SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ - ---- - - - - - -- - - - રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ૨ ૧૩ ચી તે અતીન્દ્રિય શક્તિનો સ્વીકાર કરવો તે તે (તવ) સુર = તમારા માટે સુંદર નથી કારણકે જે વસ્તુ અતીન્દ્રિય હોય છે, તે ઇન્દ્રિયગમ્ય ન હોવાથી, ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ-પ્રમાણથી ગ્રાહ્ય બનતી નથી. કારણકે અતીન્દ્રિય વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણ વિના શેષ અનુમાન-પ્રમાણ કે આગમ-પ્રમાણથી જ ગ્રાહ્ય બને છે. એટલે કે અનુમાનાદિ પ્રમાણથી અતીન્દ્રિય શક્તિ સાધી શકાય છે. પરંતુ તત્કાયસ્થ તે અતીન્દ્રિય શક્તિને સિદ્ધ કરી આપે એવાં પ્રત્યક્ષાતિપિત્તનાપસ્થિ-પ્રત્યક્ષ વિનાનાં અનુમાન અને આગમપ્રમાણ મતોડમાવાતમારી દૃષ્ટિએ તો છે જ નહીં. તેથી તમે “અતીન્દ્રિયશક્તિ છે” એમ માનો તે ઉચિત નથી. અર્થાત્ તમે તે મદશક્તિને માની શકશો નહીં. ચાર્વાક - અમે (ચાર્વાક) ભલે અનુમાનાદિ પ્રમાણો ન માન્યાં હોવાથી “અસમુદાય” વાળી અવસ્થામાં મદશક્તિ ન માનતા હોઇએ. પરંતુ ર્નિસ્તાન જૈનો વડે તો તે અસમુદાયવાળી અવસ્થામાં સ્ત્રીત્તેર તાવિય-આ મદશક્તિ તો સ્વીકારાઇ જ છે. કારણકે સમુદાયાવસ્થાથામfમવ્યકિતસ્વીવારા=સમુદાયવાળી અવસ્થામાં તે મદશક્તિની અભિવ્યક્તિ જૈનો વડે તો સ્વીકારાઈ જ છે. સારાંશ કે સમુદાયવાળી અવસ્થામાં મદશક્તિની અભિવ્યક્તિ જૈનોએ માનેલી હોવાથી તે હેતુ દ્વારા અસમુદાયવાળી અવસ્થામાં મદશક્તિનું અનુમાન થશે અને જૈનો તો અનુમાનનું પ્રમાણ માને જ છે. તેથી અમે માનીએ કે ન માનીએ પરંતુ અમારે જેને સમજાવવું છે તે જૈનો તો અનુમાન પ્રમાણને પ્રમાણ માનતા હોવાથી કાર્યમાં શક્તિ અભિવ્યક્ત થતી માનેલી હોવાથી તે હેતુ દ્વારા કારણવાળી અવસ્થામાં પણ જૈનોએ તો મદશક્તિનું અસ્તિત્વ સ્વીકારેલું જ થયું. તસ-જૈનાચાર્યશ્રી કહે છે કે ઉપરોક્ત ચાર્વાકની જે વાત છે તે મિથ્યા છે. કારણકે તલાનીંગતે સમુદાયવાળી અવસ્થામાં તે જૈનો વડે તથા =તે અતીન્દ્રિયશક્તિનો ઉત્પાદ્યત્વે સ્વા૨ાત્sઉત્પાદ્ય તરીકે સ્વીકાર કરાયેલો છે. પણ અભિવ્યક્તિ તરીકે નહીં. જેમ મૃપિંડ, દંડ, ચક્ર અને કુલાલ આદિ સામગ્રી મળે છતે તેમાં ઘટ ઉત્પન્ન થાય છે. તેમ કાષ્ઠ, પિષ્ટાદિ સામગ્રી મળે છતે મદશક્તિ ઉત્પન્ન થાય છે. એમ અમે જૈનોએ સ્વીકાર્યું છે. માટી કાળે ઘટ ઘટપણે અવિદ્યમાન છે. અને સામગ્રી મળવાથી જન્મ પામે છે. તેમ કાષ્ઠ, પિષ્ટાદિ કાળે મદશક્તિ અસત્ (અવિદ્યમાન) છે. અને સામગ્રી મળવાથી જન્મ પામે છે. એમ અમે ઉત્પાદ્ય તરીકે શક્તિ સ્વીકારી છે. પરંતુ અભિવ્યક્તિ તરીકે નહીં. ઉત્પાદ્ય તરીકે અને અભિવ્યક્તિ તરીકેમાં આ પ્રમાણે તફાવત છે. જે વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy