SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૪ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પહેલેથી વિદ્યમાન હોય અને તેને દેખાડનારી કોઈ સામગ્રી આવે ત્યારે તે દેખાય તેને અભિવ્યક્તિ કહેવાય છે. અર્થાત્ સતિ વસ્તુનિ જે વસ્તુ પહેલેથી જ વિદ્યમાન હોતે છતે દેખાડનારી સામગ્રી આવવાથી જે દેખાય તે અભિવ્યક્તિ કહેવાય છે. જેમ કે અંધારામાં પડેલો ઘટ છે પરંતુ અંધકાર હોવાથી દેખાતો નથી. તેવા તે ઘટને પ્રદીપાદિનો પ્રકાશ જે દેખાડે તે અભિવ્યક્તિ કહેવાય છે. જ્ઞાનનનનોર્વે દિ મમવ્યમુચ્યતે જે પ્રદીપાદિનો પ્રકાશ જ્ઞાન-જનનને (છતી વસ્તુને દેખાડવાને) યોગ્ય હોય છે તે પ્રદીપાદિના પ્રકાશને અભિવ્યંજક કહેવાય છે. અને ઘટ-પટાદિ પદાર્થોની અભિવ્યક્તિ થઈ એમ કહેવાય. વિશવર્તી રાષ્ટ-પિષ્ટીિનિ ન તથા પરંતુ મદશક્તિ પહેલેથી હોય જ અને કાષ્ઠ, પિષ્ટાદિ તેને અભિવ્યક્ત કરતાં હોય તેવું ત્યાં નથી. અર્થાત્ મદશક્તિની બાબતમાં કાષ્ઠ, પિષ્ટાદિ અભિવ્યંજક બનતાં નથી. કારણકે પહેલેથી મદશક્તિની સત્તા સિદ્ધ કરવામાં કોઇપણ પ્રમાણ નથી. તેથી તે મદશક્તિના (અઘટિત) દૃષ્ટાન્નવડે ભૂતોમાં ચૈતન્યની અભિવ્યક્તિ કેમ સિદ્ધ થાય? ભાવાર્થ આ પ્રમાણે છે કે ઘટજનક એવી મૃત્યિંડાદિ સામગ્રીમાં પહેલેથી જ ઘટ ઘટપણે વિદ્યમાન હોય અને ભૂતલ ઉપરના ઘટને જેમ પ્રદીપ પ્રકાશિત કરે તેમ આ મૃતિંડાદિ સામગ્રી ઘટને પ્રકાશિત કરતી હોય તો અભિવ્યક્તિ કહેવાય. પરંતુ તેમ નથી. પહેલેથી ઘટ છે જ નહીં. તેથી સામગ્રી દ્વારા તે ઘટ પ્રકાશિત થતો નથી પરંતુ ઉત્પન્ન થાય છે. તેમ અહીં પણ ચાર ભૂતોમાં પ્રથમથી ચૈતન્ય છે જ નહીં, તેથી સમુદાયવાળી અવસ્થામાં અભિવ્યક્તિ કેમ માની શકાય ? અને ચાર ભૂતોને ચૈતન્યનાં અભિવ્યંજક કેમ કહી શકાય ? મૃતિંડાદિ એ ઘટનાં ઉત્પાદક છે. પરંતુ અભિવ્યંજક નથી. તેથી ઘટ એ ઉત્પાદ્ય છે. અભિવ્યંગ્ય નથી. માટે અહીં ઘટના ઉદાહરણથી ચૈતન્યની વ્યક્તતા (અભિવ્યક્તિ) કેમ સિદ્ધ થાય ? अथ भूतेभ्यश्चैतन्यमुत्पद्यमानमिष्यते, नैतदपि प्रशस्यम्, पृथगवस्थेभ्योऽपि तेभ्यस्तदुत्पत्तिप्रसक्तेः । भूतसमुदयस्वभावात् कायात्तदुत्पाद इति चेद्-ननु समस्ताद् व्यस्ताद् वा तस्मात् तदुत्पद्येत । न तावत् समस्तात्, अङ्गल्यादिच्छेदेऽपि पञ्चताप्रसङ्गात् । अन्यथा शिरश्छेदेऽप्यपञ्चत्वप्राप्तेः । नापि व्यस्ताद् एकस्मिन्नेव कायेऽनेकचैतन्योत्पत्तिप्रसङ्गात् । अथ एकः शरीरावयवी, तत एकमेव चैतन्यमुत्पद्यते, तदप्यसूक्ष्मम्, अक्षपादमत एव तादृशावयविस्वीकारात् । त्वन्मते तु समुदयमात्रमिदं कलेवरम् इत्यभिधानात् ॥ હવે ચાર્વાક પોતાના પક્ષનો બચાવ કરવા માટે કદાચ આ પ્રમાણે કહે કે-જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy