SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ अथोक्तं प्राक्काष्ठपिष्टप्रभृतिषु प्रत्येकमप्रतीयमानाऽपि मदशक्तिः समुदायदशायां यथाऽभिव्यज्यते, तथा कायाकारे चैतन्यमपीति चेत्, तदसत्यम्, यतः केयं मदशक्तिमि, वस्तुस्वरूपमेव, अतीन्द्रिया वा काचित् । न प्राच्यः पक्षः, काष्ठपिष्टादिवस्तुस्वरूपस्यासमुदायदशायामपि सत्त्वेन तदानीमपि मदशक्तेरभिव्यक्तिप्रसक्तेः । अतीन्द्रियायास्तु तस्यास्तदानीमन्यदा वा न ते स्वीकारः सुन्दरः, प्रत्यक्षातिरिक्तप्रमाणस्य तत्साधकस्य भवतोऽभावात् । जैनैस्तदानीं स्वीकृतैव तावदियम् । समुदायदशायामभिव्यक्तिस्वीकारादिति चेत्, तदसत्, तस्यास्तदानीं तैरुत्पाद्यत्वेन स्वीकारात्, मृत्पिण्डदण्डकुलालादिसामग्रयां घटवत् । सति वस्तुनि ज्ञानजननयोग्यं ह्यभिव्यञ्जकमुच्यते प्रदीपादिवद्, न च काष्ठपिष्टादीनि मदशक्तौ तथा, तस्याः साधकप्रमाणाभावात्, इति कथं तदृष्टान्तेन चैतन्यव्यक्तिः सिध्येत् ॥ હે ચાર્વાક ! હવે જો તમે એમ કહો કે અમે (ચાર્વાક દર્શનનુયાયીઓએ) પૂર્વે કહ્યું જ છે કે કાષ્ઠ, પિષ્ટ આદિ મદિરાના એક એક અવયવોમાં દરેકમાં નહી જણાતી એવી પણ મદશક્તિ જેમ તે અવયવોના સમુદાયમાં અભિવ્યંજિત થાય છે. તેવી જ રીતે (કાયાના આકારે પરિણામ ન પામેલા ભૂતોમાં ન દેખાતું એવું પણ) ચૈતન્ય કાયાના આકારે પરિણામ પામેલા ભૂતોમાં અભિવ્યંજિત થાય છે. કાષ્ઠ, પિષ્ણદિમાં અસત એવી મદશક્તિ જેમ પ્રગટ થાય છે. તેમ કાયાકારે પરિણામ પામેલ ભૂતોમાં પણ પૂર્વે અસત્ એવું ચૈતન્ય ઉત્પન્ન થાય છે. એમ અમે માનીશું. આ પ્રમાણે જો તમે (ચાર્વાકદર્શનાનુયાયી) કહેશો તો તમારી તે વાત અસત્ય છે. કારણકે આ મદશક્તિ' એ શું છે? કાષ્ઠ, પિષ્ટાદિ વસ્તુઓનું સ્વરૂપ માત્ર જ છે? કે તેમાં કોઈ અતીન્દ્રિય એવી શક્તિવિશેષ છે? જો તમે પ્રથમ પક્ષ કહો તો તે ઉચિત નથી. કારણ કે જો આ મદશક્તિ તે કાષ્ઠ, પિાદિ પદાર્થોનું પોતાનું સ્વરૂપ જ હોય તો (જેમ સમુદાયાવસ્થામાં અભિવ્યક્ત થાય છે. તેની જેમ જ) અસમુદાય વાળી અવસ્થામાં પણ સ્વરૂપપણે વિદ્યમાન હોવાના કારણે તલામપિ તે અસમુદાયવાળી અવસ્થામાં પણ આ મદશક્તિ અભિવ્યક્ત થવી જ જોઈએ. આવા પ્રકારના દોષનો પ્રસંગ આવશે. કારણકે વસ્તુનું જ સ્વરૂપ હોય તે વસ્તુથી ભિન્ન કદાપિ ન હોવાથી સમુદાયાવસ્થાની જેમ જ અસમુદાયાવસ્થામાં પણ તે વસ્તુ-સ્વરૂપ હોવું જ જોઇએ. હવે જો આ મદશક્તિ એ કોઈ અતીન્દ્રિય (ઈન્દ્રયોથી ન જાણી શકાય તેવી) શકિતવિશેષ જ છે. એમ (હે ચાર્વાક !) જો તમે કહેશો તો તદ્દાનીમા વ= સમુદાયવાળી અવસ્થામાં કે અસમુદાયવાળી અન્યાવસ્થામાં પણ તા: અતીન્દ્રિયાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy