SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥७-५५॥ અવતરણાર્થ- તે આ પ્રમાણે પ્રમાણ અને નયનું સ્વરૂપ વ્યવસ્થિતપણે સમજાવીને હવે તેષાં તે પ્રમાણો અને નયોરૂપ જ્ઞાનમાત્રા તત્ર તે આત્મામાં કથંચિ અભેદ ભાવે રહેલી હોવાથી તે સર્વે પ્રમાણો અને નયોની સાથે વ્યાપક એવા પ્રમાતા “આત્મા”ને સ્વરૂપથી સિદ્ધ કરે છે. સારાંશ કે તે સર્વે નયો અને પ્રમાણો તે આત્મતત્ત્વમાં (ર્તા અને કરણભાવે) કથંચિત્ અભેદભાવે રહેલ છે. તેથી તેની સાથે વ્યાપક એવા પ્રમાતાને સમજાવે છે– સૂસાર્થ- પ્રત્યક્ષાદિ (સર્વ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો આત્મા એ જ પ્રમાતા છે. II -પપII टीका-प्रमिणोतीति प्रमाता, किम्भूतः क इत्याह-प्रत्यक्षादिप्रसिद्धः प्रत्यक्ष-परोक्षप्रमाणप्रतीतः अतति अपरापरपर्यायान् सततं गच्छतीत्यात्मा जीवः । इहात्मानं प्रति विप्रतिपेदिरे परे । चार्वाकास्तावच्चर्चयाञ्चक्रुः-कायाकारपरिणामदशायामभिव्यक्तचैतन्यधर्मकाणि पृथिव्यप्तेजोवायुसंज्ञकानि चत्वार्येव भूतानि तत्त्वम्, न तु तद्व्यतिरिक्तिः कश्चिद् भवान्तरानुसरणव्यसनवानात्मा । यदुवाच बृहस्पतिः-"पृथिव्यप्तेजोवायुरिति तत्त्वानि, तत्समुदाये शरीरविषयेन्द्रिय-संज्ञाः । तेभ्यश्चैतन्यम्" इति प्रत्येकमदृश्यमानचैतन्यान्यपि च भूतानि समुदितावस्थानि चैतन्यं व्यञ्जयिष्यन्ति मदशक्तिवत्, यथा हि काष्ठपिष्टादयः प्रागदृश्यमानामपि मदशक्तिमासादितसुराकारपरिणामा व्यञ्जयन्ति तद्वदेतान्यपि चैतन्यमिति ॥ વિવેચન- વસ્તુતત્ત્વને જે જાણે તે પ્રમાતા કહેવાય છે. આ પ્રમાતા કેવો છે ? અને કોણ છે? ત્યાં પ્રથમ પ્રશ્નનો ઉત્તર જણાવે છે કે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ છે. અર્થાત્ આ આત્મા કેવો છે? તો કહે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બન્ને પ્રમાણોથી પ્રસિદ્ધ છે. બન્ને પ્રમાણો દ્વારા આત્મા અનુભવ-ગમ્ય છે. બીજા પ્રશ્નનો ઉત્તર કહે છે કે- અતિ નવા નવા પર્યાયોને નિરંતરપણે જે પામે છે તે આત્મા, અર્થાત્ જીવ એ જ પ્રમાતા છે. શરીરમાં રહેલા અસંખ્યપ્રદેશાત્મક, અરૂપી, ચૈતન્યાત્મક એવો જે જીવ નામનો સ્વતંત્ર પદાર્થ છે. તે જ પ્રમાતા છે. અહીં આ આત્મતત્ત્વની બાબતમાં પર દર્શનકારો ભિન્ન-ભિન્ન રીતે અનેક પ્રકારે વાદવિવાદ કરે છે. ત્યાં સૌથી પ્રથમ ચાર્વાક દર્શનવાળાઓ આત્મતત્ત્વની બાબતમાં આ પ્રમાણે ચર્ચા કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy