SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૪ રત્નાકરાવતારિકા ભાગ-૩ યાતિ આ પ્રમાણવાક્ય છે. દ્વિફ્લેવ આ નયવાક્ય છે. સત્યેવ આ દુનર્યવાક્ય છે. (જુઓ અન્યયોગવ્યવચ્છેદિકા-સ્યાવાદમંજરી શ્લોક-૨૮) પ્રમાણ-સપ્તભંગીવાળું વાક્ય વિવાર વાળું નહી હોવાથી એક જ વાક્યમાં વિધિ-નિષેધવાળા બન્ને ધર્મો જેમ સમાયેલા છે. એટલે કે એક એક વાક્યમાં વિધાન અને નિષેધવાળા ભાવો સાથે કહેવાય છે. તેવી જ રીતે નય-સપ્તભંગીવાળું વાક્ય પણ ભલે વાર વાળું હોવાથી એકીસાથે પ્રધાનતાએ વિધિ-નિષેધ ન જણાવે તો પણ પોતપોતાના અભિધેય વિષયમાં પ્રવર્તતું છતું વિધિ-નિષેધને ક્રમશઃ જણાવવા દ્વારા પરસ્પર ભિન્ન-ભિન્ન અર્થને જણાવનારા બે નયોથી ઉત્પન્ન થયેલા વિધાન અને નિષેધવડે કરીને તે વાક્ય પણ સપ્તભંગીને અનુસરે છે. પ્રમાણ-સપ્તભંગીની જેમ જ નય-સપ્તભંગીનો પણ વિચાર કરવા જેવો છે. સારાંશ કે પ્રક્ષd=પૂર્વે જણાવેલા વિક્લાદેશ સ્વભાવવાળું નયવાક્ય પણ પ્રમાણવાક્યની જેમ સપ્તભંગીને અનુસરે છે. કેવળ એ કલું પ્રમાણવાક્ય જ સપ્તભંગીવાળું બને છે. એમ નથી. તેથી નય-સપ્તભંગીના સર્વે વાક્યોમાં પણ એટલે કે પ્રતિભંગે અવાર નો અને ચાર નો પ્રયોગ સંભવે છે. સ્તિ-નાતિ, ઉપનામન આદિ ધર્મો ઉપર વિચારાતી તે બધી જ નય-સપ્તભંગીઓ વિક્લાદેશ સ્વભાવવાળી હોવાથી સક્લાદેશના સ્વભાવવાળી એવી સપ્તભંગીની જ એક વિશેષ વ્યવસ્થા સ્વરૂપ છે. જેમ પંજાની પાંચ આંગળીઓ એ પંજાના એક અંશરૂપ છે. પરંતુ પંજાથી સર્વથા ભિન્ન નથી. તેમજ એક એક આંગળી કંઇ પંજારૂપ પણ નથી. તેવી જ રીતે વિક્લાદેશ સ્વભાવવાળી આ નય-સપ્તભંગી વસ્તુના એક અંશની પ્રરૂપક હોવાથી પ્રમાણરૂપ પણ નથી, તથા પ્રમાણથી એકાતે ભિન્ન પણ નથી, પરંતુ પ્રમાણસપ્તભંગીના અવયવ-સ્વરૂપે વિશેષ વ્યવસ્થાપક છે. જ્યારે સક્લાદેશ સ્વભાવવાળી પ્રમાણ-સપ્તભંગી સંપૂર્ણ વસ્તુ-સ્વરૂપની પ્રકાશક હોવાથી પંજાની તુલ્ય અવયવીરૂપ છે. તે પણ નય-સપ્તભંગીથી એકાતે ભિન્ન પણ નથી અને અભિન્ન પણ નથી. માત્ર તે પૂર્ણ વસ્તુ-સ્વરૂપની પ્રકાશક છે. અને નયસપ્તભંગી આંશિક વસ્તુ-સ્વરૂપની પ્રકાશક છે. ૭-૫૩|| एवं नयस्य लक्षणसङ्ख्याविषयान् व्यवस्थाप्येदानी फलं स्फुटयन्तिप्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥७-५४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy