SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૫૪ અવતરણાર્થ- આ પ્રમાણે નયોનાં લક્ષણ, સંખ્યા અને વિષયો સમજાવીને હવે તે જ સાતે નયોનું ફળ સમજાવે છે કે— સૂત્રાર્થ- આ નોનું ફળ પ્રમાણની જેમ જ (અનંતર અને પરંપર વગેરે) સમજી લેવું. ॥ ૭-૫૪|| ૨૦૫ टीका - प्रमाणस्येव प्रमाणवत्, अस्येति नयस्य, यथा खलु आनन्तर्येण प्रमाणस्य संपूर्णवस्त्वज्ञाननिवृत्तिः फलमुक्तम् तथा नयस्यापि वस्त्वेकदेशाज्ञाननिवृत्तिः फलमानन्तर्येणावधार्यम् । यथा च पारम्पर्येण प्रमाणस्योपादानहानोपेक्षाबुद्धयः सम्पूर्णवस्तुविषयाः फलत्वेनाभिहितास्तथा नयस्यापि वस्त्वंशविषयास्ताः परम्पराफलत्वेनावधारणीयाः । तदेतद् द्विप्रकारमपि नयस्य फलं ततः कथञ्चिद्भिन्नमभिन्नं वाऽवगन्तव्यम् । नयफलत्वान्यथाऽनुपपत्तेः कथञ्चिद्भेदाभेदप्रतिष्ठा च नयफलयोः प्रागुक्तप्रमाणफलयोरिव कुशलैः कर्तव्या ॥ ७-५४ ॥ વિવેચન– પ્રમાણની જેમ ફળ જાણવું તેને પ્રમળવત્ કહેવાય છે મૂળસૂત્રમાં લખેલા અસ્ય શબ્દનો અર્થ આ નયનું ફળ પણ પ્રમાણની જેમ જ જાણવું. એવો અર્થ કરવો. આ જ ગ્રંથના છઠ્ઠા-પરિચ્છેદના સૂત્ર ૧ થી ૧૬ સૂત્રમાં પ્રમાણ અને પ્રમાણ ફળની ચર્ચા ગ્રન્થકારશ્રીએ જણાવી છે. તે જ પ્રમાણે આનન્તર્ય અને પારંપર્ય એમ બે પ્રકારનું ફળ, તથા નય અને ફળની વચ્ચે ભેદાભેદ વગેરે તમામ ચર્ચા પ્રમાણ અને પ્રમાણના ફળની જેમ અહીં પણ જાણવી. તે આ પ્રમાણે (૧) નયો દ્વારા જે સિદ્ધ કરાય (જે જણાય) અર્થાત્ સાપેક્ષપણે એક અંશનો જે બોધ કરાય છે. તે આ નયનું ફળ છે. (૨) નયોનું તે ફળ બે પ્રકારનું છે. આનાર્ય અને પારંપર્ય. (૩) સર્વે નયોનું આનન્તર્ય ફળ (તુરતનું ફળ) અંશધર્મવિષયક અજ્ઞાન નિવૃત્તિ છે. તે તે ધર્મવિષયક અજ્ઞાનને દૂર કરવું તે આનન્તર્ય ફળ છે. (૪) નયોનું પારંપર્ય ફળ કેવળજ્ઞાનકાળે ઉદાસીનતા છે. (૫) નયોનું પારંપર્ય ફળ મતિ-શ્રુત-અવધિ અને મન:પર્યવજ્ઞાન પ્રસંગે વસ્તુના એક અંશવિષયક ઉપાદાન, હાન અને ઉપેક્ષા બુદ્ધિઓ છે. (૬) તે આનન્તર્યફળ અને પારંપર્ય ફળ નયોથી કથંચિત્ ભિન્ન છે અને કથંચિદ્ અભિન્ન છે. અન્યથા તે ફળને નયોનું ફળ કહેવાય નહીં દ્વિપ્રારમપિનયસ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy