતા સંભવતી જ નથી. માટે મૃત્યુરૂપ વિકાર પણ નિવૃત્તિ પામવો જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy