SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-પ૩ ૨૦૩ વિવેચન- સર્વે વસ્તુ અનંત અંશાત્મક (ધર્માત્મક) છે. જ્યારે જ્યારે કોઇપણ વિવક્ષિત વસ્તુને કોઈપણ એક અંશથી (બીજા અંશોનો અપલાપ કર્યા વિના) સાપેક્ષપણે જાણવામાં આવે છે. ત્યારે તેને નય કહેવાય છે. તેને જ વિક્લાદેશ પણ કહેવાય છે. તથા તે જ વિવક્ષિત વસ્તુને જયારે અનેક ધર્મોથી જાણવામાં આવે છે ત્યારે તેને પ્રમાણ કહેવાય છે, તેને જ સલાદેશ પણ કહેવાય છે. આ રીતે આંશિક ધર્મને સમજાવનારા વાક્યને નયવાક્ય અને વિક્લાદેશ કહેવાય છે. અને સર્વ અંશોને સમજાવનારા વાક્યને પ્રમાણવાક્ય અને સક્લાદેશ કહેવાય છે. આ બન્નેની સપ્તભંગી થાય છે. જેમ પ્રમાણવાક્યની સમભંગી થાય છે. તેવી જ રીતે નયવાક્યની પણ સપ્તભંગી થાય છે. બન્ને વાક્યોની બોલાતી સપ્તભંગીમાં નીચે મુજબ તફાવત છે. (૧) પ્રમાણવાક્યની સપ્તભંગીમાં સર્વ અંશોની પ્રધાનપણે વિવક્ષા હોવાથી આગળ ચાત્ શબ્દ બોલાય છે. પરંતુ કોઈ એકધર્મની જ પ્રધાનતા ન હોવાથી પાછળ વ શબ્દનો પ્રયોગ થતો નથી. તેથી અસ્તિ-નાસિત ઉપર આ પ્રમાણે સપ્તભંગી થાય છે. (૨) સ્થાપ્તિ, (૨) ાનાતિ, (૩) વાવ વક્તવ્ય, (૪) થાપ્તિનાસ્તિ, (૬) સ્થાતિ મવવક્તવ્ય, (૬) પાનાતિ વવક્તવ્ય, અને (૭) થાતિનાસ્તિ-વક્તવ્ય આ જ પ્રમાણે ભિન્ન-ભિન્ન, સામાન્ય-વિશેષ, નિત્યા-નિત્ય, આદિ યુગલધર્મોમાં સ્યાત્કારથી લાંછિત અને એવકારથી રહિત જે જે સપ્તભંગી થાય છે. તે તે પ્રમાણસપ્તભંગી અર્થાત્ સક્લાદેશ કહેવાય છે. (૨) નયવાક્યની બોલાતી સપ્તભંગીમાં સર્વધર્મોની વિવક્ષા છે (અપલાપ નથી) માટે આગળ ત્િ શબ્દ જરૂર આવે છે. પરંતુ વિવક્ષિત એવા એકધર્મની પ્રધાનતા અને શેષધર્મોની ગૌણતા જરૂર છે. તેથી જે ધર્મની પ્રધાનતાએ વિવક્ષા કરી હોય તે જણાવવા પાછળ શબ્દનો પૂર્વ પ્રયોગ અવશ્ય થાય છે. તેથી અતિ-નાતિ ઉપર નયની સપ્તભંગી આ પ્રમાણે થાય છે. (૨) ચાર્યેવ, (૨) ચાનાવ, (૩) ચાવવક્તવ્ય ઇવ, (૪) -નાચેવ, () ચાચવવત્તવ્ય હવ, (૬) ચાનાર્યવવાર્થ પવ, અને (૭) દ્વિ-માર્યવક્તવ્ય પર્વ | આ જ પ્રમાણે ભિન્ન-ભિન્ન, સામાન્ય-વિશેષ અને નિત્યા-નિત્ય આદિ યુગલધર્મોમાં સ્વાત્કારથી પણ લાંછિત અને એવકારથી પણ લાંછિત એવી અનંત સપ્તભંગી થાય છે. તે તે નયસપ્તભંગીને વિક્લાદેશ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy