SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૩ સૂત્ર-૫૫ તમે (જૈનોએ) મૃતિંડાદિ સામગ્રીમાંથી ઘટની અભિવ્યક્તિ નથી સ્વીકારી પરંતુ ઉત્પત્તિ સ્વીકારી છે. તેમ અમે પણ આ ચાર ભૂતોથી ચૈતન્યની (અભિવ્યક્તિ થાય છે એમ નહી કહીએ પરંતુ) ઉત્પત્તિ થાય છે એમ કહીશું. અર્થાત્ ભૂતોથી ઉત્પન્ન થતું ચૈતન્ય છે. એમ અમારા વડે કહેવાશે. તો તો અમને કંઈ દોષ નહી આવે ને ? જૈનો– તમારી આ વાત પણ પ્રશંસનીય (યુક્તિયુક્ત) નથી. કારણકે તેમ માનવાથી પૃથર્ પૃથમ્ (ભિન્ન-ભિન્ન) અવસ્થાવાળા એવા પણ તે ભૂતોથી તે ચૈતન્યની ઉત્પત્તિ થવાનો પ્રસંગ આવશે. સમૂહથી જે કાર્ય થાય તે એક એક અવયવથી પણ આંશિક રીતે થતું હોય તો જ થાય. પ્રશ્ન- હવે કદાચ ચાર્વાક એવો બચાવ કરે કે ચારે ભૂતોના સમુદાયવાળી કાયાકારતાથી જ તે ચૈતન્યની ઉત્પત્તિ થાય છે એમ કહે તો અમે (જૈનો) તેમને પૂછીએ છીએ કે સમસ્ત એવાં તે ચારે ભૂતોની બનેલી સમસ્ત એવી કાયાથી અર્થાત્ અખંડકાયાથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે કે વ્યસ્ત એવી કાયાથી અર્થાત્ કાયાના એક એક અવયવમાત્રથી તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે ? ત્યાં જ તાવત્સત, સમસ્ત એવી કાયાથી (અર્થાત્ અખંડ કાયાથી) તે ચૈતન્ય ઉત્પન્ન થાય છે આ વાત ઉચિત નથી. કારણકે જો અખંડ કાયાથી ચૈતન્ય થાય છે. એમ હોય તો અંગુલી આદિ કોઈપણ એક અંગમાત્રનો છેદ કર્યો છતે પણ (અખંડકાયા ન રહેવાથી) ચૈતન્યનું પંચત્વ (મૃત્યુ) થવાની જ આપત્તિ આવે. અને આવા પ્રકારનો કોઈ એક અવયવ છેદાયે છતે ચૈતન્ય નાશ પામતું હોય એવું જગતમાં ક્યાંય દેખાતું નથી. અને હવે અંગુલી આદિ એકાદ-બે અવયવોનો છેદ થાય પણ કાયાનો બીજો ઘણો મોટો ભાગ અખંડ હોવાથી ચૈતન્યનો નાશ ન થાય. એમ જો કહો તો ગળાના ભાગથી શિરચ્છેદ (મસ્તકનો છેદ) થાય તો પણ ધડનો ઘણો ભાગ અખંડ હોવાથી ચૈતન્યનું અપંચત્વ જ થવું જોઈએ. (એટલે કે ચૈતન્યના મૃત્યુનો અભાવ જ થવો જોઈએ) પરંતુ તેમ થતું નથી. તેથી સમસ્ત વાળો આ પક્ષ બરાબર નથી. નપિ વ્યતા તથા કાયાકારે બનેલા ભૂત-સમુદાયમાં એક એક ભૂત અવયવથી ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. એમ જો કહો તો તે પણ ઉચિત નથી. કારણકે જો એમ માનશો તો આ કાયા ઘણા ભૂત અવયવોની બનેલી છે. તેથી એક કાયામાં પણ અનેક ચૈતન્યની ઉત્પત્તિ માનવાનો પ્રસંગ આવશે. આ રીતે અવયવોના સમૂહરૂપ અખંડકાયાથી ચૈત્યોત્પત્તિ માનીએ તો અંગુલ્યાદિના છેદમાં પંચત્વની પ્રાપ્તિનો અને એક એક અવયવથી ચૈતન્ય માનીએ તો અનેક ચૈતન્યોની ઉત્પત્તિ માનવાનો દોષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy