SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ ૨૦૯ - પૃથ્વી, પાણી, તેજ અને વાયુ એમ ચાર ભૂતો એ જ તત્ત્વ છે. તથા આ ચાર ભૂતો જ જયારે કાયાના આકારે પરિણામ પામે છે. ત્યારે તે ભૂતો જ વ્યક્ત ચૈતન્ય ધર્મવાળાં બને છે. અર્થાત્ આ ચાર ભૂતો કાયાકારે પરિણામ પામે ત્યારે તે ભૂતોમાં જ ચૈતન્યધર્મ અભિવ્યક્ત થાય છે. પરંતુ ચૈતન્યધર્મવાળો તે ચાર ભૂતોથી વ્યતિરિક્ત એવો અને ભવાન્તરાનુયાયી અર્થાત્ પરભવ-ગામી એવો જીવ નામનો કોઈ પદાર્થ નથી. અમારા બૃહસ્પતિ નામના ધર્મગુરુએ કહ્યું છે કે–પૃથ્વી, પાણી, તેજ અને વાયુ આ ચાર જ તત્ત્વ છે. તે ચાર ભૂતોનો જ્યારે સમુદાય થાય ત્યારે જ (તે સમુદાયને જ) શરીર એવી સંજ્ઞા, વિષય એવી સંજ્ઞા, અને ઇન્દ્રિય એવી સંજ્ઞા પ્રવર્તે છે. અને તે ભૂતોના સમુદાયને જ્યારે શરીરાદિ સંજ્ઞા પ્રવર્તે છે. ત્યારે જ તે ભૂતોમાં ચૈતન્ય પ્રગટ થાય છે. જો કે એક એક ભૂતમાં ચૈતન્ય દેખાતું નથી. તો પણ તે ચારે ભૂતોની સમુદાયવાળી અવસ્થા જ્યારે બને છે. ત્યારે તેઓ મદશક્તિની જેમ ચૈતન્યને વ્યક્ત કરે છે. જેમ કાષ્ઠપિષ્ટાદિમાં રાષ્ટતાડાદિ અને પિષ્ટ જુનો લોટ, એટલે કે તાડના ઝાડનાં કાષ્ઠ અને આદિ શબ્દથી ધાવડીનાં ફૂલ, મહુડાનાં ફૂલ તથા જુનો લોટમાં પૂર્વકાળમાં (ઉકાળ્યા પૂર્વે) મદશક્તિ અદશ્યમાન છે. તો પણ ઉકાળવા દ્વારા એકરસ કરાયે છતે પ્રાપ્ત કર્યો છે સુરાકાર-પરિણામ (દારૂપણાના આકારનો પરિણામ) જેણે એવા તે સર્વે પદાર્થો સાથે મળીને મદશક્તિને વ્યંજિત કરે છે. તેની જેમ આ ચાર ભૂતો પણ જ્યારે કાયાકારે પરિણામ પામે, ત્યારે તેની પૂર્વે અદશ્યમાન ચૈતન્ય શક્તિવાળાં હોવા છતાં પણ કાયાકારે પરિણામ પામવાથી જ વ્યક્ત ચૈતન્ય શક્તિવાળાં બને છે. તેથી ભૂતોનો કાયાકારે પરિણામ પામેલો સમુદાય એ જચૈતન્ય છે. તેનાથી અતિરિક્ત ચૈતન્યધર્મવાળો સ્વતંત્ર કોઇ આત્મા નામનો પદાર્થ જૈનો વગેરે જે માને છે. તે પદાર્થ નથી. આ પ્રમાણે ચાર્વાકો કહે છે तदेतत् तरलतरमतिविलसितम्, कायाकारपरिणतभूतैश्चैतन्याभिव्यक्तेरसिद्धेः, सतः खल्वभिव्यक्तिर्युक्ता, न च देहदशायाः प्राग भूतेषु चैतन्यसत्तासाधकं प्रत्यक्षमस्ति तस्यैन्द्रियकस्यातीन्द्रिये तस्मिन्नप्रवर्तनात्, अनैन्द्रियकस्य तस्य त्वयाऽनङ्गीकाराच्च । नाप्यनुमानम्, तस्याप्यनङ्गीकारादेव । अथ स्वीक्रियत एव लोकयात्रानिर्वाहणप्रवणं धूमाद्यनुमानम्, स्वर्गापूर्वादिप्रसाधकस्यालौकिकस्यैव तस्य तिरस्कारादिति चेत्, तर्हि कायाकारहेतुष्वकायाकारभूतेषु भूतेषु चैतन्यानु ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy