SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ હને (પક્ષ) તતઃ (નયજ્ઞાના) થગ્નિદ્ મનમfમનું વાવાન્તવ્યમ્ (સાધ્ય), નયનત્વાડથાનુપ. (હેતુ) આવા પ્રકારનું જે અનુમાન ટીકામાં આપ્યું છે. તેમાંના હેતુને પાજો મન અથવા મિત્ર એવા સાધ્યાભાવમાં લઈ જઈને આ હેતુને વ્યભિચારી બનાવે, તેના ખંડન માટે કહે છે કેનયો દ્વારા થનારી ઉપાદાનાદિ બુદ્ધિ પારંપર્ય ફળવાળી છે. એટલે કે વ્યવહિતફળવાળી છે. તેથી એકાત્તે ભિન્ન જ છે. પરંતુ ભિન્ન-ભિન્ન નથી. એમ થવાથી નયપત્નીચેથાડનુરૂપ આ હેતુ કથંચિત્ ભિન્ન-ભિન્નમાં રહેવાને બદલે એકાન્ત ભિન્નમાં રહેતો હોવાથી વ્યભિચારી બનશે. એમ ન કહેવું. (૮) કારણકે નય જ્ઞાનકાળે અને તેના પારંપર્ય-ફળકાલે એક જ પ્રમાતા છે. જે પ્રમાતા નયજ્ઞાન કરે છે તે જ પ્રમાતા પારંપર્ય-ફળરૂપે પરિણામ પામે છે. એમ તાદાભ્ય હોવાથી નયોથી નયોનું ફળ કથંચિત્ અભેદપણે પણ રહેલું છે. (૯) કારણકે જે પ્રમાતા નયજ્ઞાનરૂપે પરિણામ પામે છે. તે જ પ્રમાતા ઉપાદાનાદિ બુદ્ધિસ્વરૂપ ફળપણે પણ પરિણામ પામે છે. (૧૦) નયો દ્વારા જે પ્રમાતા વસ્તુના એક અંશને જાણે છે તે જ પ્રમાતા ઉપાદાન, ત્યાગ, અને ઉપેક્ષા બુદ્ધિ કરે છે. ઉપાદેયનો આદર, હેયનો ત્યાગ, અને ઉપેક્ષણીય ભાવોની ઉપેક્ષા કરતો તે પ્રમાતા સર્વ વ્યવહારી જીવો વડે અસ્મલિતપણે અનુભવાય જ છે. (૧૧) જો નયજ્ઞાન અને ઉપાદાનાદિ બુદ્ધિસ્વરૂપ-ફળમાં એકાન્ત ભેદ જ છે. એમ માનીએ તો નયજ્ઞાન અને ઉપાદાનાદિ-બુદ્ધિની વચ્ચે નય અને ફળપણાની વ્યવસ્થાનો જ વિનાશ થાય, અર્થાત્ કાર્યકારણ ભાવ સંભવે જ નહીં, એટલે કે નયજ્ઞાન એ કારણ છે. અને ઉપાદાનાદિ બુદ્ધિરૂપ ફળ તેનું કાર્ય છે. આવી વ્યવસ્થા એકાન્ત ભેદ હોવાથી. ઘટે નહીં. (૧૨) “અજ્ઞાનનિવૃત્તિ” સ્વરૂપ આનન્તર્યફળ (અર્થાત્ સાક્ષાત્કળ) નયજ્ઞાનથી એકાન્ત અભિન્ન જ છે. તેથી ભિન્ન-ભિન્ન સાધ્ય સાધવાવાળો હેતુ વ્યભિચારી છે એમ પણ ન માનવું. (૧૩) તે આનન્તર્યફળ સ્વરૂપ અજ્ઞાનનિવૃત્તિ પણ નયજ્ઞાનથી કથંચિત્ ભિન્નપણે પણ છે. એટલે કે એકાન્ત અભિન્ન નથી જ. (૧૪) નયજ્ઞાન એ કારણ છે. સાધન છે. અને અજ્ઞાનનિવૃત્તિરૂપ સાક્ષાત્કળ એ કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy